✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોબાઈલ યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, ટૂંક સમયમાં બંધ થશે FREE ઇનકમિંગ કોલ સર્વિસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Nov 2018 07:16 AM (IST)
1

ટેલિકોમ કંપનીએ લીધેલા આ નિર્ણયની સૌથી વધુ અસર ગામડાંમાં રહેતા લોકોને થશે. આ સિવાય એવા પણ લોકો પ્રભાવિત થશે જેઓ પોતાના ફોન માત્ર કોલ રિસીવ કરવા માટે જ રાખ્યા છે, મોટાભાગના આવા લોકો મહિને 10 રૂપિયાનું જ રિચાર્જ કરાવી સુવિધાનો આનંદ માણે છે, જો કે હવે તેઓએ પણ નવા નિયમ મુજબ રિચાર્જ કરાવવું પડશે.

2

શું છે નવો નિયમ - ગ્રાહકો પાસેથી પૈસા કમાવવા માટે ટેલિકોમ કંપનીઓએ દર મહિને રિચાર્જ કરાવવાનું ફરજિયાત કરી દીધું છે. જો યૂઝર્સ રિચાર્જ નહીં કરે તો તેમની આઉટગોઇંગ સુવિધા બંધ કરવામાં આવશે.

3

એરટેલે આ નવા નિયમનું ધ્યાન રાખી ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે, જેમાં 35, 65 અને 95 રૂપિયાનો પ્લાન્સ છે. આ પ્લાન્સની લીમીટ 28 દિવસની હશે. ત્યાર બાદ જો યૂઝર્સ રિચાર્જ નહીં કરાવે તો બેલેન્સ હોવા છતાં તેમની આઉટગોઇંગ સેવા બંધ કરી દેવામાં આવશે.

4

એરટેલ, વોડાફોન, આઇડિયાના છેલ્લા બે વર્ષમાં સતત યૂઝર્સ ઘટી રહ્યા છે. અને કંપનીઓને મોટી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ કંપનીઓએ નિર્ણય લીધો છે કે ગ્રાહકોને ફ્રી ઇનકમિંગની સુવિધા નહીં મળે અને જો આ સુવિધાનો લાભ ઉઠાવવો છે તો તેના બદલામાં પૈસા ચૂકવવા પડશે એટલે કે રિચાર્જ કરાવવું પડશે.

5

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની બજારમાં એન્ટ્રી બાદથી ટેલિકોમ કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જિઓનો સામનો કરવા માટે આ ટેલિકોમ કંપનીઓની વચ્ચે પ્રાઈસ વોર શરૂ થઈ ગયું છે, ત્યાર બાદ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. એવામાં ટેલિકોમ કંપનીઓએ આ નુકસાનની ભરપાઈ કરવા માટે નવી રણનીતિ અપનાવવાની તૈયારીમાં છે. હવે કંપનીઓ ફ્રી ઇનકમિંગ સર્વિસ બંધ કરવા પર વિચાર કરી રહી છે.

  • હોમ
  • બિઝનેસ
  • મોબાઈલ યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, ટૂંક સમયમાં બંધ થશે FREE ઇનકમિંગ કોલ સર્વિસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.