Gansesh Chaturthi 2024: હિન્દુ ધર્મમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav)નું પર્વ ઘણું મહત્વ ધરાવે છે. વર્ષ 2024માં ગણેશ ઉત્સવની શરૂઆત 7 સપ્ટેમ્બર, 2024 શનિવારના દિવસથી થઈ રહી છે. આ દિવસે ગણેશ ચતુર્થી રહેશે અને આગામી 10 દિવસ એટલે કે અનંત ચતુર્દશી સુધી ગણેશજીની આરાધના કરવામાં આવશે. ગણેશજીના ભક્તો માટે આ સમય ખૂબ વિશેષ હોય છે અને ભક્તો સંપૂર્ણ ભાવના સાથે ગણપતિની આરાધના કરે છે અને તેમને પોતાના ઘરે લાવે છે.


જો તમારા ઘરમાં પણ ગણેશજી બિરાજમાન હોય તો કેટલીક બાબતોનું વિશેષ રૂપે ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. કેટલીક વસ્તુઓને ગણેશજીની પૂજા દરમિયાન ઘરમાં લાવવી નિષેધ હોય છે. જાણીએ કઈ છે તે વસ્તુઓ.


ઘરમાં ગણપતિ સ્થાપિત હોય તો આ કામ ન કરો


સફેદ રંગ ગણેશજીને ન અર્પણ કરો


ગણેશજીને સફેદ રંગની કોઈ પણ વસ્તુ અર્પણ ન કરો. જેમ કે સફેદ રંગના ફૂલ, સફેદ જનોઈ, સફેદ ચંદન કે સફેદ વસ્ત્ર.


સાફ સફાઈનું ધ્યાન રાખો


ગણેશજીને સ્થાપિત કરતા પહેલા ઘરની સાફ સફાઈ સારી રીતે કરો, તેમને સ્થાપિત કરવાના સ્થાન પર ગંદકી ન હોય.


માંસ મદિરાથી દૂર રહો


આ સમય દરમિયાન ઘરમાં માંસ મદિરા લાવવું વર્જિત હોય છે અને જો તમારા ઘરમાં ગણેશજી સ્થાપિત હોય તો આ દિવસોમાં આ વસ્તુઓનું સેવન પણ ન કરો અને ન તો ઘરમાં લાવો.


નશાથી સંબંધિત વસ્તુઓ ઘરમાં ન રાખો


આ દરમિયાન ઘરમાં નશાથી સંબંધિત વસ્તુઓ બિલકુલ ન રાખો. જો રાખી હોય તો તેમને તરત જ ઘરની બહાર કરી દો. ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશ આપણા ઘરમાં બિરાજમાન રહે છે. આ દરમિયાન આપણે કોઈ પણ એવું કામ નહીં કરવું જોઈએ જેનાથી ભગવાનને કષ્ટ થાય કે ભગવાનને નાપસંદ હોય.


ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ


Ganpati Sthapana Muhurat 2024: ગણેશ ચતુર્થી પર સ્થાપનાના 3 શુભ મુહૂર્ત, સામગ્રી, પૂજા વિધિ, ભોગ વિશે જાણો