Crime News: સુરત શહેરના અમરોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. હત્યા અંગે સામે આવેલી વિગતો મુજબ મામુલી રકમને લઈને આ હત્યા કરવામાં આવી છે. માત્ર 300 રૂપિયા માટે લાકડાંના ફટકા મારી હત્યા કરવામાં આવી છે. ઉછીના રૂપિયા પરત નહીં આપતા મિત્રએ જ મિત્રની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં અમરોલી પોલીસે હત્યારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


TRB સાજન ભરવાડ સામે મોટી કાર્યવાહી


સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ સમગ્ર મામલે સુરત પોલીસે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRB સાજન ભરવાડ સામે મોટી કાર્યવાહી કરી છે. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે એડિશનલ સીપી પ્રવીણ મલે પત્રકાર પરિષદ યોજી આ મામલે માહિતી આપી હતી. 


TRB સાજન ભરવાડની હકાલપટ્ટી
એડિશનલ સીપી પ્રવીણ મલે પત્રકાર પરિષદ યોજી આ સમગ્ર મામલે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપી હતી.  તેમણે કહ્યું કે સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચની ટીમના અરવિંદ ગામીત, હરેશ અને TRB સાજન ભરવાડ સામે પગલાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે TRB જવાન સાજન ભરવાડની વર્તણૂંકને કારણે તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. આ મામલાની તાપસ ACP કક્ષાના પોલીસ અધિકારી કરી રહ્યા છે. 


307 અને અન્ય કલમોને આધારે ફરિયાદ નોંધાઈ હતી
શહેર એડવોકેટ મેહુલ બોઘરા ઉપર ગઈ કાલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ હુમલાવર વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. કલમ 307 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે, મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં પોલીસ દ્વારા કલમ 307 મુજબ ફરિયાદ ન નોંધાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 


ત્યાર બાદ સરથાણા પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. એડવોકેટ અને વિવિધ સંગઠનો દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવામાં આવ્ય હતો. મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા રામ ધૂન બોલવવામાં આવી હતી. આખરે પોલીસે 307 મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પાસ નેતા અલ્પેશ કથીરીયાએ અપીલ કરી લોકોને ઘરે રવાના કર્યા હતા.









આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અડવોકેટ મેહુલ બોધરા ટેમ્પો રોકી હપ્તો લેતા મળતીયાઓનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર જીવલેણ હુમલો થયો હતો. મેહુલ બોધરાનો આરોપ છે કે પોલીસના કેટલાક મળતીયા હપ્તાખોરી કરે છે. જેનો પર્દાફાશ કરવા ગયા હતા ત્યાં  અજાણ્યા શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો. એડવોકેટ મેહુલ બોઘરા ઉપર કહેવાતા પોલીસના મળતીયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.