Shardiya Navratri 2025: સપ્ટેમ્બર મહિનામાં વર્ષના સૌથી મહત્વપૂર્ણ તહેવાર શારદીય નવરાત્રીની તિથિઓ પણ હોય છે. આવી સ્થિતિમાં, શારદીય નવરાત્રી પિતૃ પક્ષ પછી જ શરૂ થશે. નિષ્ણાતોના મતે, આ વખતે શારદીય નવરાત્રીની તિથિઓ 10 દિવસની છે, જે દરમિયાન ભક્તો દ્વારા કરવામાં આવતી પૂજા ખાસ ફળદાયી હોય છે. એબીપી ન્યૂઝે કાશીના જ્યોતિષના નિષ્ણાત પંડિત સંજય ઉપાધ્યાય સાથે શારદીય નવરાત્રીના તહેવાર વિશે ખાસ વાતચીત કરી છે.
શારદીય નવરાત્રીનો તહેવાર 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે
કાશીના જ્યોતિષના નિષ્ણાત પંડિત સંજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે - આ વર્ષે મુખ્ય તહેવાર શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, નવરાત્રીની ચતુર્થી તિથિ 25 અને 26 સપ્ટેમ્બર બંને દિવસે રહેશે. આ કારણે, આ નવરાત્રી 10 દિવસની રહેશે. નોમ 1 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. બીજા જ દિવસે, 2 ઓક્ટોબરે, વિજયાદશમીનો તહેવાર ઉજવવાની તારીખ છે. આ વખતે શારદીય નવરાત્રીનો તહેવાર 10 દિવસનો રહેશે તે એક સુખદ સંયોગ છે. હાથી પર માના આગમનથી લોકોને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય મળશે. આ નવરાત્રી રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લોકો સમગ્ર નવરાત્રી દરમ્યાન ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરે છે
ચૈત્ર અને શારદીય નવરાત્રીને ભારતમાં મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક માનવામાં આવે છે. ભક્તો શારદીય નવરાત્રી પર માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. દરેક તિથિએ સાત્વિક આહાર, બ્રહ્મચર્ય અને સંયમિત જીવન સાથે મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે.
શારદીય નવરાત્રી પર દુર્ગા પૂજા પંડાલ પણ બનાવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. શહેરમાં એક અલગ જ જીવંતતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, લોકો આખું વર્ષ નવરાત્રીની આતુરતાથી રાહ જુએ છે.
માતાની સવારી ખાસ છે
આ વર્ષે દેવી દુર્ગાનું વાહન હાથી છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી નવરાત્રિમાં હાથી પર સવારી કરીને આવે છે, ત્યારે વધુ વરસાદની શક્યતા છે. દેવીના આ વાહનનો સંદેશ એ છે કે આવનારા સમયમાં દેશને લાભ થઈ શકે છે. લોકોને સુખ અને સમૃદ્ધિ મળશે.
દેવી ભાગવતમાં લખેલું છે કે નવરાત્રિ કયા દિવસે શરૂ થાય છે તેના આધારે દેવીનું વાહન નક્કી થાય છે.
અઠવાડિયાના સાતેય દિવસો માટે દેવીના અલગ અલગ વાહનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ઉદાહરણ તરીકે, જ્યારે સોમવાર કે રવિવારે નવરાત્રિ શરૂ થાય છે, ત્યારે દેવીનું વાહન હાથી હોય છે.
જો નવરાત્રિ શનિવાર કે મંગળવારે શરૂ થાય છે, તો વાહન ઘોડો હોય છે.
જો નવરાત્રિ ગુરુવાર કે શુક્રવારે શરૂ થાય છે તો દેવી પાલખીમાં સવાર થઈને આવે છે. જ્યારે નવરાત્રિ બુધવારે શરૂ થાય છે, ત્યારે દેવીનું વાહન હોડી હોય છે.
શારદીય નવરાત્રિ ઘટસ્થાપન મુહૂર્ત
નવરાત્રિ ઘટસ્થાપનથી શરૂ થાય છે. ઘટસ્થાપન માટેનો સૌથી શુભ સમય 22 સપ્ટેમ્બરના રોજ સવારે 06:09 થી 08:06 સુધીનો છે. ઘટસ્થાપન માટે અભિજીત મુહૂર્ત સવારે 11:49 થી 12:38 વાગ્યા સુધીનો છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી જાણકારપી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.