✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લો બોલો....નોટબંધીથી કેટલું કાળુ નાણાં આવ્યું તેની RBIને પણ ખબર નથી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2017 07:18 AM (IST)
1

જોકે, સરકારે સતત એવું જણાવ્યું છે કે, રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની નોટ રદ કરવાના નિર્ણયથી બ્લેક મનીને અંકુશમાં લાવવામાં મદદ મળી છે. RBIએ ગયા સપ્તાહે જારી થયેલા વાર્ષિક અહેવાલમાં રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની રદ થયેલી રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડની નોટ પરત આવી છે. સંસદની ફાઇનાન્સ અંગેની સ્ટેન્ડિંગ કમિટીને પણ આ જ આંકડા આપવામાં આવ્યા છે.

2

RBIના જણાવ્યા અનુસાર રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની રદ થયેલી નોટ દ્વારા રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડ પરત આવ્યા છે, પણ નોટબંધીને નિયમિત રીતે અમલી બનાવાશે કે નહીં તેની કોઈ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે, નોટબંધી અને પરત આવેલી નોટના આંકડામાં વિલંબ માટે RBI ભારે ટીકાનો સામનો કરી રહી છે.

3

જોકે હવે રિઝર્વ બેન્કે સંસદીય પેનલને જણાવ્યું છે કે, તેની પાસે નોટબંધીને કારણે દૂર થયેલાં કાળાં નાણાંની કોઈ વિગત નથી. ઉપરાંત, નોટબંધી પછી રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની રદ થયેલી કરન્સીના એક્સ્ચેન્જની મદદથી કેટલું બ્લેક મની ‘વ્હાઇટ’ કરવામાં આવ્યું છે તેની પણ કોઈ માહિતી નથી.

4

નવી દિલ્હીઃ નોટબંધીને લઈને એક પછી એક તથ્યો સામે આવી રહ્યા છે, જેનાથી સરકારની ફજેતી થઈ રહી છે. હાલમાં જ થોડા દિવસ પહેલા આરબીઆઈના એક અહેવાલ અનુસાર, નોટબંધી બાદ 99 ટકા 500 અને 1000 રૂપિયાની નોટો બેંકમાં પાછી આવી ગઈ.

  • હોમ
  • બિઝનેસ
  • લો બોલો....નોટબંધીથી કેટલું કાળુ નાણાં આવ્યું તેની RBIને પણ ખબર નથી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.