Signs of Angry Ancestors: હિન્દુ ધર્મ (Hindu Dharma) સહિત વિવિધ સંસ્કૃતિઓમાં પૂર્વજો (Pitru) સાથે સંબંધિત પૂજા, ધ્યાન, દાન વગેરેનું મહત્વ છે. હિંદુ ધર્મમાં પૂર્વજો વિશે એવી માન્યતા છે કે મૃત્યુ પછી પણ પૂર્વજો પરિવાર પર પોતાની કૃપા બનાવી રાખે છે. જો પૂર્વજો પ્રસન્ન હોય તો પરિવારમાં સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.

 

પરંતુ જો કોઈ કારણસર પૂર્વજો ગુસ્સે થઈ જાય તો જીવનમાં મુશ્કેલી આવી શકે છે. જાણ્યે-અજાણ્યે કરેલાં ખોટાં કાર્યોને કારણે પિતૃઓ કે પૂર્વજો ગુસ્સે થાય છે. તેથી, ભૂલથી પણ એવું કંઈ ન કરો, જેનાથી પિતૃઓની નારાજગી થઈ શકે.

 

પણ પ્રશ્ન એ છે કે પૂર્વજોની નારાજગી કેવી રીતે ઓળખવી અને પૂર્વજોને ખુશ કરવા શું કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે પૂર્વજો ગુસ્સે થઈને તમને કેટલાક સંકેતો આપે છે. જો તમને પણ આ સંકેતો મળી રહ્યા છે તો સમજી લો કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે.

 

જો તમારા પૂર્વજો ગુસ્સે છે તો તમને મળે છે આ સંકેતો (Signs of Angry Ancestors)

 

અજ્ઞાત ડર અને ચિંતાઃ જો તમે અથવા પરિવારના કોઈપણ સભ્ય અજાણ્યા ભયથી ત્રાસી ગયા હોવ અથવા તમે હંમેશા બેચેની અનુભવો છો તો તે પિતૃ દોષની નિશાની છે. આનું કારણ એ છે કે તમારા પિતૃ તમારાથી ખુશ નથી.

 

જમવામાં વાળ નિકળવા: ક્યારેક જમવામાં વાળ આવવા એ સામાન્ય બાબત છે. પરંતુ જો આવું વારંવાર થતું હોય અથવા તો પહેલા કોળીયામાં જ વાળ નીકળે તો તે પિતૃ દોષની નિશાની છે.

 

દુર્ગંધઃ- સફાઈ કર્યા પછી પણ જો ઘરમાં દુર્ગંધ આવતી હોય અને દુર્ગંધ ક્યાંથી આવી રહી હોય તે ખબર ન હોય તો તે ક્રોધિત પૂર્વજોની નિશાની હોઈ શકે છે.

 

પૂર્વજોના સ્વપ્ન આવવા: જો પરિવારના કોઈપણ સભ્યને વારંવાર પૂર્વજોના સ્વપ્ન આવે અથવા તમે સ્વપ્નમાં તમારા પૂર્વજને દુઃખી કે રડતા જોતા હોવ તો તે સારું માનવામાં આવતું નથી.

 

શુભ અને માંગલીક કાર્યોમાં વિઘ્નઃ  તહેવારો કે શુભ કાર્યોમાં કોઈને કોઈ રીતે વિઘ્ન કે અશુભ ઘટનાઓ બનવી એ પણ પૂર્વજોની નારાજગીના સંકેત છે. આ દર્શાવે છે કે તમારા પૂર્વજો અસંતુષ્ટ છે.

 

પરિવારનો કોઈપણ સભ્ય કુંવારો કે નિઃસંતાન રહે: ઘરમાં પિતૃ દોષને કારણે પરિવારનો કોઈ સભ્ય લગ્ન કરી શકતો નથી. આવું ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે પરિવારનો કોઈ સભ્ય જે અપરિણીત હોય તેનું મૃત્યુ થયું હોય. આ સિવાય દંપતીને સંતાન ન થવું એ પણ પૂર્વજોની નારાજગીનો સંકેત છે.

 

પૂર્વજોનો ક્રોધ કેવી રીતે દૂર કરવો 

 

જ્યારે પૂર્વજો ગુસ્સે થાય છે, ત્યારે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમે કેટલાક ખાસ ઉપાય કરીને તમારા નારાજ પૂર્વજોને ખુશ કરી શકો છો. આ ઉપાયોથી તમારા પૂર્વજો ખુશ થશે અને તમે સુખી અને સમૃદ્ધ જીવન જીવશો.

 


  • જો પૂર્વજો ક્રોધિત હોય તો તેમના માટે પિંડા દાન કરો.

  • પિતૃઓ માટે કૂવો કે તળાવ વગેરે બનાવવું.

  • મંદિરના પ્રાંગણમાં વડ અથવા પીપળનું વૃક્ષ વાવો અને તેની પૂજા કરો.

  • અમાવસ્યાના દિવસે પિતૃઓના નામે કોઈપણ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દૂધ, સાકર, કપડા કે દક્ષિણાનું દાન કરો.

  • પીપળના ઝાડની 108 વાર પ્રદક્ષિણા કરવાથી પિતૃદોષ ઓછો થાય છે.


 

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.