નોટબંધીની જાહેરાત બાદ 8 નવેમ્બરના રોજ વેચાયું અધધધ સોનું, જાણો કોણે કર્યો આ ખુલાસો
નોટિસમાં જ્વેલર્સને પૂછવામાં આવ્યું કે, તેમની પાસે 7-11 નવેમ્બરની વચ્ચે કેટલું સોનું હતું અને તેની કિંમત શું હતી. દેશભરમાં ખાસ જ્વેલર્લ વિરૂદ્ધ ટેક્સ વિભાગે રેડ પાડી હતી અને તેમને ત્યાં થયેલ કાયદેસરના વેચાણની તપાસ કરવા માટે એક્સાઈઝ ઓથોરિટીએ તેમના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્વેલર્સે 8 નવેમ્બરના રોજ અડધી રાત સુધી પોતાની દુકાન અને શોરૂમ ખુલ્લા રાખ્યા હતા. જેના કારણે તે ટેક્સ અધિકારીઓની નજરમાં આવી ગયા. ભોપલની ઇન્ટેલિજન્સ યૂનિટે ત્યાર બાદ તરત જ 650 જ્વેલર્સને ટેક્સ નોટિસ મોકલી હતી.
15 ટનનો આંકડો ખૂબ જ મોટો કહેવાય કારણ કે, એક સામાન્ય વર્ષમાં સોનાના માસિક વેચાણના પાંચમાં ભાગ કરતાં પણ વધારે છે. દેશભરમાં દર વર્ષે 800 ટન સોનાનો વપરાશ છે. પરંતુ ચાલુ વર્ષે આ આંકડો ઉદ્યોગ વિરદ્ધ સરકારની કડકાઈ અને નોટબંધીને કારણે ખૂબ જ ઓછો એટલે કે 500 ટન પર આવી શકે છે.
મેહતાએ આગળ જણાવ્યું કે, IBJAએ સરકારને ગેરકાયદેસર કામ કરનાર જ્વેલર્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે. કારણે તેમને લાગે છે કે આના કારણે સમગ્ર ઉદ્યોગનું નામ ખરાબ થઈ રહ્યું છે.
મેહતાએ જણાવ્યું કે, અમારા અંદાજ અનુસાર પીએમની નોટબંધીની જાહેરાત બાદ 8 નવેમ્બરના રોજ 8 કલાકથી લઈને મોડી રાત્રે 2-3 લાક સુધીમાં કુલ 5000 કરોડ રૂપિયાનું અંદાજે 15 ટન સોનું વેચવામાં આવ્યું હતું. તેમના જણાવ્યાનુસાર, આ 15 ટન સોનામાંથી અડધો અડધ સોનું દિલ્હી, યૂપી અને પંજાબમાં વેચાયું છે. તેમણે જણાવ્યું કે, દેશભરના છ લાખ જ્વેલર્સમાંથી માત્ર 1 હજારે 8 નવેમ્બરે જૂની નોટમાં સોનું વેચ્યું હતું.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી એક મહિના પહેલા એટલે કે 8 નવેમ્બરની મોડી સાંજે જાહેરાત કરી 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. નોટબંધીની જાહેરાત બાદ તરત જ રાત્રે જ્વેલર્સે અંદાજે 5000 કરોડ રૂપિયામાં 15 ટન સોનાના આભૂષણ અને ગોલ્ડ બાર વેચ્યા હતા. આ જાણકારી ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાઓ એક અંગ્રેજી સમાચારપત્રને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -