Diwali Pooja Shubh Muhurat: દિવાળીમાં લક્ષ્મી પૂજાનું જેટલું મહત્વ છે. તેટલું જ  શુભ મુહૂર્તનું પણ છે. ધન અને વૈભવની દેવી મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વધુ ફળદાયી રહે છે. કોશિશ કરવી જોઇએ કે મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં જ કરવામાં આવે. જાણીએ આજના દિવસ પૂજા માટે ક્યું છે શુભ મુહૂર્ત


આ છે સૌથી શ્રેષ્ઠ પૂજા મુહૂર્ત


આજના દિવસે લક્ષ્મી પૂજા કરવા માટે સૌથી શ્રેષ્ઠ સમય સાંજે 6.10 મિનિટથી લઇને રાતે 8.06 મિનિટ સુધી છે. આજના દિવસે લક્ષ્મી અને ગણેશ ભગવાનની પૂજા કરે. તેને ભોગ લગાવો અને ઘીના દીપક પ્રગટાવો.


 દીવાળી પૂજા માટેના અલગ-અલગ શુભ મુર્હત ક્યાં છે જાણો



  • સવારે 9:00 થી 1.27 સુધી

  • સવારે 11:20થી બપોરે 1.27 સુધી

  • બપોરે 250 થી સાજે 4:20 સુધી

  • સાંજે 5:34 થી 8:10  સુધી

  • રાત્રે 11:40 થી 12:31 સુધી


દિવાળીમાં લક્ષ્મી પૂજન કેમ?


જીવનના અંધારના દૂર કરીને જિંદગીમાં પ્રકાશ પાથરતું ઉજાસનું પર્વ એટલે દિવાળી, દિવાળીમાં મહાલક્ષ્મીની પૂજાનું વિશેષ માહાત્મય છે. . ભાગવત અને વિષ્ણુધર્મોત્તર પુરાણ મુજબ  સમુદ્ર મંથન દરમિયાન  આસો મહિનાની અમાસ તિથિએ લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં અને આજ દિવસે વિષ્ણુ ભગવાન સાથે મહાલક્ષ્મીના લગ્ન થયા હતા. દિવાળીના દિવસે મહાલક્ષ્મીની પૂજાનું વિશેષ માહાત્મય છે. તો દિવાળીના દિવસભર લક્ષ્મી પૂજા માટે ક્યાં ક્યાં મૂહૂર્ત શુભ છે જાણીએ....


જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે દિવાળીના દિવસે તુલા રાશિમાં ચાર ગ્રહોના આવવાથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. તેથી જ્યોતિષ મુજબ  આ દિવસે કરવામાં આવતી પૂજા અચૂક  શુભ મળે છે.શુભ મૂહૂર્તમાં પૂજા કરવાની સાથે બધી જ સામગ્રીને પણ પહેલાથી તૈયારી કરી લો, ફળ, મેવા, મીઠાઇ સિવાય જે પણ સામાન હોય એ આ પૂજા માટે જરૂરી હોય છે. આ સિવાય શેરડી, કૈથા, અમરરખ, કમલ, ફુલ, આંબલી અને રીંગણી  ફૂલની માળા, ગણેશ લક્ષ્મીને રીંગણી ફુલની માળા અવશ્ય અર્પણ કરો