Shrawan 2022 Third Somwar Vrat: શ્રાવણ મહિનાનોનો સોમવાર ખૂબ જ પવિત્ર દિવસ છે. આ દિવસ ભગવાન ભોળાનાથને ખૂબ જ પ્રિય છે. ભલે ભોળાનાથ પોતે વૈરાગી હોય, પરંતુ તે પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે મહાદેવની પૂજા કરવાથી સંસારની કોઈપણ વસ્તુ મેળવી શકાય છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો શિવલિંગની નિયમિત પૂજા કરે છે, ભોળાનાથ તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. 15 ઓગસ્ટે શ્રાવણનો ત્રીજો સોમવાર છે.


ત્રીજા સોમવારે બની રહ્યો છે આ ખાસ યોગ


ત્રીજા સોમવારે 3 ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આજે ભગવાન શિવની સાથે તેમના પ્રિય પુત્ર ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવશે. આ ઉપરાંત આજે શિવ યોગ અને રવિ યોગ પણ બની રહ્યા છે. શ્રાવણના ત્રીજા સોમવારે કરવામાં આવતા ઉપાયો અનેકગણું ફળ આપશે.  


શ્રાવણના ત્રીજા સોમવારે કરો આ ઉપાય



  • આ દિવસે ભોળાનાથને જળ અર્પણ કરવાની સાથે ચંદન, અક્ષત, બેલપત્ર, ધતુરા અને શમીના ફૂલ ચઢાવો. તેમને અર્પણ કરવાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થશે અને તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે.

  • 21 બિલીપત્ર પર સફેદ ચંદનથી 'ઓમ નમઃ શિવાય' લખીને શિવલિંગ પર ચઢાવો. આ ઉપાય તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.

  • પાણીમાં દૂધ અને કાળા તલ નાખીને શિવલિંગનો અભિષેક કરો. તેનાથી રોગો દૂર થાય છે.

  • જો તમે શિવલિંગને પાણીની જગ્યાએ દૂધ અથવા અન્ય કોઈ વસ્તુથી સ્નાન કરાવવા ઈચ્છો છો, તો તમે તે પણ કરી શકો છો, પરંતુ તે પછી તમારે શિવલિંગ પર પુષ્કળ સ્વચ્છ જળ પણ ચઢાવવું પડશે, નહીં તો તમારી પૂજા અધૂરી માનવામાં આવશે.

  • આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. સાથે જ આ મંત્રનો જાપ કરવાથી તમારી બધી પરેશાનીઓ અને મૃત્યુ દોષ પણ દૂર થઈ જશે.

  • આ દિવસે શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચઢાવો. આમ કરવાથી મહાદેવની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

  • શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ ચઢાવો. તેનાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે અને લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે.

  • શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવને ઘી, ખાંડ અને ઘઉંના લોટથી બનેલો પ્રસાદ ચઢાવો.આ પછી ધૂપ, દીપથી આરતી કરો અને પ્રસાદને બધા લોકોમાં વહેંચો.આ ઉપાય કરવાથી તમને ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તમને અપાર સંપત્તિ મળશે.




Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.