Bihar EV Policy: દેશભરમાં ઈલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારો સતત નવી યોજનાઓ લાવી રહી છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને પ્રદૂષણની સમસ્યાને જોતા હવે રાજ્ય સરકારો લોકોને EV એટલે કે ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ દિશામાં બિહાર સરકારે પણ મોટો નિર્ણય લીધો છે. નવી EV પોલિસી હેઠળ હવે મહિલાઓને ઈલેક્ટ્રિક કાર ખરીદવા પર 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. આ સાથે ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં પણ મોટી છૂટ મળશે.

Continues below advertisement

 

બિહાર સરકારે બિહાર ઈલેક્ટ્રિક વાહન (સુધારા) નીતિ 2026 ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારનો ઉદ્દેશ્ય રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો, પ્રદૂષણ ઘટાડવું અને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓને ઈલેક્ટ્રિક ફોર-વ્હીલર એટલે કે EV કાર ખરીદવા પર સીધા 1 લાખ રૂપિયા સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.

Continues below advertisement

આ પણ વાચો... ક્રેશ ટેસ્ટમાં ફેલ થઈ Toyota ની આ કાર, સેફ્ટીમાં મળ્યું 0-સ્ટાર રેટિંગ,ખરીદતા પહેલા જાણીલો વિગતો

નવી નીતિમાં શું સામેલ છે?

નવી નીતિમાં માત્ર કાર જ નહીં પરંતુ અન્ય ઈલેક્ટ્રિક ગાડીઓ માટે પણ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર સામાન્ય વર્ગના લોકોને 10 હજાર રૂપિયા સુધીની સહાય મળશે, જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના લોકોને 12 હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. તેમજ ઈલેક્ટ્રિક માલવાહક થ્રી-વ્હીલર્સ ખરીદવા પર સામાન્ય વર્ગને 50 હજાર રૂપિયા અને SC-ST વર્ગને 60 હજાર રૂપિયા સુધીની મદદ આપવામાં આવશે.

સરકારે ઈલેક્ટ્રિક વાહનો પર મોટર વ્હીકલ ટેક્સમાં પણ 50 ટકા સુધીની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે જો કોઈ વ્યક્તિ બિહારમાં ઈલેક્ટ્રિક વાહન ખરીદીને રજિસ્ટ્રેશન કરાવે છે, તો તેને ટેક્સમાં મોટી રાહત મળશે. આ સિવાય જૂની ગાડીઓને સ્ક્રેપ કરવા પર કેન્દ્ર સરકારની નીતિ મુજબ વધારાનો લાભ પણ આપવામાં આવશે. આનાથી લોકોનો ઝુકાવ પેટ્રોલ અને ડીઝલ ગાડીઓથી હટીને EV તરફ વધી શકે છે.

સરકારનો શું દાવો છે?

સરકારનો દાવો છે કે આ નવી નીતિથી બિહારમાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ઝડપથી વધશે. રાજ્યએ વર્ષ 2030 સુધીમાં લક્ષ્ય રાખ્યું છે કે નવા રજિસ્ટર થનારા કુલ વાહનોમાં 30 ટકા હિસ્સો ઈલેક્ટ્રિક વાહનોનો હોય. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આ ટાર્ગેટ પૂરો થાય છે તો દર વર્ષે લગભગ 10 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે છે. આનાથી સામાન્ય લોકોનો પરિવહન ખર્ચ પણ ઘટશે અને પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો આવશે.

નવી EV નીતિ હેઠળ રાજ્યમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મજબૂત કરવામાં આવશે. સરકાર પબ્લિક અને ખાનગી બંને પ્રકારના ચાર્જિંગ સ્ટેશન લગાવવાને પ્રોત્સાહન આપશે. શોપિંગ મોલ, હોટેલ, પેટ્રોલ પંપ અને મોટા ભવનોમાં EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી લોકોને ચાર્જિંગની સમસ્યાનો સામનો ન કરવો પડે.


Car loan Information:

Calculate Car Loan EMI