Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસિપી ટ્રાય કરો. તો જાણીએ  ફરાળી પનીર પકોડાની રેસિપી


ફરાળી પકોડા બનાવવા માટેની સામગ્રી



  • પનીર - 400 ગ્રામ

  • સામો  - ½ કપ (100 ગ્રામ) (પલાળેલા અને પીસેલા)

  • શિંગોળાનો લોટ  લોટ - ¼ કપ (40 ગ્રામ)

  • લીલા ધાણા - 2 ચમચી (બારીક સમારેલી)

  • લીલું મરચું - 1 (બારીક સમારેલ)

  • કાળા મરી પાવડર - 1/2 ચમચી

  • રોક સોલ્ટ - 1 ચમચી અથવા સ્વાદ મુજબ

  • તેલ - પકોડા તળવા માટે

  • બારીક સમારેલ કોથમીર


પકોડા બનાવવાની રીત


પકોડા બનાવવા માટે સામાને સારી રીતે ધોઈને સ્વચ્છ પાણીમાં પલાળી દો. આ પછી  સાંમાથી વધારાનું પાણી કાઢી લો અને તેને મિક્સર જારમાં નાખીને પીસી લો.એક વાસણમાં પીસેલા ચોખાને નાખો અને  તેમાં શિંગોલાનો  લોટ ઉમેરો અને પકોડાના બેટર તૈયાર કરવા પાણી ઉમેરો બાદ બેટર તૈયાર કરો.                                                                


આ મિશ્રણમાં ¼ ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી રોક મીઠું, બારીક સમારેલા લીલા મરચા, બારીક સમારેલી લીલા ધાણા ઉમેરો અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી બધું મિક્સ કરો. તૈયાર છે પકોડા માટેનું બેટર.


હવે પનીરને એવી રીતે કાપો કે તે નીચેના એક ભાગથી જોડાયેલું રહે હવે તેમાં થોડો સ્ટફ ભરી દો. બાદ તેલને ધીમ આંચ પર ગરમ કરો, બાદ પનીરના ટૂકડાને બેટરમાં ઝબોળીને તેને તળી લો. તૈયાર છે ફરાળી પનીર પકોડા. ગરમ ગરમ પનીર પકોડાને  ગ્રીન ચટણી સાથે સર્વ કરો.