Vastu Tips For Bedroom: વાસ્તુશાસ્ત્રમાં દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. બેડરૂમમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી દાંપત્ય જીવનમાં સુખ આવે છે. મધુર સંબંધ માટે બેડરૂમનું વાતાવરણ પણ સારું હોવું જોઈએ. જો પતિ-પત્ની વચ્ચે ઝઘડાની સમસ્યા હોય તો બેડરૂમમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. એવું માનવામાં આવે છે કે બેડરૂમમાં વાસ્તુ દોષ હોવાના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે.


બેડરુમ માટે વાસ્તુ ટિપ્સ


બેડરૂમમાં પલંગ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. આ શુભ દિશામાં પલંગ રાખવાથી વ્યક્તિના જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. પલંગ લાકડાનો બનેલો હોવો જોઈએ. લોખંડ કે સ્ટીલનો પલંગ રાખવાથી ઘર નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે.  


વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમની દિવાલોનો રંગ ઘાટો ન હોવો જોઈએ. દિવાલોનો રંગ આછો ગુલાબી, લીલો અથવા ભૂરો હોવો જોઈએ. બેડની સામેની દિવાલ પર અરીસો ન લગાવો. જો તમે બેડરૂમમાં ઓછામાં ઓછી વસ્તુઓ રાખો છો, તો તમને શાંત ઊંઘ આવશે અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.  


માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો અનુસાર, વાસ્તુના સિદ્ધાંતો તમારા બેડરૂમમાં પથારીને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવાની ભલામણ કરે છે, જેથી તમારા પગ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રહે. પથારીને રૂમમાં કોઈ ખૂણામાં રાખવાને બદલે મધ્યમાં રાખવી જોઈએ.


બેડરૂમમાં મંદ પ્રકાશ હોવો જોઈએ. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે. દિવાલ પર લેન્ડસ્કેપ અથવા દરિયો દર્શાવતું કોઈ પેઈન્ટિંગ હોવું જોઈએ અને હિંસા કે હિંસક પ્રાણીઓને દર્શાવતું પેઈન્ટિંગ બિલકુલ ન રાખવું જોઈએ.            
  
આ સિવાય લડાઈ ઝઘડાના ફોટા ભૂલથી પણ ન રાખવા જોઈએ. તેના બદલે તમે પ્રકૃતિ સાથે જોડાયેલી તસવીર મૂકી શકો છો. 
 
બેડરૂમમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગંદા બેડરૂમના લગ્ન જીવન પર ખરાબ અસર પડે છે. તેથી બેડરૂમ હંમેશા સાફ રાખવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે. 


Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.