✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Budget 2019: મોદી સરકારના બજેટમાં રેલવેને શું મળ્યું ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2019 04:28 PM (IST)
1

પીયૂષ ગોયલે કહ્યું, પૂર્વોત્તરના રાજ્યોમાં રેલવે સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો. વંદે ભારત એક્સપ્રેસ નાગરિકોને ગતિ, સેવા અને સુરક્ષા પ્રદાન કરશે અને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપશે. પરંતુ આ દરમિયાન કોઈ મોટી યોજનાની જાહેરાત નથી કરવામાં આવી.

2

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રેલવે માટે રૂપિયા 64,587 કરોડ વધારે ફાળવવામાં આવ્યા છે. ગોયલે જણાવ્યું હતું કે ટ્રેન 18, રેલ બ્રિજ, અને માનવરહિત ફાટક મુક્ત કરવા જેવા અનેક મોટા પગલાં સરકારે લીધા હતા. આ બજેટમાં અપેક્ષા હતી કે સરકાર રેલ યાત્રીઓને ધ્યાનમાં રાખીને કંઈક મોટી જાહેરાત કરશે જોકે, સરકારે અન્ય કોઈ મોટી જાહેરાત કરી નહોતી.

3

નવી દિલ્હી: મોદી સરકારના વચગાળાના બજેટમાં ભારતીય રેલવેને 1.58 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ દમિયાન નાણા મંત્રી પિયૂશ ગોયલે કહ્યુ, બ્રોડગેજ પર તમામ માનવ રહિત ફાટક ખત્મ કરવામાં આવ્યા છે. પીયૂષ ગોયલે ભાષણમાં જણાવ્યું હતું કે બજેટમાં રેલવે ખર્ચ માટે રૂપિયા 1.58 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગત બજેટમાં આ રકમ રૂપિયા 1.46 લાખ કરોડ હતી.

  • હોમ
  • બજેટ 2020
  • Budget 2019: મોદી સરકારના બજેટમાં રેલવેને શું મળ્યું ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.