Jioને ટક્કર આપવા BSNL 149માં આપશે અનલિમિટેડ ફ્રી વોઈસ કોલ, જાણો ક્યારથી શરૂ થશે
ભોપાલઃ ભારત સંચાલ નિગમ લિમિટેડે રવિવારે કહ્યું કે, તે પોતાના મોબાઈલ ગ્રાહકો માટે આવતા મહિને 149 રૂપિયા અથવા તેનાથી ઓછા રૂપિયા પ્રતિ મહિના ટેરિફ પ્લાન પર કોઈપણ નેટવર્ક પર ફ્રી વોઇસ કોલ અને કેટલાક ડેટા આપવાની યોજના બનાવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે, સરકારી ટેલીકોમ કંપની બીએસએનલનો આ નવો મંથલી ટેરિફ પ્લાન એક જાન્યુઆરીથી બજારમાં આવે તેવી ધારણા છે. તેનાથી બીએસએનલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેલીકોમ એકમ રિલાયન્સ જિયો ઇન્ફોકોમને ટક્કર આપવામાં મદદ મળશે જેની એન્ટ્રીથી દેશની ટેલીકોમ કંપનીઓ સામે અનેક પડકાર ઉભા થયા છે.
બીએસએનએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રીવાસ્તવે જણાવ્યું, અમે બીએસએનલના મોબાઈલ ફોન ગ્રાહકોને આવતા મહિનાથી 149 રૂપિયા અથવા તેનાથી ઓછી કિંતમાં પ્રતિ મહિનાના ટેરિફ પ્લાન પર કોઈપણ નેટવર્કમાં ફ્રી અનલિમિટેડ લોકલ અને એસટીડી વોઈસ કોલ અને કેટલાક ડેટા આપાવની શરૂઆત કરવાની યોજના બનાવી છે.
તેમણે કહ્યું, બીએસએનએલનું રિવાઈવલ થવાનું શરૂ થઈ ગયું છે. તેની નાણાંકીય સ્થિતિમાં પણ સારો એવો સુધારો થયો છે. હવે અમે ઓપરેશન પ્રોફિટમાં છીએ. શ્રીવાસ્તવે જણાવ્યું, અમને આશા છે કે, વર્ષ 2018-2019 સુધી બીએસએલ નફો કરતી કંપની થઈ જશે અને ત્યાર બાદ અમારો દેશના ત્રણ ટોચના ઓપરેટરોમાં સમાવેશ થઈ જશે.
તેમણે જણાવ્યું કે, અમે વોઈસ મોબાઈલ સેવામાં પાછળ છીએ, પરંતુ અમે ડેટા સેવા ઉપલબ્ધ કરાવવામાં આગળ છીએ. તેમણે કહ્યું કે, લેન્ડલાઈન ફોન સેક્ટરમાં પણ અમે ફોકસ કરી રહ્યા છીએ, જેનું આજે સમગ્ર વિશ્વમાં પુનરત્થાન થઈ રહ્યું છે.
શ્રીવાસ્તવે કહ્યું કે, બીએસએનએલ દ્વારા જે ફ્રી રોમિંગ સુવિધા આપવામાં આવી છે, તેના સાર પરિણામ આવ્યા છે. તેનાથી મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, બીએસએનએલ ટેલીકોમ ક્ષેત્રમાં પ્રથમ નંબર પર હતી. ત્યાર બાદ છઠ્ઠા ક્રમ પર આવી ગઈ અને હવે અમે ચોથા નંબર પર આવી ગયા છીએ. શ્રીવાસ્તવે કહ્યું કે, દેશના મોબાઈલ સેક્ટરમાં બીએસએનેલનો 10 ટકા હિસ્સો છે, જેને વધારીને 15 ટકા સુધી લઈ જવા માટે કાર્ય કરી રહ્યા છીએ.