✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સપ્ટેમ્બરથી બંધ થશે રેલવેમાં મળતી આ Free સેવા, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Aug 2018 10:53 AM (IST)
1

જ્યારે તમે ભારતીય રેલવેના ઓનલાઈન પ્લેટફોર્મ irctc.co.inથી કોઈ ટિકિટ બુક કરાવો છો ત્યારે તમને એક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ મળે છે. પરંતુ હવે તે રેલવે ખુદ નહીં આપે. ભારતીય રેલવે અનુસાર 1 સપ્ટેમ્બરથી વીમો લેવો છે કે નહીં તે તમારા પર આધાર રાખસે. રેલવેએ કહ્યું કે, ઈ-ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઓપ્શનલ હશે.

2

તેનો મતલબ એ થયો કે, 1 સપ્ટેમ્બરથી તમે જે પણ ટિકિટ બુક કરાવશો તો તમારે ‘ઓપ્ટ ઇન’ (જોઈએ છે) અને ‘ઓપ્ટ આઉટ’ (નથી જોઈતી). બન્ને વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. એ પ્રમાણે તમારી ટિકિટની પ્રીમિયમની રકમ પણ ભરવાની રહેશે.

3

નવી દિલ્હીઃ ભારતીય રેલવે એક સપ્ટેમ્બરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાઓ માટે મોટા ફેરફાર કરવા જઈ રહી છે. આગામી મહિનાથી રેલવે ફ્રીમાં મળનારી એક સેવા બંધ કરી દેશે.

4

નોંધનીય છે કે, જિટિલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે સપ્ટેમ્બર 2017માં ફ્રી ઇન્શ્યોરન્સ આપવાની સુવિધા લાવ્યું હતું. પરંતુ હવે આ સુવિધા માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. જોકે પ્રીમિયમની રકમ કેટલી હશે તેને લઈને રેલવેએ હાલમાં કોઈ સ્પષ્ટતા કરી નથી.

5

ભારતીય રેલવે તરફથી આપવામાં આવતા વીમામાં વધુમાં વધુ 10 લાખ રૂપિયાની રકમ મળશે. આ રકમ પ્રવાસીઓને કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થવા પર આપવામાં આવે છે. ઉપરાંત વિકલાંગ થનાર વ્યક્તિને 7 લાક રૂપિયાની રકમ મળશે. ઘાયલ થવા પર 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.

  • હોમ
  • બિઝનેસ
  • સપ્ટેમ્બરથી બંધ થશે રેલવેમાં મળતી આ Free સેવા, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.