SBIના ગ્રાહકો 1 એપ્રિલ સુધીમાં આ કામ નહીં કરે તો અટકી શકે છે ટ્રાન્ઝેક્શન જાણો વિગત
આ બેન્કોમાં એસબીઆઈની 5 એસોસિએટસ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્ક સામેલ છે. આ 6 બેન્કોમાં એસબીઆઈનું મર્જર થઈ ચુકયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમર્જર બાદ અગાઉની એસોસિએટસ બેન્કો અને ભારતીય મહિલા બેન્કની ચેક બુકસ 30 સપ્ટેમ્બર 2017એ ઈનવેલિડ થનાર હતી. જોકે દેશમાં સૌથી મોટી સરકારી લેન્ડરે તેની વેલિડિટી એકસટેન્ડ કરી દીધી હતી અને તેને 31 માર્ચ 2018 કરી હતી.
એસબીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે તેની 5 પૂર્વ એસોસિએટસ બેન્કો અને ભારતીય મહિલા બેન્કના ચેક 31 માર્ચ બાદ વેલિડ નહિ રહે. બેન્કે ગ્રાહકોને નવી ચેક બુક માટે એપ્લાઈ કરવા માટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બરમાં આ બેન્કોનું એસબીઆઈમાં મર્જર થયું હતું.
નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાચ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકના જૂના ચેક 31 માર્ચ સુધી જ માન્ય રહેશે. ત્યાર બાદ 1 એપ્રિલથી જૂના ચેક માન્ય રહેશે નહીં. એસબીઆઈએ તેની જાહેરાત કરી છે અને બધા જ એવા ગ્રાહકોને નવી ચેકબુક ઈશ્યૂ કરાવવા માટે કહ્યું છે જે પહેલા આ છ બેંકના ગ્રાહક હતા. આવા ચેક બંધ કરવાની જાહેરાત પહેલા 1 જાન્યુઆરી 2018 કરી હતી જે આગળ વધારીને 31 માર્ચ કરવામાં આવી હતી. જો નવી ચેકબુક લેવામાં નહીં આવે તો તમારા ઘણાં ટ્રાન્ઝેકશન અટકી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -