Ganpati Chaturthi 2024: ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે 7 સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશ ચતુર્થી (Ganesh chaturthi)નો તહેવાર ઉજવવામાં આવશે. દેશભરમાં આ દિવસે બાપ્પાની શુભ મુહૂર્તમાં સ્થાપના કરવામાં આવશે. માન્યતા છે કે મૂર્તિ સ્થાપના શુભ મુહૂર્તમાં અને સૂર્યાસ્ત પહેલાં કરી લેવી જોઈએ, આનાથી ઘર પરિવાર પર ગૌરી પુત્ર ગજાનનની કૃપા દૃષ્ટિ બની રહે છે.


ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી 10 દિવસ બાપ્પાની પૂજા, આરતી કરવી જોઈએ. જાણો ગણેશ ચતુર્થી પર ગણપતિની સ્થાપના (Ganesh sthapana muhurat)ના શુભ મુહૂર્ત, સ્થાપનાની વિધિ, ભોગ અને મંત્ર.


ગણેશ ચતુર્થી પર સ્થાપના મુહૂર્ત (Ganesh Chaturthi 2024 Sthapana muhurat)


ગણેશ ચતુર્થી પર બાપ્પાની સ્થાપના માટે 3 શુભ મુહૂર્ત બની રહ્યા છે. ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 03.01 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 05.37 વાગ્યા સુધી રહેશે.



  • ગણેશજી સ્થાપના મુહૂર્ત -  સવારે 36 -  સવારે 09.10

  • મધ્યાહ્ન કાળ મુહૂર્ત -  બપોરે 03 - બપોરે 01.34

  • ત્રીજું શુભ મુહૂર્ત -  બપોરે 53  - બપોરે 03.27


મૂર્તિ સ્થાપના માટે આ છે સૌથી શુભ સમય


ગણેશ પુરાણ અનુસાર ગણપતિનો જન્મ ચતુર્થી તિથિ અને ચિત્રા નક્ષત્રમાં મધ્યાહ્ન કાળ, એટલે કે દિવસના બીજા પહોરમાં થયો હતો. 7 સપ્ટેમ્બરે આ શુભ કાળ સવારે 11.20 વાગ્યેથી શરૂ થઈ રહ્યો છે.


ગણેશ ચતુર્થી પૂજા સામગ્રી (Ganesh Chaturthi Puja samagri)


માટીના ગણેશજીની પ્રતિમા, કુમકુમ, હળદર, અક્ષત, સોપારી, સિંદૂર, ગુલાલ, લવિંગ, જનોઈ, લાલ રંગનું વસ્ત્ર, પૂજાની ચોકી, ચોકી પર બિછાવવાનું પીળું કપડું, દૂર્વા, કપૂર, પંચમેવા, દીપક, ધૂપ, પંચામૃત, મૌલી, ફળ, ગંગાજળ, કળશ, ફળ, નાળિયેર, ચંદન, કેળું, ફૂલમાળા, આંબાના પાન, અષ્ટગંધ.


ગણેશ ચતુર્થી પર સ્થાપના વિધિ (Ganesh Chaturthi Sthapana Vidhi)



  • ગણેશ ચતુર્થી પર સૂર્યોદય પહેલાં સ્નાન કરીને ધોયેલાં કપડાં પહેરો. જ્યાં મૂર્તિ સ્થાપના કરવાની છે ત્યાં સફાઈ કરીને વ્રતનો સંકલ્પ લો

  • શુભ મુહૂર્તમાં પૂજાની ચોકી પર પીળું કપડું બિછાવીને ચોખા રાખો. ચોકી પર જમણી બાજુ કળશ સ્થાપિત કરો. કળશમાં બ્રહ્માંડના દેવી દેવતા વિરાજમાન થાય છે.

  • હવે ચોકી પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો.

  • મૂર્તિ પર આંબાના પાનથી જળ અને પંચામૃત થોડું છાંટો. હવે તેમને જનોઈ પહેરાવો. પૂજાની બધી સામગ્રી અર્પણ કરો.

  • મોદક, લાડુનો ભોગ ધરાવો. ગણેશ ચાલીસા, ગણેશ સ્તોત્રનો પાઠ કરો અને ધૂપ દીપ જલાવીને આરતી કરો. આ રીતે સાંજે પણ આરતી કરો.


ગણેશજીના પ્રિય ફૂલ (Ganesh ji flower) - મલ્લિકા, જાતી, ગુલાબ, ચંપા, ગેંદા, કમળ અને કનેરના ફૂલ પ્રિય છે. આ ચઢાવો.


ગણેશજીના પ્રિય પાન - દૂર્વા, ધતૂરા, આંક, બીલીપત્ર, શમી પત્ર, કેળું, કનેર


ગણેશજીના પ્રિય ભોગ -  મોદક, લાડુ, મખાનાની ખીર, કેળું, માલપુઆ, નાળિયેર


ગણેશજીના મંત્ર (Ganesh ji Mantra)



  • ૐ શ્રી ગણેશાય નમઃ

  • ૐ ગં હેરમ્બાય નમઃ

  • ૐ ગં ધરણીધરાય નમઃ

  • ૐ ગં મહાગણપતયે નમઃ

  • ૐ ગં લક્ષપ્રદાય નમઃ


અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.