જ્યોતિષી ચેતન પટેલ- વર્ષ 2025 માં ક્રૂર અને તોફાની ગ્રહ મંગળની  ઘણી  તીવ્ર અસરો  થશે.   આ અંગે વધુ માહિતી આપતા ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શરૂ થયેલ  વર્ષ 2025  ( 2+0+2+5=9 )જેનો વર્ષ આંક  9 થાય છે.   અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 સેનાપતિ ગ્રહ મંગળનું છે કેમ કે 1 થી 9 અંકમાં 9નું આધિપત્ય  મંગળ ધરાવે છે. એટલે આ સમગ્ર વર્ષ પર સૌથી વધારે અસર મંગળ ગ્રહની રહેશે.  

જેની અસર મુજબ ધરતીકંપ અને આગ અકસ્માતના બનાવો જાન્યુઆરી મહિનો શરૂ થયો ત્યારથી થઈ ગયા છે.   જેમ કે અમેરિકામાં 10 જાન્યુઆરીએ  જંગલોમાં આગ લાગી હતી.  જે  આગથી 77 લાખ કરોડનું તોતિંગ નુકસાન અત્યાર સુધીની મોટામાં મોટી આગ લાગી  હતી.   

7 જાન્યુઆરી 2025 ના રોજ  9.05 વાગે દક્ષિણપશ્ચિમ ચીનના તિબેટ સ્વાયત્ત પ્રદેશના શિગાત્સે પ્રીફેક્ચર-લેવલ શહેરમાં સ્થિત ટિંગ્રી કાઉન્ટીમાં Mw 7.1 માપતો ભૂકંપ આવ્યો. આ પ્રદેશમાં 126 થી 400 લોકો માર્યા ગયા હતા અને 338 ઘાયલ થયા હતા.

આજે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો સેંકડો બિલ્ડિંગ ધરાશાયી થઈ  અને  જાનમાલનું પણ નુકશાન થયું છે.  

હજુ આગળ પણ મંગળના તીવ્ર પ્રભાવને કારણે   પૃથ્વીના પેટાળના લાવાને હચ મચાવશે,   તેથી  વર્ષ 2025 માં  દેશ કે દુનિયામાં   નાના મોટા ધરતીકંપો, સુનામી જેવા દરિયાઈ તોફાનો ઉથલપાથલો આગ અકસ્માતો વગેરે બને અને જાનમાલનું નુકસાન પણ થઈ શકે છે.   દુનિયામાં ઘણી એવી બાબતો બને કે અચાનક આકસ્મિક આ શું થઈ ગયું  તેવું લોકોને થાય કેમ કે મંગળ આક્રમકતાનો ગ્રહ છે જે કંઈ પણ ઘટના બનશે તે આકસ્મિક અને તોફાની બનશે ઘણી વાર તે લોહિયાળ પણ હોઈ શકે છે.  

અંક શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં  મંગળને લોહી યુદ્ધનો ગ્રહ કહેલો છે તેથી દુનિયામાં એકાએક મોટું યુદ્ધ પણ થઈ શકે છે.   તીવ્ર  ચડાવ ઉતાર તેમજ  તોફાનોનો  મંગળ કારક ગ્રહ   વર્ષ 2025 સામાન્ય નહીં  રહે. મંગળની તોફાની ઉથલપાથલો ધરતી પર થાય તેમ ધરતીની ઉપજ ચીજોમાં થાય તેની સીધી અસર બજારોના ભાવ તાલ પર પડે.  એકંદરે નીચેના મહત્વના  તમામ ક્ષેત્રમાં યુદ્ધકારક ચડાવ ઉતાર ઘર્ષણ જેવી સ્થિતિ આપણને દેખાય. પછી  કોઈ બે દેશ વચ્ચેના તણાવની સ્થિતિ હોય તે વધુ આક્રમક અને લોહિયાળ બની શકે છે. દુનિયાના બજારો અને ઇકોનોમીમાં બહુ મોટા ફેરફારો જોવા મળી શકે છે.  મંગળની  સીધી અસરથી  ક્રૂડ ઓઇલમાં પણ મોટામાં મોટી તોફાની તેજી આવી શકે છે.  સોના ચાંદી કોમોડિટીના બજારો  તેમજ ભારત સહિત અમેરિકા જર્મની બ્રિટન જાપાન રસિયા  ઇઝરાઇલ જેવા આગેવાન શેરબજારોમાં ખૂબ જ મોટા ચઢાવ ઉતાર આવે તો નવાઈ નહિ,  જેની સીધી અસર  સામાન્ય જન માનસને પણ નુકશાની પહોંચાડી શકે છે.  

(જાણીતા જ્યોતિષી ચેતન પટેલ)