Navratri 2022: શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. 02 ઓક્ટોબરે શારદીય નવરાત્રીની સપ્તમી તિથિ છે. મહાસપ્તમી નવરાત્રીના સાતમા દિવસે આવે છે. આ દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપ મા કાળરાત્રીની પૂજા કરવામાં આવે છે. હંમેશા શુભ પરિણામ આપવાના કારણે તેણીને શુભંકરી પણ કહેવામાં આવે છે. કાળરાત્રી દુષ્ટોનો નાશ કરવા માટે જાણીતી છે, તેથી તેનું નામ કાલરાત્રી છે. મા કાળરાત્રી, મા દુર્ગાનું સાતમું સ્વરૂપ, ત્રણ આંખોવાળી દેવી છે. એવું કહેવાય છે કે નવરાત્રીના સાતમા દિવસે જે પણ મા કાળરાત્રીની આરાધના કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. મા કાળરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે. તેની સાથે જ ભૂત-પ્રેત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરે તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.


મા કાળરાત્રીનું સ્વરૂપ


એવું કહેવાય છે કે શુંભ, નિશુમ્ભ અને રક્તબીજને મારવા માટે દેવી દુર્ગાએ કાલરાત્રીનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. દેવી કાલરાત્રીનું શરીર અંધકાર જેવું કાળું છે. તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. માતાના વાળ લાંબા અને વિખરાયેલા છે. ગળાની માળા વીજળીની જેમ ચમકે છે. માતાની ત્રણ આંખો વિશાળ અને બ્રહ્માંડ જેવી ગોળ છે. માતાના ચાર હાથ છે, જેમાં એક હાથમાં ખડગ એટલે કે તલવાર, બીજામાં લોખંડનું શસ્ત્ર, ત્રીજો હાથ અભય મુદ્રામાં અને ચોથો હાથ વરમુદ્રામાં છે.


પૂજા પદ્ધતિ


સપ્તમી તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પૂજાની શરૂઆત કરવી જોઈએ. સ્નાન કર્યા પછી માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો. તેને લાલ ફૂલ અર્પણ કરો. મા કાળરાત્રીની પૂજામાં મીઠાઈ, પાંચ ફળ, અક્ષત, ધૂપ, સુગંધ, ફૂલ અને ગોળ, નૈવેદ્ય વગેરેનો પ્રસાદ ધરાવવામાં આવે છે.


આ દિવસે ગોળને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મા કાલરાત્રીને ગોળ અથવા તેમાંથી બનાવેલી વાનગી અર્પણ કરો. પૂજા પૂરી થયા પછી માતાના મંત્રોનો જાપ કરો અને તેમની આરતી કરો. દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરો.


મંત્ર


ऊं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नम: .


ॐ कालरात्र्यै नम:


ॐ फट् शत्रून साघय घातय ॐ


ॐ ह्रीं श्रीं क्लीं दुर्गति नाशिन्यै महामायायै स्वाहा।


ધ્યાન મંત્ર


एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।


वामपादोल्ल सल्लोहलता कण्टक भूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.