Ram Navami 2023 LIVE Update: અયોધ્યામાં રામ નવમીની ધૂમ, ગૂંજ્યા મંગળ ગીતો, કાશીમાં મુસ્લિમ મહિલાઓ ઉતારી આરતી

આજે ( 30 માર્ચ, 2023)ના રોજ રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે.જાણીએ રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ મૂહૂર્ત, સામગ્રી અને પૂજા વિધિ સહિત વિશેષ કાર્યક્રમના વિશેના અપડેટ્સ

gujarati.abplive.com Last Updated: 30 Mar 2023 02:15 PM
ગોરખપુરમાં યોગી આદિત્યનાથે રામલલ્લાનું વિધિવત કર્યું પૂજન આરતી

રામનવમીના અવસરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલ્લાના દર્શન કરીને પ્રભુનું વિધિવત પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી.





કાશીમાં મુસ્લિમ મહિલાઓએ ઉતારી રામલલ્લાની આરતી

કાશીમાં પણ રામલલ્લાનો જન્મદિવસ ખૂબ જ ઉસ્તાહ અને શ્રદ્ધાભેર ઉજવાવમાં આવ્યો. અહીં મુસ્લિમ મહિલાઓએ રામલ્લાની આરતી ઉતારી અને અયોધ્યામાં રામના અસ્થાયી મંદિરમાં પણ ભક્તોની ભીડ ઉમટી હતી. લોકોએ સરયૂ નદીમાં સ્નાન કરીને રામલ્લાના દર્શન કરીને ધન્યતા અનુભવી

અયોધ્યામાં રામ નવમીની ધૂમ, ગૂંજ્યા મંગળ ગીતો, કાશીમાં મુસ્લિમ મહિલાઓ ઉતારી આરતી

રામની નગરી અયોધ્યામાં રામ નવમીને લઇને રોનક જોવા મળી.અહીં મોટી સંખ્યામાં ભાવિકોએ  રામલ્લાના દર્શન કર્યાં. અયોધ્યમાં આજે અસ્થાયી મંદિરમાં ખૂબ ધામધૂમથી રામલ્લાનો જન્મોત્સ મનાવવામાં આવ્યો હતો, રામલ્લાના જન્મત્સવમાં કોઇ અપ્રિય ઘટના ન ઘટે માટે અયોધ્યામાં સધન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

વડોદરા: પાદરામાં સંતરામ મંદિરમાં રામનવમીના અવસરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન

વડોદરાના પાદરના સંતરામ મંદિરમાં પણ રામ નવમીને લઇને વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં  વાર્ષિકોત્સવ નિમિત્તે સાકરવર્ષા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે ભવ્ય સાકરવર્ષા અને મહાઆરતીમાં સંતો-મહંતો સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ: રામનવમીના મહાપર્વના અવસરે યોજાઇ ભવ્ય રથયાત્રા

વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રાજકોટમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નાણાવટી ચોક થી શ્રીરામજી મંદિર સુધી શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા પહેલા રાજકોટના નાણાવટી ચોક ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.


 

Ram Navami 2023: રામ નવમી પર સુંદરકાંડનો પાઠ કરવાથી થાય છે આ લાભ

રામ નવમીના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનમાં તમામ શુભ કાર્યો થાય છે. સુંદરકાંડનો પાઠ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.

Ram Navami 2023 :રામ નવમીના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેશવાસીઓને પાઠવી શુભકામના

રામ નવમીના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેશવાસીઓને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે,   ભગવાન રામનું ત્યાગ, સંયમ અને શૌર્યસભર જીવન માનવજાત માટે ઉચ્ચ જીવનમૂલ્યોનો અનંત પ્રેરણાસ્ત્રોત છે. પ્રભુ શ્રી રામની કૃપા સૌના જીવનમાં સુખ-શાંતિ પ્રસરાવે તેવી પ્રાર્થના.





Ram Navami 2023 LIVE Update: CM યોગી આદિત્યનાથે રામલલ્લાની જન્મદિવસની પાઠવી શુભકામના

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલ્લાના જન્મદિવસની શુભકામના પાઠવી છે. સીએમ યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે, મર્યાદા પુરૂષોત્તમના અવતરણનો પાવન દિવસ





Ram Navami 2023 LIVE Update:ધૈર્ય સાથે સત્યના પથ પર ચાલવાની આપી પ્રેરણા: અમિત શાહ

તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મર્યાદાપુરુષોદત્તમના જનદવિસની શુભકામના પાઠવતા જણાવ્યું કે, શ્રીરામે સમસ્ત માનવસમુદાયનને સત્યના માર્ગ પર ધૈર્ય સાથે ચાલવાની પ્રેરણા આપી છે.





Ram Navami 2023 LIVE Update: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી પાઠવી શુભકામના

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું, શ્રી રામ નવમીના શુભ અવસર પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રીરામ તમારા બધાના જીવનમાં  સુખ અને શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે. આ મંગલમય કામના સાથે જય શ્રી રામ


 





Ram Navami 2023 LIVE Update: શ્રી રામનું ચરિત્ર દરેક યુગમાં પ્રેરણાનોસ્રોત:Pm મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  રામનવના અવસરે દેશવાસીઓને ટ્વીટ દ્વારા શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ દ્વારા શુભકામના પાઠવતા કહ્યું કે, શ્રીરામનું ચરિત્ર દરેક યુગમાં લોકો માટે પ્રેરણાસ્ત્રોત





Ram Navami 2023 LIVE Update: રાજ્ય ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને રામલલ્લાના જન્મદિનની પાઠવી શુભકામના

રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવીએ રામનવમીના અવસરે ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી છે. કણ મેં રામ  ટ્વીટ કરીને સૌ કોઇને રમલ્લાના જન્મદિવસની શુભકામના પાઠવી છે.


 





Ram Navami 2023: રામ નવમીના અવસરે સર્જાયેલા દુર્લભ યોગના કારણે આ રાશિને થશે લાભ

રામ નવમી 2023એ આ રાશિના લોકોને થશે લાભ


વૃષભ રાશિના લોકો માટે રામ નવમીનો તહેવાર અનેક શુભ ભેટ લઈને આવી રહ્યો છે. આ શુભ યોગોના સંયોગથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પૈસા સંબંધિત અટકેલા કામ પૂરા થશે. કાર્યસ્થળ પર તમને અધિકારીઓનો સહયોગ મળશે, તમને નવી જવાબદારી મળી શકે છે. રોકાણ કરવા માટે ખૂબ જ સારો સમય છે. વેપારમાં નવી ભાગીદારી બની રહી છે.


તુલા – તુલા રાશિના લોકો પર હનુમાનજી અને શ્રી રામની વિશેષ કૃપા વરસશે. તમને આર્થિક મોરચે ફાયદો થશે. આવકમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. આત્મવિશ્વાસ વધશે, આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. માન-સન્માનમાં વધારો થશે. પરિવારનો સહયોગ મળશે. ભગવાન રામના આશીર્વાદથી દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ આવશે.


સિંહ - સિંહ રાશિના લોકો માટે રામ નવમીનો તહેવાર ભાગ્યશાળી સાબિત થશે. જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરીમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે.

Ram Navami 2023: રામ નવમીના અવસરે સર્જાયેલા દુર્લભ યોગના કારણે આ રાશિને થશે લાભ

રામ નવમી 2023એ આ રાશિના લોકોને થશે લાભ


વૃષભ રાશિના લોકો માટે રામ નવમીનો તહેવાર અનેક શુભ ભેટ લઈને આવી રહ્યો છે. આ શુભ યોગોના સંયોગથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પૈસા સંબંધિત અટકેલા કામ પૂરા થશે. કાર્યસ્થળ પર તમને અધિકારીઓનો સહયોગ મળશે, તમને નવી જવાબદારી મળી શકે છે. રોકાણ કરવા માટે ખૂબ જ સારો સમય છે. વેપારમાં નવી ભાગીદારી બની રહી છે.


તુલા – તુલા રાશિના લોકો પર હનુમાનજી અને શ્રી રામની વિશેષ કૃપા વરસશે. તમને આર્થિક મોરચે ફાયદો થશે. આવકમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. આત્મવિશ્વાસ વધશે, આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. માન-સન્માનમાં વધારો થશે. પરિવારનો સહયોગ મળશે. ભગવાન રામના આશીર્વાદથી દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ આવશે.


સિંહ - સિંહ રાશિના લોકો માટે રામ નવમીનો તહેવાર ભાગ્યશાળી સાબિત થશે. જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરીમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે.

Ram Navami 2023: રામ નવમીના અવસરે બની રહ્યો છે, આ દુર્લભ યોગ

Ram Navami 2023 Date: આ વર્ષે 30 માર્ચ, 2023ના રોજ રામ નવમીના દિવસે ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે. જે કેટલીક  રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે. ચાલો જાણીએ કે કઈ રાશિના લોકો રામ નવમી પર તેમના ભાગ્યના તાળા ખોલશે.


રામ નવમીનો તહેવાર 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રામનવમીએ  ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આ દિવસે ભગવાન રામની સાથે મા દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં રામ નવમીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ વર્ષે રામનવમી પર ખૂબ જ દુર્લભ સંયોજન બનાવવામાં આવી રહ્યું છે. જે ઘણી રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે. આ શુભ યોગોના સંયોગથી ત્રણેય રાશિઓના ધન, વેપાર, નોકરી અને ભૌતિક સુખમાં વધારો થશે. તેમના પર શ્રીરામ અને બજરંગબલીના આશીર્વાદ વરસશે. આવો જાણીએ રામ નવમી પર કઈ રાશિના લોકોનો ભાગ્યોદય થશે.


દુર્લભ યોગનો સંયોગ (Ram Navami 2023 Shubh yoga)


વાલ્મીકિ અનુસાર શ્રી રામનો જન્મ કર્ક રાશિમાં, અભિજીત મુહૂર્તમાં, સૂર્ય, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ વિશેષ યોગમાં થયો હતો. આ વર્ષે રામ નવમી પર સૂર્ય, બુધ અને ગુરુ મીનમાં, શનિ કુંભમાં, શુક્ર અને રાહુ મેષમાં બેસે છે. આ દરમિયાન માલવ્ય, કેદાર, હંસ અને મહાભાગ્ય જેવા યોગોની રચના થશે. આ સાથે સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ, ગુરુ પુષ્ય યોગ અને રવિ યોગનો સમન્વય છે.

Ram Navami 2023: રામ નવમીના અવસરે ઘર પર આ સામગ્રી સાથે કરો પૂજન અને સચોટ ઉપાય

રામ નવમી પૂજા સામગ્રી (Ram Navami Puja Samagri)



  • રામ દરબારની તસવીર, કુમ કુમ, નાડાછડી, ચંદન, અક્ષત, કપૂર, ફૂલો, માલા, સિંદૂર,

  • શ્રી રામની પિત્તળ અથવા ચાંદીની મૂર્તિ, અભિષેક માટે દૂધ, દહીં, મધ, ખાંડ, ગંગાજળ,

  • મીઠાઈ, પીળા કપડા, ધૂપ, દીવો, સુંદરકાંડ અથવા રામાયણ પુસ્તક, સોપારી, લવિંગ, એલચી,

  • અબીર, ગુલાલ, ધ્વજ, કેસર, પંચમેવા, પાંચ ફળ, હળદર, અત્તર, તુલસી પત્ર,


રામ નવમી પૂજા વિધિ  (Ram Navami Puja Vidhi)


રામ નવમીના બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને તાંબા કળશથી અર્ઘ્ય ચઢાવો. આ પછી શ્રીરામ અને શ્રીરામચરિતમાનસની પૂજા કરો. ભગવાનને પીળા રંગના ફૂલ, કપડાં, ચંદન વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો, ભોગમાં તુલસીના પાન મૂકીને પ્રસાદ ચઢાવો, ઘરની છત પર ધ્વજ લગાવો અને પછી ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો. 'ઓમ શ્રી હ્રી ક્લીં રામચંદ્રાય શ્રી નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો. નવરાત્રિ રામ નવમી પર સમાપ્ત થાય છે, તેથી આ દિવસે હવન કરવાનું ભૂલશો નહીં. પરિવાર સહિત તમામ દેવી-દેવતાઓ માટે હવન કુંડમાં બલિ ચઢાવો અને પછી અંતે આરતી કરો. એવી માન્યતા છે કે આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી શ્રીરામની કૃપા વરસે છે.


રામ નવમી ઉપાય


સુખી દામ્પત્ય જીવન માટે રામ નવમી પર 'શ્રી રામ રામ રામેત રામે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ શ્રી રામ નામ વરાણે' આ મંત્રની માળાનો જાપ કરો. આ કામ પતિ-પત્નીએ સાથે કરવાનું હોય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા વધે છે. બીજી તરફ ધન પ્રાપ્તિ માટે આ દિવસે શ્રી રામને કેસરયુક્ત દૂધનો અભિષેક કરો અને રામાષ્ટકનો પાઠ કરો. આનાથી પૈસા સંબંધિત દરેક સમસ્યા દૂર થાય છે.

બ્રેકગ્રાઉન્ડ

Ram Navami 2023: ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે, આજે ( 30 માર્ચ, 2023)ના રોજ રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે.જાણીએ રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ મૂહૂર્ત, સામગ્રી અને  પૂજા વિધિ


ભગવાન વિષ્ણુએ માનવ સ્વરૂપમાં ભગવાન રામના રૂપમાં અવતાર લીધો હતો. વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન રામનો જન્મ બપોરે 12 વાગ્યે કર્ક રાશિમાં થયો હતો. આવી સ્થિતિમાં, અભિજિત મુહૂર્તમાં શ્રીરામની જન્મજયંતિની ઉજવણી કરવી શુભ છે. આ વર્ષે રામ નવમીનો તહેવાર ભક્તો માટે ખૂબ જ શુભ રહેવાનો છે, કારણ કે આ દિવસે કેદાર યોગ, બુધાદિત્ય યોગ, ગુરુ આદિત્ય અને ગુરુ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે. જેના કારણે શ્રી રામ, હનુમાનજી અને માતા સિદ્ધિદાત્રીની પૂજાનું બમણું ફળ મળશે. ચાલો જાણીએ રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ સમય, સામગ્રી અને પૂજા વિધિ.


રામ નવમી શુભ મૂહૂર્ત (Ram Navami 2023 Muhurat)


ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ બુધવારે રાત્રે 09.07 વાગ્યાથી 30મી માર્ચે રાત્રે 11.30 વાગ્યા સુધી છે.


રામ નવમી પૂજા વિધિ  (Ram Navami Puja Vidhi)


રામ નવમીના બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને તાંબા કળશથી અર્ઘ્ય ચઢાવો. આ પછી શ્રીરામ અને શ્રીરામચરિતમાનસની પૂજા કરો. ભગવાનને પીળા રંગના ફૂલ, કપડાં, ચંદન વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો, ભોગમાં તુલસીના પાન મૂકીને પ્રસાદ ચઢાવો, ઘરની છત પર ધ્વજ લગાવો અને પછી ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો. 'ઓમ શ્રી હ્રી ક્લીં રામચંદ્રાય શ્રી નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો. નવરાત્રિ રામ નવમી પર સમાપ્ત થાય છે, તેથી આ દિવસે હવન કરવાનું ભૂલશો નહીં. પરિવાર સહિત તમામ દેવી-દેવતાઓ માટે હવન કુંડમાં બલિ ચઢાવો અને પછી અંતે આરતી કરો. એવી માન્યતા છે કે આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી શ્રીરામની કૃપા વરસે છે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.