જૂના ઘરેણાં વેચવા પર લાગશે 3% GST: હસમુખ અઢિયા
મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ બુધવારે જીએસટી માસ્ટર ક્લાસમાં જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે નિયમ મુજબ વેપારીએ ખાતાનો રેકોર્ડ વર્ષ સુધી સાચવવો પડશે પરંતુ જો કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તેના સમાપ્ત થવા સુધીનો પણ રેકોર્ડ રાખવો પડશે.
કામ માટે જેટલા પૈસા લેવાશે તેના પર 5 ટકા જીએસટી લાગશે. નેટફ્લિક્સ પર મૂવી કે ટીવી શો ડાઉનલોડ કરવા પર કેટલો ટેક્સ લાગશે? સવાલના જવાબમાં અઢિયાએ કહ્યું કે અમેરિકી કંપની અત્યાર સુધી સર્વિસ ટેક્સ ચૂકવી રહી હતી. હવે તેના પર જીએસટી લાગશે.
તેમણે કહ્યું કે કોઈ મારી પાસે ઘરેણાં લઈને આવે તો સોનું ખરીદવા સમાન ગણાશે. જ્વેલર કોઈ વ્યક્તિ પાસેથી જૂનાં ઘરેણાં ખરીદે તો રિવર્સ ચાર્જમાં 3 ટકા જીએસટી લાગશે એટલે કે ઘરેણાં એક લાખ રૂપિયા છે તો 3000 રૂપિયા કપાશે પરંતુ જો કોઈ તેનાં ઘરેણાંમાં સુધારો અથવા રિપેરિંગ કરાવે તો તેને જોબવર્ક ગણવામાં આવશે.
નવી દિલ્હીઃ જૂના ઘરેણા અથવા સોનું વગેરે વેચવા પર થયેલી કમાણી પર 3 ટકા જીએસટી લાગુ પડશે. રેવન્યૂ સચિવ હસમુખ અઢિયાએ આ જાણકારી આપતા કહ્યું કે, જો જૂના ઘરેણા વેચવાની સામે નવા ઘરેણાં ખરીદવામાં આવશે તો તેના પર 3 ટકા જીએસટી ઘટાડી દેવામાં આવશે એટલે કે ટેક્સ એડજસ્ટ થઈ જશે.