Kamika Ekadashi 2022,Lord Vishnu Mantra: આજે કામિકા એકાદશી છે. ભગવાન વિષ્ણુની ઉપાસના માટે એકાદશી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાપથી મુક્તિ મેળવવા માટે કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ. પુરાણો મુજબ આ વ્રતનું ફળ યજ્ઞ કરવા જેવું જ છે.


કામિકા એકાદશીના વિશેષ મંત્રો


ધાર્મિક ગ્રંથો અનુસાર પાપકર્મોથી મુક્તિ મેળવવા એકાદશીના વ્રતથી વિશેષ કશું જ નથી. જે વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત કરે છે તે ક્યારેય કુયોનીમાં જન્મતો નથી. એવું માનવામાં આવે છે કે કામિકા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કર્યા વિના પૂર્ણ માનવામાં આવતું નથી. ધનમાં વૃદ્ધિ અને કષ્ટોથી મુક્તિ મેળવવા માટે આ દિવસે શ્રીહરિની પૂજા દરમિયાન આ મંત્રોનો પાઠ કરો.


ધન લાભના મંત્ર


ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि।


ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।


વિશેષ મનોકામના પૂર્તિ માટેનો મંત્ર



  • श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेवाय।।

  • ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।

  • ॐ विष्णवे नम:।।


આર્થિક સંકટથી બચવા માટેનો મંત્ર


दन्ताभये चक्र दरो दधानं,कराग्रगस्वर्णघटं त्रिनेत्रम्।


धृताब्जया लिंगितमब्धिपुत्रया, लक्ष्मी गणेशं कनकाभमीडे।।


વિષ્ણુનો પંચરૂપ મંત્ર – તમામ પાપની મુક્તિ માટે



  • ॐ अं वासुदेवाय नम:

  • ॐ आं संकर्षणाय नम:

  • ॐ अं प्रद्युम्नाय नम:

  • ॐ अ: अनिरुद्धाय नम:

  • ॐ नारायणाय नम:

  • ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान। यस्य स्मरेण मात्रेण ह्रतं नष्‍टं च लभ्यते।।


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.