Diwali 2022:દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ દૂજ સુધી લગભગ 5 દિવસ ચાલે છે. દિવાળીને દીપ ઉત્સવ પણ કહેવાય છે. અંધકાર પર પ્રકાશની જીત દર્શાવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.


દિવાળીના દિવસે વિવિધ ઉપાયો કરવામાં આવે છે જેનાથી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. દિવાળીના દિવસે દીવો પ્રગટાવવાની પરંપરા છે. દીવા સંબંધિત કેટલાક ઉપાયો અજમાવીને તમે તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.


દીપકના  ઉપાયો


દિવાળીની સાંજે દીવો કરતી વખતે દીવામાં ગાયનું ઘી નાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને બાળવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય  છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. એવી માન્યતા છે કે, દિવાળી પર દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દરિદ્રતા દૂર થાય છે.


દિવાળીના દિવસે દીવામાં લવિંગ નાખીને સળગાવી દો. જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દીવામાં લવિંગ નાખીને સળગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દીવો પૂજા ઘર અથવા હનુમાનજીના મંદિરમાં રાખો.


દિવાળી પર તલના તેલનો ઉપયોગ કરવો પણ શુભ માનવામાં આવે છે. જો તમે ગાયના ઘીનો દીવો પ્રગટાવી શકતા નથી, તો તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. તલનું તેલ ગ્રહદોષ દૂર કરે છે.


મોટા ભાગના ઘરોમાં દીવો પ્રગટાવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. દિવાળીના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ સંબંધિત દોષો દૂર થાય છે.


દિવાળી પર પંચ દીપમ તેલનો દીવો પ્રગટાવવાથી ઘરના સભ્યો સ્વસ્થ રહે છે. આ તેલનો દીવો પ્રગટાવવાથી સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે.


Vastu Tips: વાસ્તુ મુજબ તુલસી સહિત આ છોડને આંગણામાં વાવવાથી સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ


astu Shastra Lucky Plants For Home: વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ છે, જેના પ્રભાવથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.


      વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ છે, જેના પ્રભાવથી  મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.


વાસ્તુનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. કારણ કે જો આપણું ઘર  વાસ્તુ અનુસાર નિર્માણ પામેલ હોય તો  તો આપણા ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચાર બની રહે છે. જેના અનેક લાભ છે. તો . બીજી તરફ જો ઘર વાસ્તુ અનુસાર બનાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય આપવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે વાસ્તુ દોષોને દૂર કરી શકો છો. આ સાથે તમારા ધન અને સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે.


વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા પ્લાન્ટસ છે. જેના ઘરમાં લગાવવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે. જાણીએ એવા ક્યાં 4 પ્લાન્ટસ છે.









શમીઃ આ છોડ શમી દેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે લોકોની કુંડળીમાં શનિદોષ હોય તેવા લોકોએ પોતાના હાથે શનિનો છોડ લગાવવો જોઈએ. તેમજ તેની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ છોડને લગાવવાથી ઘરમાં ક્યારેય પૈસા અને ધનધાન્યની  કમી નથી આવતી અને  વાસ્તુ દોષો દૂર થાય છે. આ સાથે શનિ ગ્રહ પણ સકારાત્મક પરિણામ આપે છે.


હળદરઃ આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને મૂકવા માટે શ્રેષ્ઠ સ્થાન ઉત્તર અથવા પૂર્વ દિશા માનવામાં આવે છે. આ છોડની રોજ પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે.


મની ટ્રી અથવા બામ્બુ: તેને જેડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. તે દરવાજાની નજીકના પ્રવેશદ્વાર પર અંદરથી સ્થાપિત થયેલ હોવું જોઈએ. આ છોડને તડકામાં કે છાંયડામાં ગમે ત્યાં લગાવી શકાય છે. તે ધનને આકર્ષે છે અને ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.