Ganesh Ustav: દરેક ઘરમાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. છે. બધા ગણપતિ બાપ્પાને ઘરે આમંત્રિત કરે છે અને બાપ્પાની સેવા પૂજા કરે છે. આ વર્ષે આ પર્વ 7 સપ્ટેમ્બરે શરૂ થયું અને 17 સપ્ટેમ્બરે પૂર્ણ થશે એટલે કે 17 સપ્ટમ્બરે અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે ટૂંકમાં ગણેશ ઉત્સવ અનંત ચતુર્દશી સુધી ચાલશે. જો કે ગણેશ સ્થાપનાની સાથે વિસર્જનની પણ એક પૌરાણિક ગાથા છે. જાણીએ કેમ જળમાં વિસર્જિત કરાઇ છે મૂર્તિ, એક તરફ જ્યાં ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ગણેશની સ્થાપના કરવામાં આવે છે ત્યાં અનંત ચતુર્દશીના દિવસે તેમના દેવતા જળાશય, નદી કે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. જાણો શા માટે આવું કરવામાં આવે છે.
પૌરાણિક માન્યતા અનુસાર, મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના માટે ગણેશજીનું આહ્વાન કર્યું હતું. તેમણે તેમને મહાભારત લખવા વિનંતી કરી. ગણેશજીએ તેમની પ્રાર્થના સ્વીકારી પણ તેમણે એક શરત મૂકી કે 'જ્યારે હું લખવાનું શરૂ કરીશ, ત્યારે હું કલમ બંધ નહીં કરું, જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરીશ'. ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે પ્રભુ તમે દેવતાઓમાં અગ્રિમ છો, જ્ઞાન અને બુદ્ધિના દાતા છો અને હું એક સરળ ઋષિ છું. જો હું કોઈ શ્લોકમાં ભૂલ કરું તો તમારે તે શ્લોક સુધારીને લખવો પડશે.
ગણપતિજીએ તેમની સંમતિ આપી અને લેખન કાર્ય દિવસ-રાત ચાલુ થયું અને આ કારણે ગણેશજીને થાકવું પડ્યું, પરંતુ તેમને પાણી પીવાની પણ મનાઈ હતી. તેથી, ગણપતિજીના શરીરનું તાપમાન વધી ગયું. તેથી વેદ વ્યાસે તેમના શરીર પર માટી લગાવી અને ભાદ્રપદ શુક્લ ચતુર્થીના રોજ ગણેશજીની પૂજા કરી. માટીનો લેપ સુકાયા બાદ ગણેશજીનું શરીર જકડાઈ ગયું, તેથી જ ગણેશજીને પાર્થિવ ગણેશ નામ મળ્યું.
જ્યારે વેદ વ્યાસે જોયું કે ગણપતિના શરીરનું તાપમાન હજુ પણ ઘણું વધારે છે અને તેના શરીર પરની માટી સુકાઈ રહી છે અને પડી રહી છે, ત્યારે વેદ વ્યાસે તેને જળમાં અર્પણ કર્યાં. આ દસ દિવસો દરમિયાન વેદ વ્યાસે ગણેશજીને ખાવા માટે વિવિધ વસ્તુઓ આપી. તેથી ગણેશ ચતુર્થી પર ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી મન, વચન, કાર્ય અને ભક્તિથી તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે.
આ પણ વાંચો