ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 29  કેસ નોંધાયા છે. બીજી તરફ 19  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૩૫૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 1,84,951 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા  કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશન 4, જૂનાગઢ 3, ગાંધીનગર કોર્પોરેશન 2, સુરત 2, જામનગર – કચ્છ – મહેસાણા – રાજકોટ કોર્પોરેશન  અનેવલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 209 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 204 નાગરિકો સ્ટેબલ છે. 8,16,357 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  પણ મોત થયું નથી. આજે 1,84,951 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1488 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6199 નાગરિકોને રસીનો પ્રથમ અને 41741 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19231 નાગરિકોને રસીનો પ્રથમ અને 116288 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 1,82,951 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,15,13,328 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોપોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂવમ દ્વારકા, ગાાંધીનગર, ગીર સોમનાથ, જામનગર કોપોરેશન, જુનાગઢ કોપોરેશન, ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરામાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો હતો.