Vastu Tips for Sleeping: વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો વસ્તુઓ રાખતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં ન આવે અથવા તેને ખોટી દિશામાં રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે સૂતી વખતે તકિયા પાસે કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.


હિંદુ ધર્મમાં સાવરણી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી, તેને ક્યારેય ખોટી જગ્યાએ ન રાખવી જોઈએ અને રાત્રે સૂતી વખતે પલંગની નીચે સાવરણી રાખવી જોઈએ નહીં. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું.


તેના બદલે, તમે સાવરણીને એવી જગ્યાએ રાખી શકો છો જ્યાં કોઈ તેને જોઈ ન શકે. સાવરણી રાખવા માટે પણ ઉત્તર-પશ્ચિમ ખૂણો સારો માનવામાં આવે છે. સાથે જ સાવરણી ક્યારેય રસોડા, બેડરૂમ કે પૂજા રૂમની પાસે ન રાખવી જોઈએ. તેનાથી વ્યક્તિની સમસ્યાઓ વધી શકે છે.


આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે મોબાઈલ કે ઘડિયાળ જેવી કોઈપણ પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુ સાથે રાખીને સૂવું જોઈએ નહીં. આ સિવાય વ્યક્તિએ પોતાના અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે અખબાર અથવા પુસ્તક ઓશીકા પાસે રાખીને ન સૂવું જોઈએ, કારણ કે તેનાથી વ્યક્તિના જ્ઞાનનું અપમાન થાય છે.


કપડામાં થોડી ફટકડી બાંધીને ઓશિકા નીચે રાખવાથી ખરાબ સપનાની સમસ્યા દૂર થાય છે. એ જ રીતે, જો રાત્રે સૂતી વખતે તમારી આંખ અચાનક ડરના કારણે ખુલી જાય, તો તમે 5-6 નાની એલચીને તમારા ઓશિકા નીચે કપડામાં બાંધીને રાખી શકો છો. તમે રાત્રે સૂતા પહેલા તમારા પલંગ પાસે પાણીથી ભરેલું વાસણ પણ રાખી શકો છો.  


વાસ્તુ જાણકારો કહે છે કે રાત્રે સૂતા પહેલા તમારા માથા નજીક કેટલીક વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે. એટલું જ નહીં આ નિયમોનું ધ્યાન રાખવાથી મનને શાંતિ મળે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. 



Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.