લો બોલો....નોટબંધીથી કેટલું કાળુ નાણાં આવ્યું તેની RBIને પણ ખબર નથી
જોકે, સરકારે સતત એવું જણાવ્યું છે કે, રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની નોટ રદ કરવાના નિર્ણયથી બ્લેક મનીને અંકુશમાં લાવવામાં મદદ મળી છે. RBIએ ગયા સપ્તાહે જારી થયેલા વાર્ષિક અહેવાલમાં રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની રદ થયેલી રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડની નોટ પરત આવી છે. સંસદની ફાઇનાન્સ અંગેની સ્ટેન્ડિંગ કમિટીને પણ આ જ આંકડા આપવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRBIના જણાવ્યા અનુસાર રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની રદ થયેલી નોટ દ્વારા રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડ પરત આવ્યા છે, પણ નોટબંધીને નિયમિત રીતે અમલી બનાવાશે કે નહીં તેની કોઈ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે, નોટબંધી અને પરત આવેલી નોટના આંકડામાં વિલંબ માટે RBI ભારે ટીકાનો સામનો કરી રહી છે.
જોકે હવે રિઝર્વ બેન્કે સંસદીય પેનલને જણાવ્યું છે કે, તેની પાસે નોટબંધીને કારણે દૂર થયેલાં કાળાં નાણાંની કોઈ વિગત નથી. ઉપરાંત, નોટબંધી પછી રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧,૦૦૦ની રદ થયેલી કરન્સીના એક્સ્ચેન્જની મદદથી કેટલું બ્લેક મની ‘વ્હાઇટ’ કરવામાં આવ્યું છે તેની પણ કોઈ માહિતી નથી.
નવી દિલ્હીઃ નોટબંધીને લઈને એક પછી એક તથ્યો સામે આવી રહ્યા છે, જેનાથી સરકારની ફજેતી થઈ રહી છે. હાલમાં જ થોડા દિવસ પહેલા આરબીઆઈના એક અહેવાલ અનુસાર, નોટબંધી બાદ 99 ટકા 500 અને 1000 રૂપિયાની નોટો બેંકમાં પાછી આવી ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -