Navratri Fasting 2025: નવરાત્રી દરમિયાન નવ દિવસનો ઉપવાસ શરીરને ડિટોક્સિફાય કરવા, પાચનતંત્રને આરામ આપવા અને મનની શાંતિ મેળવવાનો  એક શ્રેષ્ઠ અવસર છે. જોકે, ઉપવાસ દરમિયાન સાચા અને ખોટા ખોરાકની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરાબ ખાવાથી થાક, નબળાઈ અને ઉર્જાનો અભાવ થઈ શકે છે. તેથી, શું ટાળવું અને શું ખાવું તે જાણવું મહત્વપૂર્ણ છે.

Continues below advertisement

વ્રત દરમિયાન ખાઓ આ ચીજો

ફળો અને શાકભાજી: કેળા, સફરજન, પપૈયા, શક્કરીયા, દૂધી અને કોળા. આ ઉર્જા પૂરી પાડે છે અને પાચનમાં મદદ કરે છે.

Continues below advertisement

આખા અનાજ: ક્ટૂનો લોટ, સાબુદાણાનો ઉપયોગ કરણ કરી શકાય છે. જેનાથી પેટ ભરેલું રહે છે.

પ્રોટીન: મગફળી, મગની દાળ, નારિયેળ અને દહીં. આ વાળ, ત્વચા અને સ્નાયુઓ માટે જરૂરી છે.

બદામ અને સીડ્સ : બદામ, અખરોટ, તલ અને સૂર્યમુખીના બીજ. આ લાંબા સમય સુધી ઉર્જા જાળવી રાખે છે.

વ્રતમાં આ ચીજોથી બચો

પેકેજ્ડ નાસ્તા, ખારા નાસ્તા અને જંક ફૂડ. આ ઉપવાસને ભારે બનાવી શકે છે અને પાચનને અસર કરી શકે છે.

ચા, કોફી  ડિહાઇડ્રેશન અને થાકનું કારણ બની શકે છે.

માંસ, માછલી અને ઈંડા. આ ઉપવાસના ધાર્મિક નિયમોની વિરુદ્ધ છે અને પાચનને પણ અસર કરે છે.

વધુ પડતા મસાલા અને તળેલા ખોરાક. આ પેટમાં ભારેપણું અને એસિડિટીનું કારણ બની શકે છે.

સ્વસ્થ નાસ્તો અને પીણાં

ઉપવાસ દરમિયાન હળવા અને ઉર્જા આપનારા નાસ્તા પસંદ કરો.

સાબુદાણાની ખીચડી અથવા ઉપમા ખાઓ.

લીંબુ પાણી અને નાળિયેર પાણી પીઓ.

કિસમિસ, બદામ અને અખરોટ ખાઓ.

હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી

ઉપવાસ દરમિયાન પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દિવસભર ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવો.

નવરાત્રિ દરમિયાન યોગ્ય રીતે ઉપવાસ કરવો એ માત્ર ધાર્મિક જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ફળો, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો અને જંક ફૂડ, વધુ પડતા મસાલા અને તળેલા ફૂડ લેવાનું  ટાળો. યોગ્ય ખાવાથી તમે નવ દિવસ સુધી સ્વસ્થ અને ઉર્જાવાન રહી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો