Nirjala Ekadashi 2024:  નિર્જળા એકાદશીનું વ્રત (Nirjala Ekadashi Vrat) 18 જૂન 2024ના રોજ કરવામાં આવશે. આ એકાદશીના વ્રત દરમિયાન પાણી પીવું વર્જિત માનવામાં આવે છે, તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનો સંબંધ ભીમ સાથે પણ છે.

Continues below advertisement

આ કારણે તેને ભીમસેની (ભીમ અગિયારસ) એકાદશી પણ કહેવામાં આવે છે. જે કોઈ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેના તમામ પાપો નાશ પામે છે કારણ કે તેને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. નિર્જળા એકાદશી વ્રત દરમિયાન ક્યારે પીવું જોઈએ પાણી, જાણો શું છે નિયમો.

નિર્જળા એકાદશીનો શુભ સમય (Nirjala Ekadashi 2024 Date)

Continues below advertisement

નિર્જળા એકાદશી 2024ની તારીખ અને વ્રતની શરૂઆત - 17મી જૂન સવારે 04.43 કલાકે શરૂ થશે.

નિર્જળા એકાદશીની અંતિમ તારીખ - 18 જૂન 2024, સવારે 06.24 વાગ્યે સમાપ્ત થશે.

નિર્જળા એકાદશી 2024 વ્રત પારણાનો સમય (Nirjala Ekadashi 2024 Vrat Parana time)

નિર્જળા એકાદશી વ્રતના પારણા 19 જૂન 2024ના રોજ સવારે 05.24 થી 07.28 દરમિયાન કરવામાં આવશે.

નિર્જળા એકાદશી વ્રત દરમિયાન પાણી ક્યારે પીવું જોઈએ?

નિર્જળા એકાદશી વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ છે. જો કે, બીમારીના કિસ્સામાં, વ્યક્તિ પાણીનું સેવન કરી શકે છે. શાસ્ત્રો અનુસાર નિર્જળા એકાદશી વ્રત દરમિયાન સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરવો જોઈએ અને બીજા દિવસે સૂર્યોદય પછી પૂજા કર્યા બાદ પારણાના સમયે જળનું સેવન કરવું જોઈએ.

પાણી દાનનું મહત્વ

નિર્જળા એકાદશી પર જળ દાન કરવાથી પિતૃઓની આત્મા સંતુષ્ટ થાય છે. તે આર્થિક સંકટ, પારિવારિક પરેશાનીઓ, રોગો વગેરેમાંથી પણ રાહત આપે છે. જે લોકોની કુંડળીમાં શનિ દોષ હોય તેમણે નિર્જળા એકાદશી પર પીપળના ઝાડને જળ ચઢાવવું જોઈએ. તેનાથી શનિ પ્રસન્ન થાય છે.

નિર્જળા એકાદશીના ઉપવાસના નિયમો

બીમાર, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધ લોકો કે જેઓ આખો દિવસ ભૂખ્યા કે તરસ્યા રહી શકતા નથી, તેઓએ આ ઉપવાસ દરમિયાન તેમની ખાનપાનની વિશેષ કાળજી લેવી જોઈએ. જે લોકો માટે ભૂખ્યા અને તરસ્યા રહેવું મુશ્કેલ છે તેઓ ઉપવાસ દરમિયાન ફળો અને દૂધનું સેવન કરી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માન્યતા અને જાણકારી પર આધારિત છે. અહીં ઉલ્લેક કરવો જરૂરી છે કે ABPLive.com કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.