1 એપ્રિલથી SBIમાં ત્રણ જ ફ્રી ટ્રાન્ઝેક્શન થશે, ખાનગી બેન્કોએ ચાર્જ વસુલવાનું શરૂ કર્યું
જ્યારે દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક ICICIની વેબસાઈટ પર આ સંબંધમાં જાણકારી આપવામાં આવી છે. બંકની વેબસાઇટ અનુસાર ચાર ટ્રાન્ઝેક્શનથી વધારરે ટ્રાન્ઝેક્શન કરવા પર ઓછામાં ઓછા 150 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. એક્સિસ બેંક પણ દર મહિને એક લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવવા અથવા પાંચમી વખત ઉપાડ કરવા પર 150 રૂપિયા અથવા પ્રતિ હજાર 5 રૂપિયા ચાર્જ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નવા દર માત્ર બચત અને પગારદાર ખાતા ધારકો માટે જ છે. સાથે જ બેંકે પોતાની શાખાઓમાં ફ્રી રોકડ લેવડ દેવડને બે લાખ રૂપિયા સુધી મર્યાદિત કરી દીધી છે. તેમાં જમા અને ઉપાડ બન્ને સામેલ છે. તેનાથી વધારે જમા ઉપાડ કરવા પર ગ્રાહકોએ ઓછામાં ઓછા 150 રૂપિયા અથવા 5 રૂપિયા પ્રતિ હજાર ચૂકવવા પડશે. જ્યારે અન્ય શાખામાં ફ્રી લેવડ દેવડ 25,000 રૂપિયા છે. ત્યાર એવી જ રીતે ચાર્જ લાગશે.
સાથે જ શાખામાં ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા પાંચથી ઘટાડીને ચાર કરવામાં આવી છે અને ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ કોઈપણ કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ 50 ટકા વધારીને 150 રૂપિયા કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, આ પહેલા દરરોજ રોકડ ઉપાડ અને જમા બન્નેમાં 50 હજાર રોકડ લેવડ દેવડની મંજૂરી હતી.
બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચડીએફસી બેંકે એક માર્ચથી કેટલાક ટ્રાન્ઝેક્સન પર ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. સાથે જ અન્ય કેસમાં રોકડની મર્યાદા નક્કી કરવા અને કેટલાક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાન નિર્ણય કર્યો છે. બેંકની વેબસાઈટડ અનુસાર થર્ડ પાર્ટી લેવડ દેવડ 25,000 હજાર રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવે છે.
ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે રોકડ સાથે જોડાયેલ કેટલાક ટ્રાન્ઝેક્શન માટે બચત ખાતાધારકો માટેના ચાર્જમાં ઉલ્લેખનીય વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ રોકડ ટ્રાન્ઝેક્શન પ્રત્યે લોકોને હતોસ્હાતિ કરવાનો એક પ્રયત્ન છે. સરકાર નોટબંધી બાદ લોકોને કેશલેસ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહિત કરી રહી છે. આમ બેંકનો આ નિર્ણય ઘણો મહત્ત્વપૂર્ણ છે.
નોટબંધીના કારણે લોકો હજુ પણ ડીજીટલ પેમેન્ટ કરતાં નથી થયા અને રોકડ ઉપાડવાની હોડ હજુ પણ લોકોમાં જોવા મળે છે જેના કારણે ડીજીટલ પેમેન્ટ તરફ લોકોને વાળવા માટે શક્ય છે કે પાંચમી વખતથી રૂપિયા ઉપાડવા સામે 150 રૂપિયા ચાર્જ લાગશે. ઉપરાંત અન્ય ખાતામાં પણ ચાર વખતથી વધુ રૂપિયા જમા કરાવવા પર દર હજારે 5 રૂપિયાનો ચાર્જ અમલમાં આવી શકે છે.
ઉપરાંત પાંચમી વખત બેંકમાંથી રૂપિયા ઉપાડવા પર 150 રૂપિયા ચાર્જ લગાવાવનું શરૂ કર્યું છે. એવામાં શહેરની એક સરકારી બેંકના ઉચ્ચ અધિકારી સાથે થયેલી વાતચીતમાં આ મુદ્દે પૂછતાં તેમણે જ્ણાવ્યું હતું કે હાલમાં આ મુદ્દે આરબીઆઇ તરફથી કોઇ સૂચન કે નોટીફિકેશન મળ્યું નથી પણ નિયમનું અમલીકરણ શક્ય બની શકે છે.
90 દિવસની નોટબંધીમાં હજુયે શહેરની મોટા ભાગની સરકારી અને સહકારી બેંકોમાંથી બચત ખાતેધારકોને કેન્દ્વ દ્વારા નક્કી કરવામાં આવેલ મર્યાદા 24 હજાર રૂપિયા પણ એકવારમાં મળતી નથી તથા તેની સાથે એટીએમ પણ યોગ્ય રીતે કાર્યરત થયા નથી એવામાં બચત અને પગારદાર વર્ગના ખાતામાં ખાનગી બેન્ક દ્વારા રૂપિયા જમા કરાવવા તેમજ ઉપાડવાની લિમિટ 4 વખત 1લી માર્ચથી નક્કી કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ આગામી પહેલી એપ્રિલથી હોમ બ્રાન્ચમાં દર મહિને ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં ઘટાડો કર્યો છે. હવેથી માત્ર 3 જ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. જોકે ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકે આ ફ્રી ટ્રાન્ઝેક્શથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ વસુલવાનું 1લી માર્ચથી જ શરૂ કરી દીધું છે. જેમાં 50-150 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવશે.
SBIમાં પણ હવે બચત ખાતા ધારકો માટે મહિના ફક્ત 3 વખત જ કેશ ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકાશે. ત્યાર બાદ દરેક ટ્રાન્ઝેક્શન માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. આ નિયમ આગામી 1 એપ્રિલ 2017થી લાગુ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -