✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શું તમે જિઓનું 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું, તો તમને વધુ 28 દિવસ સુધી મળશે ફ્રી સુવિધાઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jul 2017 08:07 AM (IST)
1

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ શરૂઆતથી જ પોતાના ગ્રાહકોને વધુમાં વધુ લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ જ પ્રયત્નના ભાગરૂપે હવે કંપનીએ નવું પગલું ભર્યું છે. જે ગ્રાહકોએ સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત પ્રાઈમ મેમ્બરશિપની સાથે 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું તે યૂઝર્સને કંપની હવે 28 દિવસ સુધીનું એક્સટેંશન આપી રહી છે. તેનો મતલબ એ થયો કે કંપનીએ એવા તમામ ગ્રાહકોના પ્લાનની વેલિડિટી 28 દિવસ વધારી દીધી છે. હવે આ આ ગાળો ખતમ થયા બાદ જ યૂઝર્સે નવું રિચાર્જ કરાવવાનું રહેશે.

2

તમને સમર સરપ્રાઈઝ ઓફરના પ્લાનમાં 28 દિવસનો વધારાનો લાભ મળ્યો છે કે નહીં તે જાણવા માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં માય જિઓ એપ ડાઉનલોડ કરવાની રહેશે. માય જિઓ એપ ખોલતા જ તમારી સામે એક ઇન્ફોર્મેશન આવશે, જેમાં સમર સરપ્રાઈઝ આગળ તેની પૂરી થવાની તારીખ લખેલ હશે.

3

જો તમે 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું તો રિલાયન્સ જિઓ પ્લાન અનુસાર તમને 84 દિવસની વેલિડિટી ઉપરાંત વધુ 28 દિવસની વેલિડિટી મળી રહી છે. તસવીરમાં તમે જોઈ શકો છો. આ પહેલા નંબર પર માય જિઓ એપમાં લખેલું આવતું હતું કે તમારી સમર સરપ્રાઈઝ ઓફર 20 જુલાઈ, 2017ના રોજ સવારે 8-20 પર ખતમ થઈ જશે. પરંતુ હવે લખેલ આવે છે કે સમર સરપ્રાઈઝ ઓફર 17 ઓગસ્ટ 2017ના રોજ ખતમ થશે. આ ઓફર એ તમામ યૂઝર્સને આપવામાં આવી રહી છે જેણે 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું.

  • હોમ
  • બિઝનેસ
  • શું તમે જિઓનું 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું, તો તમને વધુ 28 દિવસ સુધી મળશે ફ્રી સુવિધાઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.