21 મેના રોજ નિધનની સાથે દુનિયાભરના પર્યાવરણવાદીઓની ડિક્શનરીમાં ચિપકો આંદોલનને જોડનારા મહાન સામાજિક કાર્યકર્તા સુંદરલાલ બહુગુણાને કોરોનાએ સૌથી પ્રખ્યાત પીડિતોમાં જોડી લીધા. આઠ મેના રોજ કોરોના પોઝિટીવ આવ્યા બાદ બહુગુણાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. લગભગ બે સપ્તાહ બાદ કોરોનાના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર ભારતીય પર્યાવરણ આંદોલન માટે મોટી ખોટના રૂપમાં શોક મનાવવામાં આવ્યો હતો. તે સિવાય તે ગાંધી યુગના અંતિમ મહાન ગવાહમાંના એક હતા. તેમનું નિધન પૂરી ના શકાય તેવી ખોટ છે.




મને લાગે છે કે તે 1986ની ગરમીનો સમય હતો જ્યારે હું તેમને  પ્રથમવાર મળ્યો હતો. પછી ભલે ચોક્કસ તારીખનું ધ્યાન નથી પરંતુ તેમની મુલાકાતને લઇને મારી યાદશક્તિ ઓછી થઇ નથી. આ નિશ્વિત રીતે 1989માં રામચંદ્ર ગુહાની પુસ્તક ધ અનક્કિટ વુડ્સ: ઇકોલોજિકલ ચેન્જ એન્ડ પીજેન્ટ રજિસ્ટન્સ ઇન ધ હિમાલયના પ્રકાશનના થોડા સમય અગાઉનો હતો. ચિપકો આંદોલનની શરૂઆત થયાને ઓછામાં ઓછો એક દાયકો પસાર થઇ ચૂક્યો હતો. ત્યારબાદ મે એક દર્શકની શોધ કરતા તેમને લખ્યું હતું. એક અથવા બે સપ્તાહ બાદ પશ્વિમી દિલ્હીમાં મારા નિવાસસ્થાન પર લેટર બોક્સમાં 10 પૈસાનું એક ભૂરુ પોસ્ટકાર્ડ મળ્યું હતું. બહુગુણાએ આ એ કહેવા માટે લખ્યું હતું કે તેમને આગામી સપ્તાહે કોઇ કામ માટે દિલ્હી આવવાની આશા છે. આ આઇએસબીટી (આંતરરાજ્ય બસ ટર્મિનલ)થી ટીહરી ગઢવાલ ક્ષેત્રમાં પોતાના આશ્રમથી મધ્યરાત્રીએ બસ લઇશું. શું હું તેમની સાથે જોડાવા અને તેમની સાથે તેમના આશ્રમમાં થોડા દિવસ વિતાવા માંગીશ? આ ઇન્ટરનેટ અગાઉના દિવસો હકો અને એટલે સુધી કે ટેલિફોન પણ તેમના જીવનની  રીત કરતા ઘણા દૂર હતા. તેમણે મને આશ્વાસન આપ્યું કે જો હું હાલમાં આઇએસબીટીમાં આવી જાઉં તો તે પર્યાપ્ત રહેશે.



અમે મોડી રાત્રીએ બસથી સિલયારા આશ્રમ રવાના થયા હતા. લગભગ સાત-આઠ કલાક બાદ બસથી અમને રસ્તા પર ઉતારી દેવામાં આવ્યા. અહીંથી તેમના આશ્રમ માટે ચાલતા ગયા હતા. બહુગુણા ત્યારે મારી ઉંમર કરતા બે ગણી વધારે હતી પરંતુ તેઓ મને ખૂબ પાછળ છોડતા પહાડી પર એવી રીતે ચઢી ગયા જ્યારે કોઇ બકરી હોય. તેમણે મને જણાવ્યું કે, પર્વતની હવાએ તેમના ફેફસાને મજબૂત કરી દીધા છે. ત્યાં થોડા જ રસ્તાઓ હતા અને તેમણે પોતાની મરજીથી (બ્રૂસ ચૈટવીનથી એક એક્સપ્રેશન લેવા માટે) પર્વતોને પાર પોતાના ગીતોની લાઇનો કાપી હતી. બહુગુણાના આશ્રમમાં તેમની પત્ની વિમલાએ અમારુ સ્વાગત કર્યું જેમણે ફરીથી અને કથિત રીતે એ શરત પર તેમની સાથે લગ્ન કર્યા હતા કે તે કોઇ પણ રાજકીય મહાત્વાકાંક્ષા છોડીને એક સામાજિક કાર્યકર્તાના રૂપમાં ક્ષેત્રના લોકોની સેવા કરશે. સ્પાર્ટન કદાચ એક શબ્દ છે, જે આશ્રમના માહોલ અને સુંદરલાલ-વિમલા બહુગુણાનની જીવનશૈલીને દર્શાવે છે.


નહાવાની વ્યવસ્થા એક હેડપંપની નીચે હતી. પાણી પીગળે બરફ જેવુ, પણ ગરમીમાંયે એકદમ ઠંડુ. તેમને ગરમ પાણીની ઓફર કરી તો ખરા પરંતુ સલાહ આપી કે ખુલ્લી હવામાં ઠંડા પાણીમાં સ્નાન કોઇપણ વ્યક્તિના સ્વાસ્થ્ય અને સ્પષ્ટ વિચાર માટે ચમત્કારનું કામ કરે છે. વિમળાએ એકદમ સાદા ભોજન તરીકે ફક્ત બાજરી અને જવનો ઉપયોગ કરીને રોટલા બનાવ્યા, અને જેમ કે મને સમજાવ્યુ કે તેમને ચોખા અને ઘઉંનો ઉપયોગ છોડી દીધો હતો. આ અનાજ બહુ મોંઘુ હતુ, અને તેઓ તેનો ઉપયોગ એ માનીને ઉચિત નહતા સમજતા કે તે ગ્રામીણોની વચ્ચે કામ કરતા હતા, તેઓ તેને વહન નથી કરી શકતા. મને કહ્યુ હતુ કે જવ અને બાજરી વધુ મુલાયમ છે. તે ઉગવામાં બહુ ઓછુ પાણી લે છે, અને જ્યારે સંશાધન ઓછા હોય છે તો એવા યુગ માટે એક ઉપયુક્ત છે.  

"જંગલ શું સહન કરે છે? માટી, પાણી અને શુદ્ધ હવા." ચિપકો આંદોલનની મહિલાઓએ આ નારો અપનાવ્યો હતો. આંદોલનની સ્થાપના ચંદી પ્રસાદ ભટ્ટે કરી હતી, પરંતુ બહુગુણાના નામથી સૌથી વધુ નજીકથી જોડાયેલુ હતુ. જોકે બહુગુણાના જીવનની સામાજિકતા-સક્રિયતા ચિપકો આંદોલનથી શરૂ ન હતી થઇ. ગાંધીથી પ્રેરિત રહેલી બહુગુણાએ કોંગ્રેસ પાર્ટીની રાજનીતિના અવાજથી પોતાના 20 વર્ષોમાં અસ્પૃશ્યતા વિરોધી કાર્ય કર્યુ. તેને પહાડોમાં દારુ વિરોધી અભિયાન શરૂ કરવા માટે ગામડાની મહિલાઓની સાથે મળીને કામ કર્યુ. જે ચિપકો આંદોલનથી નીકળેલો બીજો નારો પારિસ્થિતિકી સ્થાયી અર્થવ્યવસ્થા છે, જેમાં બહુગુણાનુ વિશિષ્ટ યોગદાન હતુ. ચિપકો આંદોલનને હંમેશા એક પ્રયાસ તરીકે સમજવામાં આવે છે, જેમાં ગ્રામીણ મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. એવા ઠેકેદારોને રોકવા માટે જેમાં મોટાભાગના મેદાની વિસ્તારોમાંથી લાકડાના ઉદ્યોગ માટે ઝાડોને કાપવામાં આવતા હતા. તે ઝાડવાઓને ગળે લગાવતા હતા, જેમ કે ગળે લગાવવા માટે ચિપકો.

હું તમને નમ્રતાપૂર્વક સહી કરુ છુ, બહુગુણાને જ્યારે પણ ચિપકો આંદોલનના લેખક તરીકે શ્રેય આપવામા આવે છે, તો તેમને શ્રોતાઓને એમ જ કહીને યાદ અપાવી કે આ ઉત્તરાખંડની ગામડાઓની મહિલાઓ હતી, જેઓએ ક્રિકેટને બેટ બનાવવા માટે સરકારી ઠેકેદારોના મારફતે કાપવામાં આવેલા ઝાડવાઓને ગળે લગાવીને બચાવવા માટે ચિપકો આંદોલન શરૂ કર્યુ હતુ. આ તે ઉત્પત્તિ હતી જે ભારત અને દુનિયામાં ક્યાંય બીજે અહિંસક પર્યાવરણ આંદોલનો માટે ટેમ્પલેટ બની ગઇ, જેનુ નેતૃત્વ હંમેશા મહિલાઓએ કર્યુ. જેમ કે પહાડીઓના લોકો જાણતા હતા, મોટા પ્રમાણમાં વનોની કાપણી પારિસ્થિતિક તબાહી અને પુરનુ કારણ બન્યા. જોકે આનુ ગ્રામીણ આજીવિકા પર પણ પ્રતિકુળ પ્રભાવ પડ્યો. સળગાવવા માટેના લાડડા અને ચારો. સાથે પીવા અને ખેતીમાં સિંચાઇ માટે પાણી, બધાનો પૂરવઠો ઓછો હતો. પણ બહુગુણા સમજી ગઇ કે વનોની શોષક રાજનીતિક અર્થવ્યવસ્થા, જેના માટે તેને સ્થાયી અર્થવ્યવસ્થાનો વિરોધ કર્યો, જે આ તથ્ય વિશે જાગૃતિથી આવે છે કે એકમાત્ર અર્થવ્યવસ્થા જે લોકોને સક્ષમ બનાવે છે, અને તે ઠેકેદારો, વન અધિકારીઓ અને શહેરોમાં રહેનારા કુલીનોને સામેલ કરે છે, જેમનો ગ્રામીણ વિસ્તારો સાથે મૂળ રીતે પરજીવી સંબંધ છે.


બહુગુણા સંયોગવશ, ભારતમાં એવા સમયે પ્રસિદ્ધ પર્યાવરણ કાર્યકર્તા બન્યા, જ્યારે તેમના જેવા લોકોને દેશદ્રોહના આરોપમાં જેલ ન મોકલવામાં આવ્યા. જેમકે આજે થઈ રહ્યું છે. તેના જેવા કાર્યકર્તાઓને પુરસ્કાર આપવો હંમેશા એક પેચીદો મામલો હોય છે. જેમાં રાજ્ય તરફથી વિચાર-વિમર્શ પણ સામેલ હોય છે. 1981માં બહુગુણાએ પદ્મશ્રી અસ્વીકાર કરી દીધો હતો. જોકે 2009માં પદ્મ વિભૂષણ સ્વીકાર્યો હતો. જે ભારત રત્ન બાદ બીજું સૌથી મોટું સન્માન છે.


1980માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીએ તેમના કહેવા પર ઉત્તરાખંડમાં વૃક્ષો કાપવા પર 15 વર્ષ સુધી રોક લગાવી હતી. પરંતુ તેમ છતાં વન અધિકારીઓ દ્વારા આ વાતની અવગણના કરવામાં આવી હતી. બાદમાં તેમણે એવું શરૂ કર્યુ જેને માત્ર પદયાત્રાના રૂપમાં વર્ણવવામાં આવી  શકે છે. તેમણે પાંચ હજાર કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો હતો. બાદમાં તેઓ 261 મીટર ઉંચા અને 575 મીટર પહોળા ટિહરી બંધ સામે આંદોલન માટે આગળ આવ્યા હતા. જેને સરકારે દેશનો સૌથી મોટો બહુઉદ્દેશીય બંધ અને વિકાસ માટે પ્રતિબદ્ધતાના સંકેત તરીકે પ્રદર્શિત કર્યો હતો. 1898માં બંધના વિરોધમાં તેમણએ ઉપવાસ પણ કર્યા હતા. જેની અનેક કાર્યકર્તાઓએ એક લાખથી વધારે ગ્રામીણોના વિસ્થાપન તથા હિમાલયની તળેટીની નાજુક પરિસ્થિતિ તંત્ર માટે ખતરો હોવાનું કહી આલોચના કરી હતી.


બહુગુણા સંયોગવશ, ભારતમાં એવા સમયે પ્રસિદ્ધ પર્યાવરણ કાર્યકર્તા બન્યા, જ્યારે તેમના જેવા લોકોને દેશદ્રોહના આરોપમાં જેલ ન મોકલવામાં આવ્યા. જેમકે આજે થઈ રહ્યું છે. તેના જેવા કાર્યકર્તાઓને પુરસ્કાર આપવો હંમેશા એક પેચીદો મામલો હોય છે. જેમાં રાજ્ય તરફથી વિચાર-વિમર્શ પણ સામેલ હોય છે. 1981માં બહુગુણાએ પદ્મશ્રી અસ્વીકાર કરી દીધો હતો. જોકે 2009માં પદ્મ વિભૂષણ સ્વીકાર્યો હતો. જે ભારત રત્ન બાદ બીજું સૌથી મોટું સન્માન છે.


1980માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીએ તેમના કહેવા પર ઉત્તરાખંડમાં વૃક્ષો કાપવા પર 15 વર્ષ સુધી રોક લગાવી હતી. પરંતુ તેમ છતાં વન અધિકારીઓ દ્વારા આ વાતની અવગણના કરવામાં આવી હતી. બાદમાં તેમણે એવું શરૂ કર્યુ જેને માત્ર પદયાત્રાના રૂપમાં વર્ણવવામાં આવી  શકે છે. તેમણે પાંચ હજાર કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો હતો. બાદમાં તેઓ 261 મીટર ઉંચા અને 575 મીટર પહોળા ટિહરી બંધ સામે આંદોલન માટે આગળ આવ્યા હતા. જેને સરકારે દેશનો સૌથી મોટો બહુઉદ્દેશીય બંધ અને વિકાસ માટે પ્રતિબદ્ધતાના સંકેત તરીકે પ્રદર્શિત કર્યો હતો. 1898માં બંધના વિરોધમાં તેમણએ ઉપવાસ પણ કર્યા હતા. જેની અનેક કાર્યકર્તાઓએ એક લાખથી વધારે ગ્રામીણોના વિસ્થાપન તથા હિમાલયની તળેટીની નાજુક પરિસ્થિતિ તંત્ર માટે ખતરો હોવાનું કહી આલોચના કરી હતી.


તેમની વારંવાની ભૂખ હડતાળનો ઉલ્લેખ  તેઓ ગાંધીથી કેટલા પ્રભાવિત હતા તે વાતનો સંકેત આપે છે. પરંતુ ગાંધીજી જે રીતે ભૂખ હડતાલ કરતાં તે વાતને આની સાથે જોડવી તાર્કિક નથી. આધુનિક ભારતીય રાજનીતિ અને સામાજિક પરિવર્તનમાં બહુગુણાને સ્વયંના ઉપવાસના સ્થાને સમજવા માટે વિસ્તૃત અધ્યયનની જરૂરિયાત છે. બહુગુણા મુખ્ય રીતે પહાડોમાં પેદા થેયલા અને ત્યાં ઉછરેલા વ્યક્તિ હતા. પરંતુ જ્યારે તેઓ સાઉથ બ્લોકમાં પ્રભાવિત બ્યૂરોક્રેટસ સાથે વાતચીકત કરવા માટે દિલ્હી ગયા તો તેમણે હંમેશા પોતાના ઘર, પહાડો અને ગ્રામીણ ભારતની વાત કરી હતી. ગાંધીની જેમ તેમણે ગ્રામીણ ભારતના મોટાભાગના હિસ્સામાં થઈ રહેલા ઘટાડાની પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ જીવનકાળમાં પહાડી વિસ્તારોમાં અકલ્પનીય વિકાસથી થયેલી તબાહી અને જળવાયુ પરિવર્તનના ઘાતક પરિણામોના સાક્ષી હોવા ઉપરાંત પૈતૃક ઉત્તરાખંડના સેંકડો ગામડાને યુવાવસ્થામાં ભૂતીયા શહેરમાં બદલાતા જોયા હતા. લોકો શહેરમાં જતા રહ્યા છતાં બહુગુણા એ વિચાર પર અડગ હતા કે ગ્રામીઓમી સમસ્યાઓ પર ધ્યાન આપ્યા વગર ભારત સામાજિક સમાનતા અને ન્યાય તરફ વધવાની આશા રાખી શકે નહીં.


લગભગ ચાર દાયકા પહેલા બે દિવસની અમારી વાતચીત દરમિયાન તેની એક ટિપ્પણી મને યાગ આવી ગઈ છે, ભારતની આત્મા ગામડામાં છે. (ભારતની આત્મા પોતાના ગામડાઓમાં રહે છે) કેટલાક વાંચક આ ભાવનાને એ પ્રેમ સાથે જોડશે, જેનાથી ગાંધી અને તેના અનુયાયીઓ જોડાયેલ રહ્યા છે અને એ વિચારના સંકેત આપે છે કે ગાંદી માટે સમય પૂરો થઈ ગયો છે. આ સમજ એ વિચારથી બેદરકાર છે કે ગ્રામીણ અને ગ્રામીણ ભારતની વકાલત કરનારા પણ એવું એટલા માટે કરે છે, કારણ કે તેઓ માપદંડના સવાલ અ ક્યા ફાયદા પ્રત્યે સંવેદનશીલ છે. જો હું તેને એ રીતે કહું તો મનુષ્યનુ કદ શું છે. આ જ કારણ છે કે બહુગુણા મોટા ડેમના વિરોધમાં રહ્યા. એવા ટીકાકાર ચે કોઈપણ વિશ્વ વિચાર પર મુગ્ધ થવાનું પસંદ કરતા હતા અને “રોમાન્ટિકવાદ” તરીકે ઉપહાસ કરે છે અને એ વિચારવા માટે રોકાતા નથી કે બહુગુણા જેવા લોકોએ ક્યારેય પણ પૃથ્વી, માટી અને હવાથી કંઈ જ લીધું નથી, જે ખુદના અસ્તિત્વ માટે જરૂરી છે.


મને શંકા છે કે આ બહુગુણાનું ઉદાહરણ છે, જેમાં ન્યૂઝીલેન્ડમાં એક કોર્ટના નિર્ણય ઉપરાં, 2017માં ઉત્તરાખંડ હાઈ કોર્ટનો એક નિર્ણય જે મહિલાઓ, પુરુષો, પ્રકૃતિ અને આપણી ધરતી માટે પૂરી રીતે કટ્ટરપંથી અને મુક્તિદાયક છે. જજ રાજીવ શર્મા અને આલોક સિંહે લછે કે, ગંગા અને યમુના નદીઓ અને તેની સહાયક મદીઓ કાયદાકીય અને જીવિત સંસ્થા છે, જેને તમામ સંબંધિત અધિકારી, કર્તવ્યો અને દેણદારીની સાથે કાયદાકીય વ્યક્તિનો દરજ્જો મળેલો છે. બહુગુણાને જો એવા ગણવામાં આવે તો તેઓ ઓક્સિજન પેદા કરનાર વૃક્ષો અને સ્વચ્છ હવાના મહાન ચેમ્પિયન હતા. ઓક્સીજનની માત્રા વધારવા માટે પણ તેમનો સંઘર્ષ હતો. આ ક્રૂર અને કદાચ આપણા વિકૃત સમયનું કડવું સત્ય છે કે એકદમ છેલ્લે ઓક્સીજનની અછતને લીધે પડી જવાનું હતું.


એ સાચું છે કે, તેઓ ઘણાં મહિનાથી બીમાર હતા, પરંતુ તેમના જીવનની પરિસ્થિતિઓ-પહાડોની અપેક્ષાકૃત સ્વછ્ચ હવા, સન્માનજનક શ્રમનું જીવન, સંપત્તિ સાથે કોઈ લગાવ નહીં. લાંબું અને સુખી લગ્નજીવન, પ્રકૃતિ સાથે મિલન, લાભ સ્પષ્ટ અને સારા વિચારથી ગ્રામીણ જીવનશૈલીની સાદગીથી સંતોષ અને 94 વર્ષોની તુલનામાં હજુ પણ લાંબા જીવન માટે અનુકૂળ હતા. તેની સાથે જ તેમણે પોતાની શાનદાર ઉપસ્થિતિથી વિશ્વને ગૌરવાન્વિનત કરી. આપણા સમાજ માટે આ કેવું કલંક છે કે પહાડોની વિશાળ વ્યક્તિ જે ઓક્સીજન આપનાર વૃક્ષો સાથે મિત્રતા કરતો હતો, તે અંતમાં એવી વ્યક્તિ રહી ગયા જે સીપીએપી મશીન સાથે બંધાયેલ ઓક્સીજન માટે હાંફી રહ્યા છે.


(નોંધઃ ઉપરોક્ત લેખમાં આપવામાં આવેલ વિચાર અને આંકડા લેખકના વ્યક્તિગત વિચાર છે. એ જરૂરી નથી કે એબીપી અસ્મિતા ગ્રુપ તેની સાથે સહમત હોય. આ લેખ સાથે જોડાયેલ તમામ દાવા અથવા વાંધા માટે માત્ર લેખક જવાબદાર છે.)