Vastu Tips for Attached Bathroom:  વાસ્તુ અનુસાર ઘરમાં બાથરૂમનું ઘણું મહત્વ છે. વાસ્તુ ટિપ્સ મુજબ, બાથરૂમ માટે વાસ્તુ આયોજન પર ઓછું ધ્યાન આપવાથી નાણાકીય અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નુકસાન થઈ શકે છે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા અને અશુભ શુકન લાવી શકે છે.

Continues below advertisement

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં બાથરૂમ-ટોયલેટ બનાવવા માટેના પણ નિયમો છે

વાસ્તુશાસ્ત્ર એ આર્કિટેક્ચરનું એક પ્રાચીન, પરંપરાગત વિજ્ઞાન છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં બાથરૂમ-ટોયલેટ બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો આપવામાં આવ્યા છે. ખાસ કરીને એટેચ્ડ બાથરૂમ-ટોયલેટના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો જીવન નકારાત્મકતાથી ભરાઈ જાય છે. જો તમે પણ ઘરમાં અટેચ બનાવવા માંગો છો અથવા તમારા રૂમ સાથે બાથરૂમ જોડાયેલું છે, તો તમારે ઘણી સાવચેતી રાખવી જોઈએ. જો તમે સાવચેતી ન રાખો તો વાસ્તુ અનુસાર તમને આર્થિક નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ તે ઉપાયો શું છે.

Continues below advertisement

  • સામાન્ય રીતે, આજકાલ ઘરોમાં અટેચ્ડ બાથરૂમ બનાવવામાં આવે છે. તેનાથી પતિ-પત્નીના સંબંધો પર નકારાત્મક અસર પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂતી વખતે તમારા પગ બાથરૂમ તરફ ન રાખો, તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ વધી જાય છે.
  • સૂતી વખતે બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો. નહિંતર, લગ્ન જીવનમાં વિવાદ વધશે. ક્યારેક વાત એટલી વધી જાય છે કે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. તેની સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ આના કારણે બગડવા લાગે છે.
  • એટેચ્ડ બાથરૂમ પણ વાસ્તુ દોષનું કારણ બને છે. વાસ્તુ દોષોને દૂર કરવા માટે તમારા બાથરૂમમાં કાચનો બાઉલ રાખો અને તેમાં મીઠું ભરો. તેને એક અઠવાડિયા સુધી બાથરૂમમાં આમ જ રહેવા દો. આ પછી, તે મીઠું સિંકમાં ફ્લશ કરો અને પછી બાઉલમાં બીજું મીઠું ભરો.
  • આ ઉપાયથી બાથરૂમ સાથે જોડાયેલા વાસ્તુ દોષ દૂર થાય છે. કોઈ પણ બાથરૂમ હોય, તેની ટોયલેટ સીટ હંમેશા બંધ રાખવી જોઈએ, કારણ કે તેમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે, તેનાથી આર્થિક નુકસાન થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.