Astro Tips: ચાંદીના ગ્લાસથી પાણી પીવાના ફાયદા જાણી આપ દંગ રહી જશો, થશે આ અદભૂત અસર

માનસિક શાંતિ એ માણસ માટે મૂલ્યવાન વસ્તુ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખરાબ હોય તો વ્યક્તિ માનસિક સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. તેને કેટલાક ઉપાયો દ્વારા ઘટાડી શકાય છે.

Continues below advertisement

Astro Tips : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં ચંદ્રની સ્થિતિ અશુભ હોય તો તે માનસિક તણાવનું કારણ બને છે. આ સિવાય રાહુ-કેતુ પણ તણાવ વધારવામાં ભૂમિકા ભજવે છે. આ તણાવ તેમજ મૂંઝવણ પેદા કરે છે. તેવી જ રીતે શનિની સાડાસાતી અને પનોતી  પણ વ્યક્તિના કામમાં અડચણો ઉભી કરે છે જેના કારણે તે પરેશાન રહે છે.

Continues below advertisement

 જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, વ્યક્તિનું સમગ્ર જીવન ગ્રહોની ગતિ અને સ્થિતિ પર નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં ગ્રહોની અશુભતાના કારણે વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ સ્ટ્રેસ, ડિપ્રેશન કે ચિંતા ઘટાડવા માટેના જ્યોતિષીય ઉપાયો.

જ્યોતિષી ઉપાય

ચાંદીના ગ્લાસમાં પાણી પીવોઃ માનસિક તણાવથી પીડાતા લોકોએ ચાંદીના ગ્લાસમાંથી પાણી પીવું જોઈએ. ડિપ્રેશન ઘટાડવાનો આ સૌથી સરળ ઉપાય છે, જેને વૈદિક જ્યોતિષમાં પણ ફળદાયી માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે, ચંદ્રને પાણીના તત્વ માટે જવાબદાર ગ્રહ પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચાંદીના વાસણમાં પાણી રાખવાથી ચંદ્ર બળવાન બને છે અને આ પાણીનું સેવન કરવાથી સકારાત્મક વિચાર અને ખુશી વધે છે.

ભગવાન શિવની પૂજા કરવીઃ ડિપ્રેશનની સ્થિતિમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તમે સોમવારે પણ વ્રત રાખી શકો છો. આનાથી તમને ઘણો ફાયદો થશે. ભગવાન શિવે ચંદ્રને પોતાના મસ્તકમાં બેસાડી રાખ્યો છે. ભગવાન શિવની કૃપાથી ચંદ્ર તમારો માનસિક તણાવ ઓછો કરશે.

ચાંદીનું કડું પહેરવુંઃ જે લોકો માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમણે સોમવારે જમણા હાથમાં ચાંદીનું બ્રેસલેટ પહેરવું જોઈએ. પરંતુ ખાતરી કરો કે તેમાં કોઈ સાંધા ન હોય.

આ મંત્રનો જાપ કરો (ઓમ નમઃ શિવાયનો જાપ):  શિવ મંત્ર એટલે કે ‘ઓમ નમઃ શિવાય’ નો દરરોજ 108 વાર જાપ કરવો પણ ડિપ્રેશનના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ડિપ્રેશન ઘટાડવા માટે આ એક ખૂબ જ સરળ જ્યોતિષીય ઉપાય છે, જે સકારાત્મક પરિણામો આપે છે.

માતા કે વડીલોનો આદર કરોઃ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર પણ માતાનો કારક હોય છે. આવી સ્થિતિમાં, ચંદ્રને મજબૂત રાખવા માટે, તમારે માતાનું સન્માન કરવું જોઈએ. જો તમારી માતા ન હોય તો નજીકની કોઈપણ વૃદ્ધ મહિલાનું સન્માન કરો. સોમવારે ચોખા, ખાંડ, દૂધ અથવા સફેદ મીઠાઈઓ પણ વહેંચો.

ધ્યાન: ડિપ્રેશનથી પીડિત લોકો માટે ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, જ્યારે પણ તમને સમય મળે ત્યારે દરરોજ પ્રાણાયામ અને ધ્યાન કરો. આ તમને તમારા વિચારોને નિયંત્રિત કરવામાં અને તમારા શરીર અને આત્માને આરામ આપીને તમારા મનને શાંત કરવામાં મદદ કરશે. ડિપ્રેશન ઉપરાંત ધ્યાન વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત આપે છે.                                                               

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola