સપ્ટેમ્બરથી બંધ થશે રેલવેમાં મળતી આ Free સેવા, જાણો વિગતે
જ્યારે તમે ભારતીય રેલવેના ઓનલાઈન પ્લેટફોર્મ irctc.co.inથી કોઈ ટિકિટ બુક કરાવો છો ત્યારે તમને એક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ મળે છે. પરંતુ હવે તે રેલવે ખુદ નહીં આપે. ભારતીય રેલવે અનુસાર 1 સપ્ટેમ્બરથી વીમો લેવો છે કે નહીં તે તમારા પર આધાર રાખસે. રેલવેએ કહ્યું કે, ઈ-ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઓપ્શનલ હશે.
તેનો મતલબ એ થયો કે, 1 સપ્ટેમ્બરથી તમે જે પણ ટિકિટ બુક કરાવશો તો તમારે ‘ઓપ્ટ ઇન’ (જોઈએ છે) અને ‘ઓપ્ટ આઉટ’ (નથી જોઈતી). બન્ને વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. એ પ્રમાણે તમારી ટિકિટની પ્રીમિયમની રકમ પણ ભરવાની રહેશે.
નવી દિલ્હીઃ ભારતીય રેલવે એક સપ્ટેમ્બરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાઓ માટે મોટા ફેરફાર કરવા જઈ રહી છે. આગામી મહિનાથી રેલવે ફ્રીમાં મળનારી એક સેવા બંધ કરી દેશે.
નોંધનીય છે કે, જિટિલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે સપ્ટેમ્બર 2017માં ફ્રી ઇન્શ્યોરન્સ આપવાની સુવિધા લાવ્યું હતું. પરંતુ હવે આ સુવિધા માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. જોકે પ્રીમિયમની રકમ કેટલી હશે તેને લઈને રેલવેએ હાલમાં કોઈ સ્પષ્ટતા કરી નથી.
ભારતીય રેલવે તરફથી આપવામાં આવતા વીમામાં વધુમાં વધુ 10 લાખ રૂપિયાની રકમ મળશે. આ રકમ પ્રવાસીઓને કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થવા પર આપવામાં આવે છે. ઉપરાંત વિકલાંગ થનાર વ્યક્તિને 7 લાક રૂપિયાની રકમ મળશે. ઘાયલ થવા પર 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.