હવે ATMમાંથી મળશે રેલવે ટિકિટ, સ્ટેશન પરના ટિકિટ કાઉન્ટર પર ઓછી થશે ભીડ
મીડિયા રિપોર્ટ અનુસાર જો તમારી પાસે ડેબિટકાર્ડ નહીં હોય તો તમે એટીએમમાંથી રેલવે ટિકિટ બહાર કાઢી શકશો, કારણ કે તેમાં સિક્કા કે નોટો નાખવાથી પણ ટિકિટ બહાર આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસ પહેલાં ઝારખંડના ટાટાનગર રેલવે સ્ટેશન પર એસબીઆઈએ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન લગાવ્યું છે, જેનો ઉપયોગ ટિકિટ કાઢવા માટે કરવામાં આવે છે. પ્રવાસીઓની સુવિધાઓ માટે ટિકિટ પ્રિન્ટ થઈને બહાર નીકળશે.
હવે એટીએમ દ્વારા જનરલ ટિકિટ મળી શકશે. આ માટે પહેલાં એસબીઆઈના એટીએમને આ સોફ્ટવેર મારફતે અપગ્રેડ કરવામાં આવશે કે જેથી તેમાંથી નોટની જેમ ટિકિટ પણ નીકળી શકશે. રેલવે ઈચ્છે છે કે આ સુવિધાનો લોકો વધુ ને વધુ ઉપયોગ કરે અને તેથી કેટલાંક મુખ્ય એટીએમ સાથે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ (એટીવી) મશીન લગાવવા પર વિચારણા ચાલી રહી છે.
મીડિયા અહેવાલ અનુસાર રેલવેએ વર્ષ ૨૦૧૬માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે મળીને એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનાં પરિણામો હવે આવવા લાગ્યાં છે. અહેવાલ અનુસાર રેલવે બોર્ડ અને સ્ટેટ બેન્કના અધિકારીઓ વચ્ચે થયેલ નિર્ણય અનુસાર સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમે (ક્રીસ) સોફ્ટવેર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
નવી દિલ્હીઃ રેલવે ટિકિટ લેવા માટે હવે તમારે સ્ટેશનના ભીડભાડવાળા કાઉન્ટર પર જવાની જરૂરત નહીં રહે. ભારતીય રેલવેએ હવે એટીએમ દ્વારા રેલવે ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -