જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે કુંડળીમાં કાલસર્પ યોગ હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિના પરિવારથી લઈને તેની કારકિર્દી સુધી સમસ્યાઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં, જો કાલસર્પ દોષ તમને પરેશાન કરી રહ્યો છે, તો તમે તેના માટે આ ઉપાયો અજમાવી શકો છો.


જ્યારે કુંડળીમાં બધા ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે રહે છે, ત્યારે કાલસર્પ દોષ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે કુંડળીમાં કાલસર્પ યોગને કારણે વ્યક્તિને ખરાબ સપના આવવા લાગે છે અને ડરના કારણે વારંવાર જાગી જાય છે. સાથે જ એક અજાણ્યો ભય પણ મનમાં રહે છે.


તેમજ સપનામાં વારંવાર સાપ જોવો એ પણ કાલસર્પ દોષનો સંકેત હોઈ શકે છે. કાલસર્પ દોષના કારણે વ્યક્તિને મહેનત કર્યા પછી પણ સારું પરિણામ મળતું નથી. પરિવાર અને કાર્યસ્થળમાં હંમેશા વાદ-વિવાદની સ્થિતિ રહે છે અને દુશ્મનોની સંખ્યા પણ વધે છે.


કાલ સર્પ દોષ જ્યોતિષમાં અશુભ ગણવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય છે તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલ તમામ પ્રકારના દોષોમાં કાલસર્પ દોષને ખૂબ જ અશુભ અને  તકલીફ પહોંચાડનારો માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે પણ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે, તેના કામ અનેક અવરોધ આવે છે અને થયેલા કામ પણ બગડી જાય છે. 


કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા કરો આ કામ 


ભગવાન શિવની નિયમિત પૂજા કરો અને મહામૃત્યુંજયનો જાપ કરો.
ગંગા જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો.
ચાંદી અથવા તાંબાના બનેલા સાપની જોડીને પવિત્ર નદીમાં તરતા મુકો.
શનિવારે પીપળના ઝાડને જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો.
ગરીબોને કાળા ધાબળા વગેરેનું દાન કરો.
કાલસર્પ દોષની પૂજા ઉજ્જૈન અથવા નાસિકના મહાકાલેશ્વર મંદિરમાં કરો.
દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.