Makar Sankranti 2024 LIVE: PM મોદીએ પાઠવી ઉત્તરાયણની શુભકામના, કહી આ વાત

Uttrayan 2024: પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 14 Jan 2024 10:17 AM

બ્રેકગ્રાઉન્ડ

Makar Sankranti 2024: પતંગરસીકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 જાન્યુઆરીના દિવસે પવનદેવ મહેરબાન રહેશે. એ દિવસે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે...More

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચગાવ્યો પતંગ..

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભર લોકનિકેતન સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો હતો. તેમણે ઉત્તરાયણ  નિમિત્તે ખીલદીલીથી પતંગ ચગાવવા લોકોને અપીલ કરી હતી. જે બાદ કહ્યું, જે માહિર હોય તે લોકોની પતંગ ના કપાય, પતંગ કાપવો અને કપાવો તેની પાછળ ઘણા બધા મર્મ છે.. જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે. કોઈ લોકો ગેમ રમી પતંગ કાપતા હોય તો તેમને પણ ખીલદિલીની ભાવના રાખવી જોઈએ. ઉતરાયણના પર્વની સૌને શુભકામનાઓ.