Union Budget 2023 Reactions Live Update: બજેટ અંગે સીએમ ભુપેન્દ્ર પટેલે જાણો શું આપી પ્રતિક્રિયા ?

નાણામંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે

gujarati.abplive.com Last Updated: 01 Feb 2023 04:00 PM
બજેટ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

કેન્દ્ર સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ ર૦ર૩-ર૪ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ર૦૪૭ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે.  મુખ્યમંત્રીએ આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે. 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શું કહ્યું

બજેટને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે 'બજેટમાં કોઈ રાહત નથી,  મોંઘવારી વધારી દીધી છે'





વડાપ્રધાને કહ્યું કે, આ બજેટ વિકસિત ભારતનું સપનું પૂરું કરશે.

વડાપ્રધાને કહ્યું કે અમે ટેક્નોલોજી પર ઘણો ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ બજેટ પણ છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટ ભારતના વિકાસને નવી ગતિ આપશે. તેમણે કહ્યું કે આ બજેટમાં MSMEનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ચુકવણીની નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું કે હું નિર્મલા સીતારમણને આ બજેટ માટે અભિનંદન આપું છું.


પીએમ મોદીએ કહ્યું કે અમૃત કાલનું પ્રથમ બજેટ વિકસિત ભારતના ભવ્ય વિઝનને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો બનાવશે. તેમણે કહ્યું, "આ બજેટ વંચિતોને પ્રાધાન્ય આપે છે. આ બજેટ આજના મહત્વાકાંક્ષી સમાજ, ગામડાઓ, ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના સપનાઓને સાકાર કરશે."

બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે શું કહ્યુ?

 બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે કહ્યુ હતું કે 'આ બજેટ સામાન્ય માણસ માટે ઘણું સારું છે' 





કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે શુ કહ્યુ

બજેટમાં કેટલીક બાબતો સારી હતી. હું તેને સંપૂર્ણપણે નકારાત્મક  કહીશ નહીં, પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો ઉભા છે. બજેટમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નહોતો. મજૂરો માટે સરકાર શું કરવા જઈ રહી છે? બેરોજગારી, મોંઘવારી વિશે પણ વાત કરવામાં આવી ન હતીઃ





જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા

બજેટમાં મધ્યમ વર્ગને મદદ કરવામાં આવી છે. દરેકને કંઈક ને કંઈક આપવામાં આવ્યું છે. અમે દોઢ કલાક બજેટ સાંભળ્યું, હવે તક મળશે ત્યારે વાત કરીશું.

અમૃતકાળનું પ્રથમ બજેટ ખૂબ જ ક્રાંતિકારી છેઃ હરિયાણાના મુખ્યમંત્રી

અમૃતકાળનું પ્રથમ બજેટ ખૂબ જ ક્રાંતિકારી છે, તે સમાજના દરેક વર્ગને રાહત આપનાર છે. ખાસ કરીને મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત આપવામાં આવી છે, જે ટેક્સ સ્લેબ બનાવવામાં આવ્યો છે તેનાથી રાહત મળવાની છે. આ બજેટમાં યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તમામને રાહત આપવામાં આવી છે





બજેટને સ્મૃતિ ઇરાનીએ શુ કહ્યું

આ બજેટથી મહિલાઓનું સન્માન વધ્યું, બાળકો અને કિશોરો માટે ડિજિટલ લાઇબ્રેરીની જાહેરાતમાં જિલ્લા કક્ષાએ બાળકો કેવી રીતે વાંચશે અને વિકાસ કરશે તેનો ઉલ્લેખ કર્યો છે. મહિલા શક્તિ કેવી રીતે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે તે આજના બજેટમાં પ્રતિબિંબિત થાય છે.













આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે શું કહ્યુ?

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પોતાના ટ્વીટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે નિર્મલાજીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું કે "અમૃત કાળ" આવી ગયો છે.નથી ખેડૂતોની MSP વધી, નથી યુવાનોને રોજગારી મળી. આ મોદીજીનો અમૃત કાળ છે. નિર્મલાજી કહી રહ્યા છે કે “માથાદીઠ આવક બમણી થઈ છે” હું તેમને પૂછું છું કે કોની આવક વધી છે, તમે આનો જવાબ આપો?





સામાન્ય બજેટ પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શું કહ્યુ

સામાન્ય બજેટ પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ હતું કે 'ભાજપ તેના બજેટનો દાયકો પૂરો કરી રહી છે, પરંતુ જ્યારે તેણે પહેલા જનતાને કંઈ આપ્યું ન હતું, ત્યારે હવે શું આપશે? ભાજપનું બજેટ મોંઘવારી અને બેરોજગારીમાં વધુ વધારો કરે છે. ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ, નોકરીયાત વ્યાવસાયિકો, વેપારી વર્ગમાં આશાને બદલે નિરાશા વધે છે. કારણ કે તે અમુક મોટા લોકોને જ ફાયદો કરાવવા માટે બનાવવામાં આવે છે.





બ્રેકગ્રાઉન્ડ




નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે, યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડ બનાવવામાં આવશે. અહીં જાણો ખેડૂતો માટે અન્ય કઈ કઈ જાહેરાતો કરવામાં આવી હતી.






નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ પોર્ટલ પર દરરોજ 72 લાખ અરજીઓ આવે છે અને અમે રિફંડ પ્રક્રિયાને 16 દિવસ સુધી લાવ્યા છીએ. આમાં અમે વધુ સુધારાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.








નાણામંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે અને તેમના માટે નવી બચત યોજના આવશે. તેમાં 2 વર્ષ માટે રોકાણ કરી શકશે અને 2 લાખ રૂપિયા જમા કરી શકશે જેના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે અને તેમાંથી પૈસા ઉપાડવાની શરતો હશે. આ બજેટમાં મહિલા કલ્યાણ માટે આ એક મોટું પગલું છે.

 

ઉપરાંત બજેટ 2023માં કરદાતાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે મર્યાદા અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને મોટી રાહત આપી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ કર મુક્તિ મર્યાદા 2.50 લાખ રૂપિયાથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.