Sawan Shaniwar 2023: શ્રાવણ માસમાં આવતા શનિવારનું વિશેષ મહત્વ છે. 26 ઓગસ્ટે સાવન  બીજો  શનિવાર છે. આ દિવસ  શનિ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિદોષમાંથી મુક્તિ મેળવવા માટે  શ્રાવણનો આ શનિવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભોલેનાથની  સાથે શનિના કેટલાક ઉપાય કરવાથી શનિદેવની અશુભ અસર ઓછી કરી શકાય છે.  ચાલો જાણીએ કે, શ્રાવણના  છેલ્લા શનિવારે તમારે કયા ઉપાય કરવા જોઈએ.


શ્રાવણના બીજા શનિવારે કરો આ ઉપાય                                     


શ્રાવણ બીજા શનિવારે શનિદેવ પૂજા કરવાથી  વિશેષ લાભ થશે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની અશુભ અસર ઓછી થાય છે.


શનિવારના દિવસે શિવ ઉપાસના વિશેષ ફળદાયી છે. આ દિવસે કપડા, ચંપલ-ચપ્પલ કે અન્ય જરૂરી વસ્તુઓનું દાન જરૂરિયાતમંદ લોકોને કરવાથી શનિદોષ ઓછો થાય છે. આ દિવસે  રવિ યોગનો સંયોગ પણ છે. આ શુભ સંયોગમાં કરેલા કાર્યો સફળ થાય છે.


શનિદેવ ઉપરાંત શ્રાવણ માસમાં આવતા શનિવારે હનુમાનજી અને ભગવાન નરસિંહની પૂજા કરવાની પણ વિધિ છે. તેમની પૂજા કરવાથી દાનના પુણ્ય ફળની વૃદ્ધિ થાય છે. સ્કંદ પુરાણ અનુસાર, શ્રાવણન મહિનાના શનિવારે આ ત્રણેય દેવતાઓની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.


શનિવારના દિવસે હનુમાનજી અને શનિદેવનો વિશેષ અભિષેક તેલથી કરવો જોઈએ. પિતૃદોષ પણ આ સાથે સમાપ્ત થાય છે. સાથે જ ભગવાન નરસિંહની વિશેષ પૂજા કર્યા પછી બ્રાહ્મણોને તલથી બનેલું ભોજન કરાવવું જોઈએ. તેનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.


ભગવાન શિવને શનિદેવના ગુરુ પણ માનવામાં આવે છે. શિવજીએ શનિદેવને ન્યાયાધીશનું પદ આપ્યું હતું, જેના પરિણામે શનિદેવ મનુષ્યને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિદેવની સાથે શિવની  પૂજા શ્રાવણ માસમાં કરવાથી શુભ ફળ મળે છે.


આ દિવસે ભગવાન શિવના અવતાર પિપ્પલાદ, ભૈરવ અને રુદ્રાવતાર હનુમાનજીની પૂજા કરવાથી શનિની અશુભ અસર ઓછી થાય છે. આ દિવસે જરૂરિયાતમંદોને કપડાં, ભોજન અને ચંપલનું દાન કરવું જોઈએ. આનાથી જાણ્યે-અજાણ્યે કરેલા પાપોનો અંત આવે છે.