CRIME NEWS: સુરતના અડાજણ વિસ્તારમાં એક યુવતીએ આપઘાત કરી લીધો છે. અડાજણના મહાદેવ નગરમાં રહેતી બંગાળી યુવતીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ મૃતક યુવતીની માતાએ આ આપઘાત માટે પાડોશી મહિલાને જવાબદાર ઠેરવી છે. હિરલ નામની મહિલાએ આપઘાત કરનાર યુવતીને માર મારતા આપઘાત કર્યાની માહિતી સામે આવી છે. આપઘાત કરનાર યુવતીની માતાએ પણ પાડોશી મહિલા.પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. અડાજણ પોલીસે અકસ્માત નોંધ કરી વધુ તપાસ આરંભી છે.
સુરતમાં પતંગ ચગાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો
સુરતના નાનપુરા વિસ્તારમાં પતંગ ચગાવતી વેળાએ બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ ઘર્ષણમાં પત્થરમારો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ સમગ્ર મામલે બંને જૂથ વચ્ચે સામસામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. જેમાં પોલીસે ૧૪ પુરષ અને ૫ મહિલા મળી ૧૯ લોકોની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ સુરતના નાનપુરા ખલીફા મહોલ્લામાં પતંગ ચગાવતી વેળાએ બોલાચાલી બાદ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને વાત વણસી જતા પત્થરમારો થયો હતો. આ ઘટનાને લઈને અહી વાતાવરણ તંગ બન્યું હતું. પત્થરમારામાં બે થી ત્રણ લોકોને ઈજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી તરફ અહી રહેલી ૪ ફોરવ્હીલ અને ૮ બાઈકને પણ નુકશાન પહોચ્યું હતું.
બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે આવી મામલો થાળે પાડ્યો હતો. આ બનાવમાં બંને જૂથ વચ્ચે સામસામે ફરિયાદ નોંધાઈ છે. એક જુથે નોંધાવેલી ફરિયાદમાં પતંગ ચગાવતી વેળાએ બીભત્સ શબ્દો બોલી છેડતી કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તો બીજી તરફ આ ઘટનામાં પોલીસે બંને જુથમાંથી કુલ ૧૪ પુરુષ અને ૫ મહિલા સહીત ૧૯ લોકોની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે અથવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
આ ઉપરાંત અહી થયેલા પત્થરમારાના વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે અહી પતંગ ચગાવ્યા બાદ બોલાચાલી બાદ પત્થરમારો થયો હતો. આ ઘટનામાં ૩ થી ૪ લોકોને સામાન્ય ઈજાઓ પણ થઇ હતી. બીજી તરફ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.