Navratri puja: નવરાત્રીમાં અષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ દિવસ મહાગૌરીને સમર્પિત છે. જાણીએ માની કઇ રીતે પૂજન કરવાથી મા સુખ,શાંતિ એશ્નર્યનું વરદાન આપે છે. 


મહાગૌરીની કથા


શિવપુરાણ અનુસાર, મહાગૌરીને આઠ વર્ષની ઉંમરે તેમના પાછલા જન્મની ઘટનાઓ વિશે જાણ થઈ હતી. તેણે આ ઉંમરથી જ ભગવાન શિવને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા હતા અને શિવને પતિ તરીકે મેળવવા માટે તપસ્યા પણ કરી હતી અને તેનો વર્ણ સૂર્ય પ્રકાશના કાણે ગૌર થઇ ગયો હતો તેથી તેથી તે મહાગૌરીથી પૂજાયા. , અષ્ટમી તિથિ પર મહાગૌરીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે દુર્ગા સપ્તશતીના મધ્યમ ચરિત્રનો પાઠ કરવો વિશેષ ફળદાયી છે. જે લોકો 9 દિવસ સુધી વ્રત રાખી શકતા નથી તેઓને પ્રથમ અને આઠમા દિવસે ઉપવાસ કરવાથી 9 દિવસનું ફળ મળે છે.


દેવી ભાગવત પુરાણ અનુસાર, મહાગૌરીનો વર્ણ ગૌર  છે અને તેના વસ્ત્રો અને આભૂષણો પણ સફેદ રંગના છે. માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે, જે ભગવાન શિવનું વાહન પણ છે. માતાનો જમણો હાથ અભયમુદ્રામાં છે અને નીચેના હાથમાં દુર્ગાની શક્તિનું પ્રતીક ત્રિશૂલ છે. મહાગૌરીના ઉપરના હાથમાં શિવનું પ્રતીક ડમરુ છે. ડમરુ ધારણ કરવાને કારણે માતાને શિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાનો નીચેનો હાથ સિંદૂરમાં છે માતા શાંત મુદ્રામાં જોવા મળે છે. દેવીના આ સ્વરૂપને પ્રાર્થના કરતાં દેવતાઓ અને ઋષિઓ કહે છે.


 


सर्वमंगल मंग्ल्ये, शिवे सर्वार्थ साधिके।
शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोस्तुते।।


ધન અને વૈભવની અધિષ્ઠાત્રી દેવી છે મહાગૌરી


મા મહાગૌરી તેમના ભક્તો માટે અન્નપૂર્ણાનું સ્વરૂપ છે. તે સંપત્તિ, સમૃદ્ધિ અને સુખ અને શાંતિની પ્રમુખ દેવી છે. લૌકિક સ્વરૂપમાં તેમનું રૂપ અત્યંત તેજસ્વી, કોમળ, છે. દેવી મહાગૌરી ગાયન અને સંગીતના શોખીન છે અને તે સફેદ વૃષભ એટલે કે બળદ પર સવાર છે. આ દિવસે કન્યાની પૂજા કરવાનું વિધાન  છે. કેટલાક લોકો નવમીના દિવસે પણ કન્યાની પૂજા કરે છે, પરંતુ અષ્ટમીના દિવસે કન્યાની પૂજા કરવી શ્રેષ્ઠ છે. જો કન્યાઓની સંખ્યા 9 હોય, તો તે ખૂબ જ સારું છે, નહીં તો એકી સંખ્યામાં પૂજા  થઈ શકે છે. અષ્ટમીના દિવસે નારિયેળ ચઢાવવાની પરંપરા છે. ભોગ ચઢાવ્યા પછી પ્રસાદના રૂપમાં નારિયેળ વહેંચો. સાથે જ જે ભક્ત કન્યાનું પૂજન કરે છે તેને ખીર-પુરી, શાક અને કાળા ચણાનો પ્રસાદ આપવો જોઇએ


મહાગૌરી પૂજા વિધિ


સૌથી પહેલા બાજોઠ  પર માતા મહાગૌરીની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. આ પછી, ગંગા જળ અથવા ગૌમૂત્રથી શુદ્ધ કરો.


માટીના વાસણમાં પાણી ભરીને તેના પર નારિયેળ મૂકીને કલશની સ્થાપના કરો. શ્રી ગણેશ, વરુણ, નવગ્રહ, ષોડશ માતૃકા (16 દેવીઓ), સપ્ત ઘૃત માતૃકા (સાત સિંદૂર ટપકાં) ની સ્થાપના કરો.


આ પછી વૈદિક અને સપ્તશતી મંત્રો દ્વારા માતા મહાગૌરી સહિત તમામ સ્થાપિત દેવી-દેવતાઓની પૂજા કરો


જેમાં આહ્વાન, આસન, પદ્ય, અધ્યાય, આચમન, સ્નાન, વસ્ત્ર, શુભ સૂત્ર, ચંદન, રોળી, હળદર, સિંદૂર, દુર્વા, બિલ્વપત્ર, આભૂષણ, ફૂલ-હાર, સુગંધિત પદાર્થ, ધૂપ-દીપ, - નૈવેદ્ય, ફળ. , સોપારી, દો દક્ષિણા, આરતી, પ્રદક્ષિણા, મંત્ર પુષ્પાંજલિ બાદ   વિધિ બાદ  પ્રસાદ વહેંચીને પૂજા પૂર્ણ કરો.


જો તમારા ઘરમાં અષ્ટમીની પૂજા થાય છે, તો તમે પૂજા પછી બાળકીની પૂજા શકો છો. તે શુભ ફળ આપનાર માનવામાં આવે છે.