Jyotish: હિન્દુ ધર્મમાં નવગ્રહોનું મહત્વ જણાવવામાં આવ્યું છે. ગ્રહ પરિવર્તનની અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે. ઘણી વખત વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી ગ્રહોની અસરને શાંત કરી શકાય છે. આમ કરવાથી જીવનની ગાડી ફરી પહેલા જેવી બનાવી શકાય છે. આવો જાણીએ નવગ્રહોના આ ઉપાયો વિશે.


નવગ્રહોને શાંત કરવા માટે જ્યોતિષમાં લોટના ઉપાયો જણાવવામાં આવ્યા છે. રસોડામાં નિયમિત રીતે ઉપયોગમાં લેવાતા લોટના ઘણા ઉપાયો તમારું નસીબ બદલી શકે છે. લોટના આ ઉપાયો કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થઈ શકે છે.


લોટના ઉપાયો



  • ઘરમાં વધતી જતી આર્થિક પરેશાનીઓ, દેવાથી મુક્તિ મેળવવા માટે લોટના કેટલાક ઉપાય અસરકારક છે. ઘરમાં આવકના સાધનો વધારવા માટે ગુરુવારે રસોડામાં લોટ બાંધતી વખતે થોડો ગોળ મિક્સ કરીને તેના પિંડ બનાવી લો અને ગાયને પોતાના હાથથી ખવડાવો. આમ કરવાથી ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.

  • જો કોઈ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ પીછો ન છોડતી હોય, કામ પૂર્ણ થાય તે પહેલા જ બગડી જાય તો લોટમાં ખાંડ મિક્સ કરીને ઘરની આસપાસની કીડીઓને ખવડાવો. આમ કરવાથી સમસ્યાઓમાં રાહત મળશે.

  • ઘણી વખત માણસને લાખ પ્રયત્નો કરવા છતાં પણ પ્રગતિ નથી થતી. જો ધંધામાં ફાયદો ન થતો હોય તો લોટના ગોળા બનાવી માછલીને ખવડાવો. આમ કરવાથી ભાગ્યના દ્વાર ખુલશે અને વેપાર ચાલવા લાગશે.

  • જો નોકરી ન મળતી હોય કે કોઈ પણ કંઈ કામ ન થતું હોય લોટમાં ગોળ મિક્સ કરીને પિંડ બનાવી તેને ગાયને ખવરાવો.  આમ કરવાથી રોજગારીની નવી તકો ઉભી થશે અને સમસ્યાઓ દૂર થશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.