RBIએ ન ઘટાડ્યા વ્યાજદર, જાણો, તમારા લોનના હપ્તા પર તેની શું થશે અસર
આરબીઆઇએ પોતાની પોલિસીમાં વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. આરબીઆઇએ નાણાકીય વર્ષ 2016-17માં પોતાના અગાઉના 7.6 ટકાના વિકાસદરમાં ઘટાડો કરીને 7.1 ટકાનો અંદાજ લગાવ્યો છે. જેનો સીધો અર્થ એ છે કે આરબીઆઇ નોટબંધીને વિકાસદર પર નકારાત્મક અસર તરીકે જોવે છે.
આરબીઆઇએ જાહેરાત કરી હતી કે રેપોરેટ 6.25 ટકા રહેશે એટલે કે તેનો સીધો અર્થ થાય છે કે હાલના વ્યાજદરોમાં કોઇ રાહત લોકોને મળશે નહીં. જોકે, કેટલાક નિષ્ણાંતોના મતે આરબીઆઇએ રેપોરેટમાં કોઇ ઘટાડો ના કરતા કેટલીક બેન્કો વ્યાજદરોમાં વધારો પણ કરી શકે છે.
નવી દિલ્લીઃ નોટબંધીથી પરેશાન લોકો ક્રેડિટ પોલિસીમાં ઘટાડો થશે તેવી આશા રાખીને બેસેલા લોકોની આશાઓ પર ભારતીય રિઝર્વ બેન્કે પાણી ફેરવી દીધું છે. આરબીઆઇએ વર્ષ 2016ની અંતિમ ક્રેડિટ પોલિસીના દરોમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો ન કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇના આ નિર્ણયથી ઇએમઆઇ ઓછા થવાની આશાએ બેઠેલા લોકોને ધક્કો લાગ્યો છે.