Budget 2023: વર્ષ 2023નું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું. આ બજેટ એટલા માટે પણ ખાસ છે કારણ કે, વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચાલો જાણીએ કે હેલ્થ સેક્ટરમાં શું જાહેરાત કરવામાં આવી છે.


મેડિકલ કોલેજ લેબ વ્યવસ્થા


નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023માં સ્પષ્ટ કર્યું હતું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઘણા સુધારાની જરૂર છે. તેથી જ નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. આ સાથે મેડિકલ કોલેજમાં વધુને વધુ લેબની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે, સ્વાસ્થ્ય પ્રણાલીને સુધારવા માટે નવા મશીનો લાવવામાં આવશે જેથી ભારતમાં સૌથી મોટી બીમારીની સફળતાપૂર્વક સારવાર કરી શકાય.


એનિમિયા 2027 સુધીમાં ખતમ થઈ જશે


વર્ષ 2023 ના બજેટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વર્ષ 2027 સુધીમાં એનિમિયાના રોગને જડમૂળથી નાબૂદ કરી દેવામાં આવશે.કારણ કે દર વર્ષે લોહીના અભાવે અનેક લોકોના મોત થાય છે.


બજેટમાં સ્વસ્છ પાણી અને ખોરાક પર પ્રાધાન્ય


આ બજેટ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે. વ્યક્તિ માટે સ્વચ્છ પાણી અને ખોરાક ખૂબ જ જરૂરી છે. તેથી જ બજેટમાં તેને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.


 મેઇનહોલમાં માણસ નહી ઉતરે


બજેટમાં સૌથી રસપ્રદ વાત એ હતી કે મોદી સરકારે મેનહોલ્સને લઈને મોટો નિર્ણય લીધો છે.બજેટ વર્ષ 2023માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે  મેઇન હોલમાં મામવી નહી ઉતરે


2047 સુધીમાં બાળકોમાં એનિમિયા દૂર કરશે


બાળકોમાં એનિમિયા અને એનિમિયા અંગે પણ બજેટમાં અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. આ સાથે વર્ષ 2047 સુધીમાં તેનો અંત લાવવાનો સંકલ્પ પણ  લેવામાં આવ્યો છે. આ સાથે આ વર્ષે બજેટમાં રિસર્ચ કોલેજ બનાવવાની પણ વાત થઈ છે.


220 કરોડની કોરોના રસી લગાવવામાં આવી છે


કોરોનાવાયરસથી બચવા માટે. અત્યાર સુધીમાં સરકારે 220 કરોડ લોકોને કોરોનાની રસી પૂરી પાડી છે.


Budget 2023:  બજેટમાં મહિલાઓ માટે શું છે ખાસ, જાણો નાણામંત્રીએ નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત


 Budget 2023:  નાણામંત્રીએ કહ્યું, 'ગ્રામીણ મહિલાઓને 81 લાખ સ્વ-સહાય જૂથો સાથે જોડવામાં આવી છે. અમે આ જૂથોને આગલા સ્તર પર લઈ જઈશું. આવનારા સમયમાં આ ગ્રુપમાં મોટા પાયે મહિલાઓને જોડવામાં આવશે.


નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2023-24નું બજેટ રજૂ કરી રહી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, આ અમૃતકાળનું પહેલું બજેટ છે. તેમને તેમના ભાષણમાં મહિલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશને અસાધરણ સફળતા પ્રાપ્ત કરી છે.


ગ્રામીણ મહિલાઓના 81 લાખ સ્વ સહાયતા સમૂહ સાથે જોડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ સ્તરને અલગ સ્તર પર લઇ જઇશું. આવનાર સમયમાં આ સમૂહને ભારે સ્તરે


નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, 'વડાપ્રધાન વિશ્વકર્મા કૌશલ સન્માનની શરૂઆત કરવામાં આવી છે. સદીઓથી, પરંપરાગત કારીગરો અને કારીગરો ભારત માટે નામના લાવ્યા છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી આર્ટવર્ક અને હસ્તકલા આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપી રહી છે. પ્રથમ વખત તેમને સહાય પેકેજ આપવામાં આવશે. આ નવી યોજના તેમને MSME મૂલ્ય સાંકળ સાથે એકીકૃત કરવામાં, તેમના ઉત્પાદનોની ગુણવત્તા, સ્કેલ અને પહોંચને સુધારવા માટે સક્ષમ બનાવશે.


પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં માત્ર આર્થિક સહાય જ નહીં આપવામાં આવશે. તેના બદલે, તાલીમ, આધુનિક ડિજિટલ તકનીકોનું જ્ઞાન, બ્રાન્ડ પ્રમોશન, સ્થાનિક અને નાણાકીય બજારો સાથે એકીકરણનો પણ સમાવેશ કરવામાં આવશે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ, મહિલાઓ અને નબળા વર્ગના લોકોને સહાય આપવામાં આવશે.


મહિલા સન્માન બચત પત્ર યોજનાની શરૂઆત


નાણામંત્રીએ કહ્યું, 'મહિલા સન્માન બચત પત્ર યોજના માર્ચ 2025 સુધી 2 વર્ષ માટે આઝાદીના અમૃત મહોત્સવની યાદમાં શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ મહિલાઓ 2 વર્ષ માટે રોકાણ કરી શકશે. આ યોજના હેઠળ મહિલાઓ  આંશિક આર્યન વિકલ્પના નામે 2 વર્ષ માટે 2 લાખ રૂપિયા જમા કરાવી શકશે. 7.5 ટકા વ્યાજ મળશે. આનો લાભ લેવા માટે કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકે છે. પૈસા ઉપાડવા માટે શરતો હશે.


મહિલાઓ માટે મોટા સમાચાર


સમાચાર લખાય છે ત્યાં સુધી નાણામંત્રીએ 7 લાખ રૂપિયા સુધીનો આવકવેરો માફ કર્યો છે. તેમણે દેશની મહિલાઓ માટે મોટી જાહેરાતો પણ કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે અને તેમના માટે નવી બચત યોજના આવશે. તેમાં 2 વર્ષ માટે રોકાણ કરી શકશે અને મહિલાઓ તેમાં 2 લાખ રૂપિયા જમા કરાવી શકશે, જેના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે અને તેમાંથી પૈસા ઉપાડવાની શરતો હશે. આ બજેટમાં મહિલા કલ્યાણ માટે આ એક મોટું પગલું છે.