રાજકોટ: રંગીલા રાજકોટના પોશ વિસ્તારમાં એક અભદ્ર ઘટના સામે આવી છે. રાજકોટના અમીન માર્ગ પર આવેલ ઇન્ફીનિયમ એપાર્ટમેન્ટમાં બનેવી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. એપાર્ટમેન્ટની લિફ્ટમાં એક બુકાની ધારી શખ્સે યુવતી સાથે છેડતી કરી છે. યુવતીએ વિરોધ કરતા ઉશ્કેરાયેલા શખ્સે યુવતીનું ગળું દબાવી ફડાકા ઝીંકી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. હાલમાં માલવિયા નગર પોલીસે યુવતીની ફરિયાદ પરથી વિકૃત શખ્સની શોધખોળ શરૂ કરી છે.


મારી પત્ની પાસે દિલ નથી


ગાંધીનગરમાં પિતાએ બે સંતાનો સાથે આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરમાં શ્રમજીવી યુવકે ચાર અને છ વર્ષના બાળકોને સાથે રાખી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં યુવકે તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે, પત્ની પાસે દિલ નથી, મને કહેતી હતી કે, તું મરી જાય તો મારે શું...? ગાંધીનગરના પરઢોલ ગામના યુવકે બે સંતાનો સાથે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. યુવકના આત્મહત્યા પાછળ ઘરકંકાસ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.  પોલીસે આ મામલે તપાસ  શરૂ કરી હતી.


શ્રદ્ધાને 2 વર્ષ પહેલા જ આવી ગયો હતો અંદાજ


શ્રદ્ધાની હત્યા કર્યા પછી લાશના 35 ટુકડા કરી નાખ્યા અને તેને ફેંકી દીધા પછી, આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેમાં તેની હત્યા સંબંધિત પુરાવાઓ બહાર આવવાની સંભાવના છે. આ સાથે જ શ્રદ્ધાએ મુંબઈ પોલીસમાં આફતાબ વિશે ફરિયાદ કરી હતી, જેનો ખુલાસો થયો છે. શ્રદ્ધાએ બે વર્ષ પહેલા નવેમ્બર 2020માં મુંબઈમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં શ્રદ્ધાએ આફતાબને કહ્યું હતું કે તેના જીવને ખતરો છે.









સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આફતાબ પૂનાવાલાના પરિવારજનો દિલ્હીમાં જ છે. તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પરિવાર વિશે જે તથ્યો સામે આવ્યા છે તેના આધારે તેમની ફરી પૂછપરછ થઈ શકે છે. શ્રદ્ધાએ વર્ષ 2020માં મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી કે આફતાબના પરિવારને ખબર હતી કે તે તેની હત્યા કરવા માંગે છે.


શ્રદ્ધાએ આફતાબના પરિવાર પર આરોપ લગાવ્યો હતો




શ્રદ્ધાએ ફરિયાદમાં લખ્યું હતું કે આફતાબ મને મારી નાંખવા માંગે છે અને મારી નાખ્યા બાદ મારા શરીરના ટુકડા કરી નાખવાની ધમકી આપે છે. તેના માતા-પિતાને પણ આ બધું ખબર છે, તેઓ પણ વીકએન્ડ પર આવે છે. મને લાગતું હતું કે તે જલ્દી લગ્ન કરશે અને મને તેના પરિવારના આશીર્વાદ પણ મળશે તે કારણે હું તેની સાથે અત્યાર સુધી રહી પરંતુ હવે હું તેની સાથે રહેવા તૈયાર નથી. શ્રદ્ધાએ લખ્યું હતું કે તે છેલ્લા છ મહિનાથી સતત મારી સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરી રહ્યો છે. તે હવે મને બ્લેકમેલ કરી રહ્યો છે. જ્યારે પણ તે મને ગમે ત્યાં જુએ છે. તે મને દુઃખ પહોંચાડે છે. તે મને ગમે ત્યારે મારી નાંખશે