શતાબ્દી, રાજધાનીમાં ઘટશે ભાડુ, જાણો કેટલી અને ક્યારે મળશે છૂટ

ઉપરાંત, ટ્રેન છૂટવાના નિર્ધારિત સમયથી ૩૦ મિનિટ પહેલા આઇઆરસીટીસીના માધ્યમાંથી ટિકિટ કઢાવી શકશે. રેલવેએ કલાસવાઇઝ એકોમોડેશનના નિર્ધારિત કવોટામાં ૧૦ ટકાની રાહત આપવાનો નિર્ણય લીધો છે. નવમી સપ્ટેમ્બરથી અમલી બનેલા ફલેકસી ફેર સિસ્ટમના બેઝ ફેર કરતા પચાસ ટકા સુધી વધતું હતું, જયારે નવમી સપ્ટેમ્બરથી ૩૧મી ઓકટોબર સુધીમાં આ ત્રણેય ટ્રેનોમાં ૫૫૦૦થી વધારે બર્થ ખાલી ગઇ હોવાના અહેવાલ પછી રેલવેએ રાહત આપવાનો નિર્ણય લેવાની નોબત આવી છે.
આ બધી ટ્રેનોના તત્કાલ કવોટા ઘટાડવામાં આવ્યો છે. જોકે, નવી સિસ્ટમ પ્રમાણે ચાર્ટ તૈયાર થયા પછી ખાલી સીટ્સ પહેલા ચાર્ટથી પહેલા તથા છેલ્લી ટિકિટના વેચાણ સુધી ૧૦ ટકા સુધી ભાડામાં ઘટાડો મળશે, જયારે કોઇ કારણસર પ્રવાસી ટ્રેન પકડી ન શકે અને ટ્રેનમાં ખાલી બર્થ હશે તો તેના માટે પ્રવાસીને ૧૦ ટકા છૂટ મળશે. આમ છતાં રિઝર્વેશન, સુપરફાસ્ટ, કેટરિંગ અને સર્વિસ ટેકસ સહિતના અન્ય ચાર્જ લેવામાં આવશે. પીઆરએસ (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ)ના કરન્ટ કાઉન્ટરની સાથે આઇઆરસીટીસી (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન)ના પોર્ટલ પરથી પ્રવાસી ટિકિટ બુક કરાવી શકશે.
રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનમાં ફલેકસી ફેર સિસ્ટમ લાગુ પાડવામાં આવ્યા પછી એકંદરે આ બધી ટ્રેનોની સીટ ખાલી જતી હતી. પ્રવાસીઓને આકર્ષવામાં આ સિસ્ટમ નિષ્ફળ રહેવાની સાથે રેલવેની આવક ઘટી રહી હોવાનું ગયા મહિને તારણ કાઢવામાં આવ્યું હતું. રેલવે અને પ્રવાસીઓ એમ બંને પક્ષે નુકસાન થઇ રહ્યું હોવાના કારણસર મંત્રાલયે સાડાપાંચ મહિના (૧૫મી ડિસેમ્બરથી અમલી બનતા આગામી ૩૧મી મે, ૨૦૧૭ સુધીના) માટે રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનોની ખાલી સીટના ભાડાં ૧૦ ટકા ઘટાડ્યાં છે.
મુંબઈ: હવાઈ મુસાફરીની જેમ રેલવે કેટલીક મહત્ત્વની ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સિસ્ટમ લાગુ પાડી હતી પરંતુ તેના કારણે ટ્રેનો ખાલી જવાથી રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનોની ખાલી સીટના ભાડામાં પ્રવાસીઓને દસ ટકા રાહત આપવાની જાહેરાત આગામી દિવસોમાં થઈશકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ ટ્રેનોમાં તત્કાલ ક્વોટા પણ 30 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી શેક છે.