વર્ષ 1942માં કદાચ આ જ સમયે કંઈક અદ્ભુત ઘટના બની હતી. રવીન્દ્રનાથ ટાગોરનું એક નાટક,  ડાક ઘર તમામ જગ્યાએ યહૂદી વસ્તીમાં પ્રદર્શિત કરવામાં  આવશે. કેટલાક દિવસો પછી, નાઝીઓએ પોતાના નિવાસિયોને ટ્રેબ્લિંકામાં લઈ જઈ યહૂદી વસ્તીને ખાલી કરવાનું શરુ કર્યું, જે નાઝી શાસન દ્વારા બનાવેલ વિશાળ, લગભગ સમજથી બહાર શ્રમ અને મૃત્યુ શિબિર બ્રહ્માંડમાં સૌથી કુખ્યાત વિનાશ શિબિરોમાંની એક હતી. જે બાળકોએ નાટકમાં અભિનય કર્યો અને તેના નિર્દેશક જે યહૂદી વસ્તીમાં અનાથાશ્રમનું નેતૃત્વ કરતા હતા, તમામ ટ્રેબ્લિંકામાં પોતાના મૃત્યુ માટે જતા રહ્યા અને કોઈપણ નિશાન વગર ગાયબ થઈ ગયા. એટલે ઘણા લોકો કહેશે તે જે કંઈ થયુ તે સામાન્યથી વધુ ઉલ્લેખનીય નહોતુ. જે લોકો રાતના અંધારામાં ગાયબ થયા, તે માત્ર 6 મિલિયન લોકોમાંથી હતા, જેમણે સમાન ભાગ્યનો સામનો કરવો પડ્યો હતો, અને  નાટકમાં જે પણ "પ્રકાશ" પાડ્યો હતો તે ટૂંક સમયમાં જ બુઝાઇ ગયો હતો. 




બાળ રોગ વિશેષજ્ઞ,  બાળસાહિત્યના લેખક અને બાળકોની સુખાકારીના હિમાયતી, જાનુઝ કોર્કઝાકે મૃત્યુની સામે ડાક ઘરનું પ્રદર્શન કરવું જોઈતુ હતું, તે પોતાનામાં જ એક અલગ વિલક્ષણ મહત્વનું છે અને એક કોયડો રજૂ કરે છે. આખરે,  શા માટે કોર્કઝાકે ભારતીય લેખકના નાટકનો ઉપયોગ કરીને ઉત્પિડન સામે આધ્યાત્મિક પ્રતિરોધ જેવું કંઈક ઉભુ કરવાનો પ્રયાસ કેમ કર્યો ? શું તે તેના આધિન બાળકોને મૃત્યુ માટે તૈયાર કરવા માંગતો હતો ? શું તેણે વિચાર્યું હતું કે મરવાની કળા પણ જીવવાની કળા જેટલી જ મહત્વપૂર્ણ છે ? શું આ સમયે ટાગોરને ગળે લગાવવા સમય અને સ્થાનની બાધાને પાર કરવાની તેમની ઈચ્છા અને વાસ્તવમાં યોગ્યતાને દર્શાવે છે ? જે પરિસ્થિતિઓમાં કોર્કઝાકને નાટકને અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા, તેમને  યહૂદીઓની વસ્તીની ઉત્પતિ, ટાગોરના નાટકની રૂપરેખા અને વિશ્વ દૃષ્ટિકોણના સંક્ષિપ્ત વિચારોથી સૌથી શ્રેષ્ઠ રીતે સમજી શકાય છે જેને કોર્કઝાકે સંભવત અપનાવ્યા હતા. 


1 સપ્ટેમ્બર, 1939ના રોજ દેશ પર હુમલો થયાના થોડા જ દિવસો બાદ પોલેન્ડે જર્મન હુમલાની સામે આત્મસમર્પણ કરી દિધુ અને નાઝીઓએ તુરંત જ ઘણા યહૂદીઓને બળજબરીથી મજૂરી કરાવવા ઉપરાંત કઠોર યહૂદી વિરોધી ઉપાયો લાગુ કર્યા. ઑક્ટોબર 1940માં, નાઝીઓએ યહૂદી વસ્તીની સ્થાપનાની જાહેરાત કરી અને પછીના મહિના સુધીમાં વૉર્સોમાં લગભગ તમામ 375,000 યહૂદીઓને  જે શહેરની વસ્તીનો ત્રીજો હિસ્સો ધરાવતા હતા. તેને યહૂદી વસ્તીમાં મજબૂર કરી દેવામાં આવ્યા હતા. જેણે શહેરના માત્ર 2.4 ટકા હિસ્સા પર કબજો કર્યો હતો. ક્ષેત્ર  અને શહેરના બાકીના ભાગમાંથી એક દિવાલ દ્વારા ફેન્સીંગ કરવામાં આવી હતી જે યહૂદીઓને બનાવવા  દબાણ કરવામાં આવ્યું હતું. આ  યહૂદી વસ્તીની રચના ન માત્ર બાકીના શહેરથી જ પરંતુ યહૂદીઓને વિશ્વથી અલગ રાખવા માટે કરવામાં આવી હતી.  આર્થિક ગતિવિધિઓને મોટાભાગે ગેરકાયદેસર કરવામાં આવી હતી અને ભોજન પુરવઠો એટલો ઓછો હતો કે રોગ અને ભૂખમરીથી મૃત્યુ વધ્યા હતા. કોઈપણ સંદેહ વગર યહૂદી વસ્તીને સમય રહેતા સમાપ્ત કરી દેવામાં આવી હશે. તે ધ્યાનમાં લેતા કે ઓછામાં ઓછા 20 જાન્યુઆરી, 1942 સુધીમાં જ્યારે નાઝી નેતૃત્વએ આ યોજના પર પ્રહાર કર્યા હતા.  જે વાન્સી સમ્મેલનમાં "અંતિમ સમાધાન"ના રુપમાં રજૂ કરવામાં આવ્યા હતા. યુરોપના તમામ યહૂદીઓને મોતને ઘાટ ઉતારી દેવાશે એવો વિચાર ઘર કરી ગયો હતો. 1943માં, એક વિદ્રોહ બાદ  યહૂદી વસ્તીને નષ્ટ કરી દેવામાં આવી, જો કે મહિનાઓ પહેલા જૂલાઈ 1942માં વોર્સોના ઉત્તર પૂર્વમાં 60 મીલ દૂર ટ્રેબ્લિંકા તરીકે ઓળખાતા હત્યા કેન્દ્ર સુધી યહૂદીઓનું પરિવહન શરૂ થયું હતું.


જાનુજ કોરજાકનો જન્મ 1878માં યુહૂદીઓની વસ્તી વચ્ચે થયો હતો. જેમનું ઉપનામ હેનરિક ગોલ્ડસઝમિટ હતું. જે વારર્સોમાં સૌથી વધુ ખ્યાતિ પામનાર વ્યક્તિમાંથી એક હતા. જેઓ વ્યવસાયે એક બાળ રોગ નિષ્ણાત તબીબ હતા. 20 વર્ષની નાની ઉંમરે તેમણે બાળ સાહિત્યકાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.  તેમણે 1911-12માં યહૂદી બાળકો માટેના અનાથાશ્રમના ડિરેક્ટરનું પદ સંભાળ્યું હતું. તેઓ બાળકના લેખક અને બાળકોના શિક્ષક હતા.  આ અનાથાલયમાં તે બાળકોને મોલિક રીતે ખીલવાની તકો આપતા હતા.કોરજાકે બાળકોના ઉછેરને લઇને એવી અવધારણાને આવકારી હતી, જે સંપૂર્ણ રીતે ક્રાંતિકારી હતી. તેમણે બાળકોને મોલિક રીતે ખીલવા માટે સ્વતંત્રતા આપી હતી. જેથી તેનો સંપૂર્ણ વિકાસ થઇ શકે. બાળકોને મૌલિક રીતે વિકસિત થવાની મોકો આપતા તેમણે અનુભવ્યું કે બાળકોમાં આ રીતને ઉછેરથી તેમની શુઝબુઝનો વધુ વિકાસ થાય છે. કોરજાક બાળકની સાથે પણ વયસ્કની સમાન વ્યવહાર કરતા હતા. અને તેમને કાર્યો પણ વયસ્કની જેમ જ સોંપવામાં આવતા હતા. યુએસ “હોલોકોસ્ટ  ઇનસાઇક્લોપીડિયા” અનુસાર અનાથાલયના બાળકોના ગણતંત્રના રૂપમાં ચલાવાતું હતું. અહી યુવા નિવાસીની ફરિયાદને સાંભળવા માટે અને ન્યાય આપવા માટે નિયમિત રીતે અદાલત ભરાતી હતી.


જ્યારે કોરજાક સહિત તમામ હૂદીઓને હુદી બસ્તીમાં ધકેલવામાં આવ્યા, તો તેમના હેઠળ બાળકોની સંખ્યા વધી ગઈ છે, તેમાંથી મોટાભાગના અનાથ બાળકો ભૂખમરાથી પીડાતા હોવાથી કુપોષણના કારણે અનેક બીમારીથી પણ પીડિત હતા. જો કે કોરજાકનો પ્રયાસ આ પીડિત બાળકોને બધી જ રીતે યાતના અને પીડાથી બચાવવાનો હતો. જો કે યુહુદીની વસ્તીમાં આ પ્રકારની અનુમતિને પણ અવકાશ   ન હતો. આવી વિરોધી પરિસ્થિતિમાં પણ તેમણે તેમની શારીરિક અને માનસિક ભલાઇ બનાવી રાખવાનો પ્રયાસ કર્યો, ટ્રેબ્લિન્કાને દેશનિકાલની શરૂઆતની પૂર્વસંધ્યાએ, તેના મિત્રોએ તેને નાસી છૂટવામાં મદદ કરવાની ઓફર કરી; કથિત રીતે કેટલાક જર્મન અધિકારીઓ કે જેઓ તેમના કામના પ્રશંસક હતા તેઓએ દાવો કર્યો હતો કે તેઓ કોર્કઝાકને સલામતી માટે મદદ કરી શકવાની તૈયાર હતા. જો કે કોર્કઝાકે મદદની આવી તમામ ઓફરોને નકારી કાઢી અને તેમની જીદ હતી કે તેઓ પીડિત બીમાર અનાથ  બાળકોની સતત સાથે રહેશે.


અ જનરેશન” (1956), પોલિશ સિનેમાના માસ્ટર, એન્ડ્રેજ વાજદા, કોર્કઝાકની પ્રથમ ફિલ્મ, બાળકોને દેશનિકાલ સ્થળ (umschlagplatz) તરફ લગભગ આનંદપૂર્વક કૂચ કરતી વખતે ગીત ગાવામાં આગેવાની લેતા જોવા મળે છે. ઉલ્લેખનિય છે કે,  પોલીસ સિનેમાના માસ્ટર એન્ડ્રજ વાડજાની પહેલી ફિલ્મ “A Generation” ” (1956),માં કોરજાક બાળકો સાથે ગીતો ગાતા જોવા મળે છે અને દેશનિકાલના માર્ગે આગકૂચ કરતા જોવા મળે છે. 



શા માટે ડાક ઘર?


એવું કહી શકાય કે અન્ય યહૂદીઓને ભાગ્યમાંથી બચવામાં મદદ કરવાની ઓફરનો કોર્ઝકનો બીજો પ્રતિભાવ ટાગોરની પોસ્ટ ઓફિસનો હતો. પણ આ નાટક શા માટે? ટાગોરના નાટકનો નાયક અમલ છે, એક અનાથ છોકરો જેને કોઈ અસાધ્ય રોગ છે; તેમ છતાં તેને તેના દત્તક કાકા અને કાકી દ્વારા પ્રેમથી ઉછેરવામાં આવ્યો છે, પરંતુ ડૉક્ટરની સલાહ પર તેને ખુલ્લી હવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને ઘરના એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો છે.


અમલ દિવસનો મોટાભાગનો સમય બારી પાસે, દુનિયાને જોઈને વિતાવે છે; તે બારીમાંથી પસાર થતા લોકો સાથે વાતચીત કરે છે, તેમાંથી છોકરાઓનું એક જૂથ, એક ફૂલ છોકરી અને ગામનો ચોકીદાર. તે જે સ્થળોએ જવા માંગે છે અને તે હજુ પણ લઈ શકે તેવી ટ્રિપ્સ વિશે તે કલ્પના કરે છે. શેરીની આજુબાજુ, એક પોસ્ટ ઓફિસ બનાવવામાં આવી રહી છે, અને અમલને આશા છે કે એક દિવસ રાજા તરફથી એક પત્ર મળશે; નાટક પૂરું થતાં જ અમલને ખાતરી થઈ ગઈ કે પત્ર આવી ગયો છે.


રાજાનો દૂત ધામધૂમથી પ્રવેશ કરે છે અને જાહેરાત કરે છે કે રાજા પોતે મધ્યરાત્રિએ તેમનો શાહી પ્રવેશ કરશે, અને રાજાના ચિકિત્સક મહામહિમની મુલાકાતની અપેક્ષાએ અંદર જાય છે. અમલના પલંગ પાસે બેસીને, તે બધાને શાંત રહેવાનો આદેશ આપે છે અને કઈંક બોલે છે: “તેને ઊંઘ આવી રહી છે. હું તેના ઓશીકા પાસે બેસીશ; તે ઊંઘમાં છે. તેલનો દીવો બંધ કરો માત્ર તારાની લાઈટ આવવા દો. શાંતિથી, તે સૂઈ જાય છે."


ધ પોસ્ટ ઓફિસ (1911)ની તેમની પ્રસ્તાવનામાં, વિલિયમ બટલર યેટ્સે "નાટકની થીમ તરીકે મુક્તિ"ને માન્યતા આપી હતી: જોકે અમલ અંતમાં મૃત્યુ પામે છે, તે આવું માત્ર ગૌરવ સાથે નહીં પરંતુ લગભગ રાજસી રીતે કરે છે. ઓરડાએ ભલે તેને શારીરિક રીતે મર્યાદિત કરી દેવામા આવ્યો હોય, પરંતુ તે તેની કલ્પનાને અવરોધી શકે નહીં.


વાસ્તવમાં, મૃત્યુ એ એક મુક્તિ છે: જો કે મૂળભૂત સ્તરે, તે અસ્તિત્વના બંધનોમાંથી મુક્તિ છે જ્યાં સામાન્ય રીતે આત્માનો વિકાસ અપંગ હોય છે, કલ્પના ઓછી વિચાર સાથે બંધાયેલી હોય છે, અને જીવન શ્રેણીબદ્ધ રીતે ઘટાડી દેવામાં આવે છે. મુક્તિને જીવનની પુષ્ટિ તરીકે પણ સક્રિય રીતે રજૂ કરી શકાય છે. અહિયા સુધી કે, વિરોધાભાસી રુપથી અનંતકાળનું એક માત્ર રુપ પણ.


યહુદી ક્વાર્ટર્સના ગૂંગળામણભર્યા અને શાંત જીવનમાં, એક અમલ માટે સેંકડો બાળકો સાથે નાટક ભજવવું અને તે કોમળ આત્માએ સુધી તારા ભરેલી રાતની રોશની પહોંચાવડી એ એક મોટો પડકાર હતો. જેમનું જીવન અંધકારમય થઈ ગયું હતું. જેમણે પોતાની માનવતાનો ત્યાગ કર્યો હતો.


કોર્કઝાક અને તેની દેખરેખ હેઠળના બાળકોને ટ્રેબ્લિન્કામાં તેમના મૃત્યુ માટે મોકલવામાં આવ્યાના એક વર્ષ પછી, વોર્સો યહુદી વસ્તીમાં બળવો થયો હતો. નાઝીઓએ તે જ ભાષામાં બદલો લીધો જે તેઓ ટેવાયેલા હતા અને તેમના વેપારના સાધનો સાથે: તેઓએ હજારો યહૂદીઓની હત્યા કરી, બોમ્બમારો કર્યો અને ઈમારતો સળગાવી દીધી, ગટરોમાં ગેસ છોડ્યો, ગંદા મેનહોલ્સ અને ઘણું બધુ કર્યું.


યહુદી વસ્તી કાટમાળમાં બદલાઈ ગઈ, છતાં શૂન્ય ન થઈ ધૂળમાંથી આપણે ધૂળમાં પાછા ફર્યા છીએ. અહીં, નાટકના મંચ પર, કોર્કઝાકે, તેનાથી વિપરીત, આજ્ઞાભંગના વિચાર સાથે રમવાનો પ્રયાસ કર્યો, તે દર્શાવે છે કે આજ્ઞાભંગ પોતાને અવજ્ઞાની પરંપરાગત ભાષાઓ કરતાં વધુ વ્યક્ત કરી શકે છે. નિઃશંકપણે, ત્યાં કંઈક નોંધપાત્ર છે - ના, આવો આ ઘટનાને વધુ આકર્ષક, વધુ કહેવાની શરતોમાં વર્ણવીએ અને તેને અદ્ભુત કહીએ - કે, વ્યવહારીક રીતે તેમના મૃત્યુની પૂર્વસંધ્યાએ, તેમણે વારસો યહુદી વસ્તીના બાળકોને મંચન માટે ડાકઘરનું પ્રગર્શન નિર્દેશીત કરવામા આવશે.


કોર્કઝાકે બે સૂક્ષ્મ અને છતાં છુપાયેલા સંદેશા મોકલ્યા હતા જે તેમણે પોસ્ટ ઓફિસ દ્વારા મોકલ્યા હતા.  મરવાની કળામાં જ જીવવાની શ્રેષ્ઠ કળા રહેલી છે. અને, બીજું, પરાજીતની સરખામણીએ વિજેતા માટે જીત વધુ વિનાશક બની શકે છે. એવું લાગે છે કે અમને હજુ સુધી તે પત્રો મળ્યા નથી.


(નોંધઃ ઉપર રજૂ કરવામાં આવેલા વિચાર લેખકના વ્યક્તિગત વિચાર છે.  એબીપી ન્યૂઝ ગ્રુપ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી. આ લેખ સાથે જોડાયેલા તમામ દાવા કે વાંધા માટે માત્ર લેખકની જ જવાબદારી છે.)