✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરનારને મળશે કેશબેક, ખાતામાં જમાં થશે રૂપિયા, જાણો શું છે સરકારની યોજના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Feb 2017 02:49 PM (IST)
1

ડાઉનલોડના મામલામાં ભીમ એપ રેકોર્ડ બની ગઇ છે. જાન્યુઆરીથી અત્યાર સુધી ૧.૭૦ કરોડ વખત ડાઉનલોડ થઈ છે. તેમણે કહ્યુ છે કે, સ્પષ્ટ લાગે છે કે આવતા સમયમાં રોકડથી પેમેન્ટ કરનારા પણ ફરી પાછા ડિજીટલ ટ્રાન્ઝેકશન તરફ આવી જશે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, સરકાર ડિજીટલ ટ્રાન્ઝેકશનને ફાયદેમંદ બનાવવા કામ કરી રહી છે.

2

ડિજીટલ પ્લેટફોર્મને મજબુત કરવામાં આવી રહ્યુ છે. ડિજીટલ ટ્રાન્ઝેક્શન વધારવા પર વિવિધ સ્કીમોને લઇને આંતર મંત્રાલય ચર્ચા પુરી થઇ ગઇ છે. બધા મંત્રાલયોએ આ બાબતે સહમતી આપી છે અને બધા મળીને આ સ્કીમને લોન્ચ કરવા અને તેના અમલ માટે પુરતી મદદ કરશે.

3

નવી દિલ્હીઃ લોકો રોકડ છોડીને વધુમાં વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળે તે માટે સરકાર આવતા મહિનાથી કેશબેક સ્કીમ શરૂ કરવા જઈ રહી છે. સરકાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)ના દરમાં ટૂંક સમયમાં ઘટાડો કરશે જેથી કાર્ડ દ્વારા થતા પેમેન્ટ સસ્તા થઈ શકે. ઉપરાંત રેફરેલ સ્કીમ પણ લોન્ચ કરવાની તૈયારી છે.

4

નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું કે, બજારમાં જેમ જેમ રોકડનો ફ્લો વધી રહ્યો છે તેમ તેમ ડિજિટલની જગ્યાએ રોકડ તરફ લોકો વળી રહ્યા છે. હાલમાં સરકાર સામે સૌથી મોટો પડકાર લોકોને ડિજિટલ પેમેન્ટ તરફ વાળવાનો છે. આ માટે સરકાર સમય સમય પર અનેક પ્રોત્સાહક સ્કીમો લોન્ચ કરશે.

5

આ કડીમાં આવતા મહિનાથી કેશબેક સ્કીમ લોન્ચ કરાશે. આ સ્કીમ હેઠળ જેટલી રકમનુ પેમેન્ટ કાર્ડ દ્વારા કરવામાં આવશે તેના નક્કી કરેલા ટકા પેમેન્ટ કરનારના એકાઉન્ટમાં ફરી આવી જશે. નીતિ આયોગના સીઇઓના જણાવ્યા પ્રમાણે દેશને કેશલેસ ઇકોનોમી બનાવવા માટે લોકોને જાગૃત કરવાની સાથે સાથે તેમને આ પ્રકારના ઇન્સેન્ટીવ આપવા પણ જરૂરી છે ત્યારે જ લોકો આ તરફ આવશે.

6

દેશમાં ડિજીટલ માધ્યમથી પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલ નીતિ આયોગની ઇન્સેન્ટીવ સ્કીમ હેઠળ ૧૦ લાખ ગ્રાહકો અને વેપારીઓને ૧પ૩.પ કરોડના ઇનામો અપાયા છે. કેશલેસ પેમેન્ટને બળ આપવા બે પ્રોત્સાહક યોજના શરૂ કરવામાં આવી છે. ગ્રાહકો માટે લક્કી ગ્રાહક યોજના અને વેપારીઓ માટે ડીજી ધન વ્યાપાર યોજના છે.

  • હોમ
  • બિઝનેસ
  • ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરનારને મળશે કેશબેક, ખાતામાં જમાં થશે રૂપિયા, જાણો શું છે સરકારની યોજના
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.