Vastu Tips:વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે. કહેવાય છે કે બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.


વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે.  કહેવાય છે કે, બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી થઇ જાય  છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તબિયત બગડવા પાછળ ઘણા કારણો છે, જેમાંથી એક છે વાસ્તુ દોષ. ઘરમાં રહેલા વાસ્તુ દોષોને કારણે પણ વ્યક્તિ રોગગ્રસ્ત બને છે.  વાસ્તુ અનુસાર ઘરમાં ખોટી જગ્યાએ દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશા કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલી રહે છે. ઉપરાંત, તે રોગમાંથી સાજા થવામાં સક્ષમ નથી.


આ જગ્યાએ ક્યારેય દવાઓ ન રાખો
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું માનવું છે કે, ઘરના ઉત્તર અને પશ્ચિમ ખૂણામાં દવાઓ રાખવાનું ટાળો. આ દિશામાં દવાઓ રાખવાથી દવાઓ ખૂબ જ ધીમી અસર કરે છે. બીજી તરફ, દવાઓને દક્ષિણ-પૂર્વ અથવા દક્ષિણ દિશામાં રાખવાથી તમે ક્યારેય સ્વસ્થ નહીં રહો. રસોડામાં અને ખાસ કરીને પ્લેટફોર્મ પર દવાઓ રાખવાથી વ્યક્તિ જીવનભર કોઈને કોઈને કોઇ  રોગથી પીડિત રહે છે.


દવાઓ રાખવા માટે આ યોગ્ય જગ્યા છે
વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે, તમારે હંમેશા તમારી દવાની પેટી ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે અહીં ફર્સ્ટએડ બોક્સ પણ રાખવો વધુ યોગ્ય છે. . અહીં દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે અને  જલ્દી સ્વસ્થ થઈ જાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.