✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

UIDAIની નવી જાહેરાતઃ ચહેરાથી પણ આધાર વેરિફિકેશન થઈ શકશે, 1 જુલાઈથી થશે અમલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jan 2018 08:31 AM (IST)
1

નવી દિલ્હીઃ આધારની સુરક્ષા માટે વર્ચ્યુઅલ આઈડી વિકલ્પની જાહેરાતના પાંચ દિવસ બાદ ચેહરાથી વેરીફિકેશનની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. યુઆઈડીએઆઈએ આધારની ઓળખ માટે આંગળીના નિશાન અને આંખની રેટીના ઉપરાંત ફેસ રેકગ્નાઈઝેશન પણ સામેલ કરી લીધું છે. આમ હવે ચહેરાથી પણ આધારનું વેરીફિકેશન કરાવી શકાશે. આ સેવા 1 જુલાઈથી અમલી બનશે.

2

ચેહરાની ઓળખ ફ્યૂઝન મોડમાં જ સ્વીકારાશે. એટલે કે ચેહરાની ઓળખથી આધારનું વેરીફિકેશન નહીં થાય. તેની સાથે આંગળીના નિશાન કે પછી આંખના રેટીના અથવા ઓટીપીમાંથી કોઈ એક વિકલ્પ હોવું જરૂરી છે. લેપટોપ અથવા મોબાઈલના કેમેરાથી પણ તસવીર ખેંચી શકાય છે એટલે એજન્સીઓને ઓળખ માટે કોઈ હાર્ડવેરની જરૂર નહીં પડે.

3

યુઆઈડીએઆઈએ કહ્યું કે નવી સુવિધા એવા લોકોના વેરીફિકેશનમાં મદદ કરશે જેમના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાં ફિંગરપ્રિન્ટની મુશ્કેલીઓ, વૃદ્ધો અથવા ભારે કામ કરવાને લીધે સમસ્યા આવે છે. જરૂરિયાતના સમયે નવી સુવિધા પ્રાપ્ત કરવાની મંજૂરી અપાશે.

4

યુઆઈડીએઆઈના જણાવ્યાનુસાર અત્યાર સુધી 119 કરોડ આધાર નંબર જારી કરાયા છે. દરરોજ લગભગ 4 કરોડ આધારનું વેરીફિકેશન થઈ રહ્યું છે.

  • હોમ
  • બિઝનેસ
  • UIDAIની નવી જાહેરાતઃ ચહેરાથી પણ આધાર વેરિફિકેશન થઈ શકશે, 1 જુલાઈથી થશે અમલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.