બજેટ 2018: સરકારે આ ટેક્સમાં કર્યો વધારો, તમારા દરેક બિલ પર થશે તેની અસર

આ પહેલા પણ સેસ લગાવવાની ટીકા થયેલ છે. જણાવીએ ક્યારે જ્યારે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બર શિક્ષણ પર જ્યારે સેસ લગાવતા હતા ત્યારે યૂપીએ સરકારની ટીકા થઈ હતી. આ પહેલા મોદી સરકારે સ્વચ્છ ભારત માટે સેસ ટેક્સ લગાવ્યો હતો. તે સમયે કેટલાક આર્થિક નિષ્ણાંતોએ તેની ટીકા કરી હતી.
સેસ વધવાને કારણે ઇનકમ ટેક્સ પર પણ તેની અસર પડશે કારણ કે ઇનકમ ટેક્સ પર 1 ટકા સેસ વધી જશે. ઇનકમ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવી દિલ્હીઃ નાણામંત્રી અરૂણ જેટલીએ દેશની સામે પોતાનું 5મું બજેટ રજૂ કર્યું. મોદી સરકારે આ બજેટમાં મધ્યમ વર્ગ અને નોકરીયાતા કોઈ રાહત આપી નથી. સરકારે સ્વાસ્થ્ય શિક્ષામાં સેસ (સરચાર્જ જે ટેક્સ પર લાગે છે) 1 ટકા વધારીને 3 ટકાથી 4 ટકા કરી દીધો છે. આ વધારાની અસર સ્વાસ્થ્ય, શિક્ષણથી લઈને તમામ ક્ષેત્રો પર પડવાની છે. એટલે કે તમારે દરેક વસ્તુ પર વધારે રૂપિયા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.